કાલોલની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલની ગર્વની હેટ્રિક:SSCમાં સતત ત્રીજા વર્ષે 110% પરિણામ,HSC માં 99% સાથે ગ્રાન્ડ ડેબ્યુ. કાલોલ તાલુકાના બોરુ ગામે આવેલ રીફાઈ પબ્લિક સ્કૂલે માર્ચ-2026ની બોર્ડની પરીક્ષામાં ગૌરવવંતી સિદ્ધિ મેળવી છે. શાળાએ SSCમાં સતત ત્રીજા વર્ષે 100% પરિણામની હેટ્રિક લગાવી છે, જ્યારે HSC વાણિજ્ય પ્રવાહમાં 99% પરિણામ સાથે ગ્રાન્ડ ડેબ્યુ કર્યું છે. ત્યારે ધોરણ-10 SSCની ત્રીજી બેચે પણ 100% પરિણામ મેળવી શાળાની પરંપરા જાળવી રાખી છે. બીજી તરફ ધોરણ-12 HSC વાણિજ્યની ત્રીજી બેચે 99% પરિણામ સાથે શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના સંચાલક હઝરત સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયરબાબા રીફાઇ અને ટ્રસ્ટી સૈયદ સોયબબાબા સહિત રીફાઇ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના સંચાલક સૈયદ મોઇનુદ્દીન કમાલુદ્દીન રીફાઈ એ જણાવ્યું કે સફળતાની આ વિદ્યાર્થીઓના અતૂટ સમર્પણ, શિક્ષકોના ઉમદા માર્ગદર્શન તેમજ માતાપિતા અને દાતાઓના સતત વિશ્વાસ અને સમર્થનનો પુરાવો છે.તેઓએ વધુમાં ઉમેર્યું કે આ સિદ્ધિ ફક્ત RPS, બોરુ દ્વારા જાળવી રાખવામાં આવેલા શિક્ષણના ઉચ્ચ ધોરણોને જ નહીં, પરંતુ શ્રેષ્ઠતા, દ્રઢતા અને સમુદાયની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે જે અમારી શાળાને વ્યાખ્યાયિત કરે છે. શાળા પરિવારે આ સફરનો અભિન્ન ભાગ બનવા બદલ સૌ વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.
કાલોલની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલની ગર્વની હેટ્રિક:SSCમાં સતત ત્રીજા વર્ષે 110% પરિણામ,HSC માં 99% સાથે ગ્રાન્ડ ડેબ્યુ. કાલોલ તાલુકાના બોરુ ગામે આવેલ રીફાઈ પબ્લિક સ્કૂલે માર્ચ-2026ની બોર્ડની પરીક્ષામાં ગૌરવવંતી સિદ્ધિ મેળવી છે. શાળાએ SSCમાં સતત ત્રીજા વર્ષે 100% પરિણામની હેટ્રિક લગાવી છે, જ્યારે HSC વાણિજ્ય પ્રવાહમાં 99% પરિણામ સાથે ગ્રાન્ડ ડેબ્યુ કર્યું છે. ત્યારે ધોરણ-10 SSCની ત્રીજી બેચે પણ 100% પરિણામ મેળવી શાળાની પરંપરા જાળવી રાખી છે. બીજી તરફ ધોરણ-12 HSC વાણિજ્યની ત્રીજી બેચે 99% પરિણામ સાથે શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના સંચાલક હઝરત સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયરબાબા રીફાઇ અને ટ્રસ્ટી સૈયદ સોયબબાબા સહિત રીફાઇ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના સંચાલક સૈયદ મોઇનુદ્દીન કમાલુદ્દીન રીફાઈ એ જણાવ્યું કે સફળતાની આ વિદ્યાર્થીઓના અતૂટ સમર્પણ, શિક્ષકોના ઉમદા માર્ગદર્શન તેમજ માતાપિતા અને દાતાઓના સતત વિશ્વાસ અને સમર્થનનો પુરાવો છે.તેઓએ વધુમાં ઉમેર્યું કે આ સિદ્ધિ ફક્ત RPS, બોરુ દ્વારા જાળવી રાખવામાં આવેલા શિક્ષણના ઉચ્ચ ધોરણોને જ નહીં, પરંતુ શ્રેષ્ઠતા, દ્રઢતા અને સમુદાયની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે જે અમારી શાળાને વ્યાખ્યાયિત કરે છે. શાળા પરિવારે આ સફરનો અભિન્ન ભાગ બનવા બદલ સૌ વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.
- ખેડા-નડિયાદ LCB સ્ટાફ દ્વારા બાતમીના આધારે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શેઢી નદીના પુલ પાસે વોચ ગોઠવી તરબૂચના જથ્થા નીચે છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..1
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.2
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રવિવારે પાંચમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા તથા ટ્રસ્ટના અગ્રણીઓના સૌજન્યથી યોજાયેલા આ સમારોહમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવનની નવી શરૂઆત કરી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પાનેલાવ ગામ તેમજ આસપાસના વિસ્તારોના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દાતાશ્રીઓ દ્વારા 15 નવદંપતીઓને કન્યાદાન સાથે કરિયાવર અને વિવિધ પ્રકારની ભેટસોગાદો અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સુખમય દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચમો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- આજ ના યુવાનો માટે પોલીસ અધિકારી ની ખાસ શીખ જુઓ અમરેલી ના પી આઈ સાહેબે શું શીખ આપી આરોપી ના રિકન્સ્ટ્રક્શન સમયે1
- જંબુસર તાલુકાના નહાર ગામે શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો 🚩1
- બાજવા ગામ પંચાયત ના સામાન્ય સભા માં સદસ્યો તથા તલાટી ક્રમ મંત્રી ની રજુવાત ના આધારે જે કામ ના થવા જોઈ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ નો વિરોધ.બાજવા ગામ પંચાયત ના સદસ્યો દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અરજી આપી હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિ ના જનતા કામ થતા નથી પણ જે જગ્યા કામ નથી કરવા ના ત્યાં કામ કરે છૅ પંચાયત ની સામાન્ય સભા માં સદસ્યો અને તલાટી ક્રમ તલાટી ક્રમમંત્રી દ્વારા બરોડા સેન્ટ્રલ શોપિંગ સેન્ટર માં જ્યાં પંચાયત ના ઠરાવ હોય તૉ કામ કેમ ચાલુ કર્યું પંચાયત ના સદસ્યો ના કામ થતા નથી તૉ આ કોણ ઇસારે કામ થાય છૅ બાજવા ગામ ની જનતા કામ કેમ નથી થતા બાજવા ગામ ના તલાટી ને રજુવાત કરી છતાં કામ બંધ કરવામાં આવ્યું નથી આવનારા દિવસે જો જનતા કામ કરવામાં નય આવે તૉ પંચાયત ને તાળા બધી કરવામાં આવશે ચૂંટાયેલા સભ્યો બના કામ કેમ નથી થતા તેના અનુંસંધાન માં TDO અને DDO ને લેખિત માં અરજી કરી રજુવાત કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવામાં આવશે અને જનતા સાથે રાખી ને વિરોધ કરવા માં આવશે..1
- પંચમહાલના હાલોલની કલ્પવૃક્ષ સોસાયટીમાં એસી લેવા આવેલા ભાઈ પર તેની બહેન અને બનેવીએ હુમલો કર્યો. લોખંડના સળિયાના હુમલાથી યુવકના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.1