Shuru
Apke Nagar Ki App…
રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલે પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી છે અને તેમણે લતા મંગેશકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું છે કે દીકરીઓએ મર્યાદામાં રહીને આગળ વધવું જોઈએ અને સમાજે પણ આ બાબતે સાથે મળીને વિચારવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી દીકરીઓએ બચવું જોઈએ.
Vagadiya chintan dilipbhai
રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલે પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી છે અને તેમણે લતા મંગેશકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું છે કે દીકરીઓએ મર્યાદામાં રહીને આગળ વધવું જોઈએ અને સમાજે પણ આ બાબતે સાથે મળીને વિચારવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી દીકરીઓએ બચવું જોઈએ.
More news from ગુજરાત and nearby areas
- સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ ખાતે મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજ દુબે (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે અને તે બાઈક સીઝિંગનું કામ કરતો હતો. હત્યાની આ ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને તેનો આરોપી કોણ છે, તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસની ઊંડી તપાસ બાદ જ આ મામલે વધુ વિગતો બહાર આવશે.4
- જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.1
- રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.4
- અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી મોબાઇલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. નેટવર્કના અભાવને કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને કટોકટીના સમયે 108 સેવા મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં પંચાયત, પોસ્ટ ઓફિસ અને ભાલ સેવા સમિતિ જેવી અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કની અછતને લીધે આ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ સમસ્યાને કારણે બેંકમાં ડિજિટલ ખાતાં ખોલાવવા, ઓનલાઇન એન્ટ્રી કરવી તેમજ સરકારી પોર્ટલ પરની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.1
- સુરતની સીતા નગર ચોકડી ખાતે ભારે વરસાદને પગલે સ્થિતિ વણસી છે. અહીં વરસાદ બાદ સર્જાયેલા દ્રશ્યોમાં લોકોની હાલાકી સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિને કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.1
- અમરેલીના વડિયામાં પટેલ વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું આયોજન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસના વિશેષ અવસર નિમિત્તે કરવામાં આવ્યું હતું.1
- ડીંડોલી વિસ્તારમાં આવેલા અલગ-અલગ મંદિરોમાંથી દાનપેટીઓની ચોરી કરનારા આરોપીઓને ડીંડોલી પોલીસની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વિગત મુજબ, ડીંડોલીમાં અંબિકા ટાઉનશિપની સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર, કરાડવાગામની રાજદીપ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર તેમજ દેલાડવા ગામમાં દીપદર્શન સ્કૂલની સામે આવેલી દેવનંદની સોસાયટીના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરી અંગે ફરિયાદીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-૨ મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર 'આઈ' ડિવિઝન એન.પી. ગોહિલ દ્વારા અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટની સૂચના મુજબ, સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે આ સફળ કામગીરી કરીને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.4