સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા *સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા* ૦૦૦૦૦૦૦૦ *સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંગમ સાથે નીકળેલી શાનદાર શોભાયાત્રાએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની મહિમા ઉજાગર કરી* ૦૦૦૦૦૦૦ *અમરેલી તા. ૨૬ ઑગસ્ટ* - ભારતીય સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું મહત્વ આધુનિક યુગમાં પણ જળવાઈ રહે અને યુવા પેઢી તેનાથી સુપેરે પરિચિત થાય તેવા શુભ આશય સાથે સાવરકુંડલા ખાતે 'સંસ્કૃત સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત એક અદભુત અને ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો શુભારંભ સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને પ્રજાજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાંસ્કૃતિક યાત્રામાં ૭૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ પૂર્ણ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. યાત્રામાં ખાસ તૈયાર કરવામાં આવેલા ૦૬ અદભુત ટેબલો રજૂ કરાયા હતા, જેણે પ્રાચીન વારસો અને લોકજાગૃતિનો સંદેશો અસરકારક રીતે પહોંચાડ્યો હતો. શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન ખરા અર્થમાં ભવ્ય બની રહ્યું હતું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષા કેટલી ઉપયોગી અને વૈજ્ઞાનિક છે, તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ગૌરવ યાત્રા જે.વી.મોદી હાઈસ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી. યાત્રાના સમાપન બાદ ભાગ લેનાર તમામ બાળકો અને સહભાગીઓ માટે સાત્વિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો બાળકોએ આનંદપૂર્વક આસ્વાદ માણ્યો હતો. સમગ્ર આયોજને સાવરકુંડલા શહેરમાં સાંસ્કૃતિક ચૈતનાનો નવો સંચાર કર્યો હતો. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહેલા નગરપાલિકાના પ્રમુખશ્રી નયના બહેન કાપડિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી,મામલતદાર શ્રી દેસાઈ, તાલુકા નોડલ શ્રી આશિષ જોશી, સહ નોડલ શ્રી જયેશ પરમાર, શ્રી જેન્તીભાઇ સરવૈયા, સંસ્થાના આચાર્યા શ્રી ઉષા બહેન તેરૈયા, પદાધિકારીશ્રી, વિવિધ સમાજના અગ્રણીશ્રી, સાવરકુંડલાના શહેરની માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ભાઈઓ અને બહેનો, સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા.
સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા *સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા* ૦૦૦૦૦૦૦૦ *સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંગમ સાથે નીકળેલી શાનદાર શોભાયાત્રાએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની મહિમા ઉજાગર કરી* ૦૦૦૦૦૦૦ *અમરેલી તા. ૨૬ ઑગસ્ટ* - ભારતીય સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું મહત્વ આધુનિક યુગમાં પણ જળવાઈ રહે અને યુવા પેઢી તેનાથી સુપેરે પરિચિત થાય તેવા શુભ આશય સાથે
સાવરકુંડલા ખાતે 'સંસ્કૃત સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત એક અદભુત અને ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો શુભારંભ સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને પ્રજાજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાંસ્કૃતિક યાત્રામાં ૭૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ પૂર્ણ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. યાત્રામાં ખાસ તૈયાર કરવામાં આવેલા ૦૬ અદભુત ટેબલો રજૂ કરાયા હતા, જેણે પ્રાચીન વારસો અને લોકજાગૃતિનો
સંદેશો અસરકારક રીતે પહોંચાડ્યો હતો. શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન ખરા અર્થમાં ભવ્ય બની રહ્યું હતું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષા કેટલી ઉપયોગી અને વૈજ્ઞાનિક છે, તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ગૌરવ યાત્રા જે.વી.મોદી હાઈસ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી. યાત્રાના સમાપન બાદ ભાગ લેનાર તમામ બાળકો અને સહભાગીઓ માટે સાત્વિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો
બાળકોએ આનંદપૂર્વક આસ્વાદ માણ્યો હતો. સમગ્ર આયોજને સાવરકુંડલા શહેરમાં સાંસ્કૃતિક ચૈતનાનો નવો સંચાર કર્યો હતો. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહેલા નગરપાલિકાના પ્રમુખશ્રી નયના બહેન કાપડિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી,મામલતદાર શ્રી દેસાઈ, તાલુકા નોડલ શ્રી આશિષ જોશી, સહ નોડલ શ્રી જયેશ પરમાર, શ્રી જેન્તીભાઇ સરવૈયા, સંસ્થાના આચાર્યા શ્રી ઉષા બહેન તેરૈયા, પદાધિકારીશ્રી, વિવિધ સમાજના અગ્રણીશ્રી, સાવરકુંડલાના શહેરની માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ભાઈઓ અને બહેનો, સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા.
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- પાલીતાણા જીવન ની અગત્યની જરૂરીયાત ની બાબત મા બેદરકારી .1
- રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર1
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4
- બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું. ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.1
- વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ... વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ...1