સોમનાથ સ્વાભિમાન પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ સોમનાથ દાદાને વિશેષ મરાઠી પાઘ અર્પણ કરી સોમનાથ તા.૧૧. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્વાભિમાન, સાંસ્કૃતિક ગૌરવ અને સ્ત્રી શક્તિના ઉત્કૃષ્ટ સંકલ્પનું પ્રતિબિંબ છે. સોમનાથમાં શિવપૂજાની અખંડ પરંપરા જાળવવા માટે ભગીરથ પ્રયાસ કરનાર પુણ્ય શ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરને સ્મરણાંજલિ સ્વરૂપે વિશેષ રીતે તૈયાર કરાયેલ મરાઠી પાઘ સોમનાથ મહાદેવને પૂજા કરીને અર્પણ કરવામાં આવી. મહારાણી અહલ્યાબાઈ હોલ્કર ભારતીય સ્ત્રી શક્તિ, ધૈર્ય અને સામર્થ્યનું શાશ્વત આદર્શ રહી છે—આ ભાવનાને ઉજાગર કરતી આ પાઘ શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા નિષ્ઠા અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ પાઘમાં 21 પીતાંબર તથા ચાંદીના આભૂષણોનો સુમેળભર્યો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય સનાતન પરંપરામાં પાઘ સન્માન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. પંજાબની શીખ પાઘડી, મરાઠી અને ગુજરાતી પાઘડી, તેમજ મૈસુરની પેટા પાઘડી—આ તમામ ભારતીય સન્માન અને ઓળખના પ્રતિકો છે. જ્યારે કોઈ વ્યક્તિ સોમનાથ દાદાને પાઘ અર્પણ કરે છે, ત્યારે તે પોતાની ખ્યાતિ, ગૌરવ અને સન્માન દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને દાદાને પોતાના સન્માનના રક્ષક બનાવે છે—આ પરંપરાનો ગહન ભાવ આ પાઘમાં સમાયેલો છે. આ પાઘનું મહત્ત્વ માત્ર પૂજા સુધી સીમિત નથી. પૂજામાં અર્પણ થયા બાદ શૃંગાર પૂર્ણ થયા પછી પાઘ ખોલીને તેમાંમાંથી મળતા પીતાંબર અને સાડીઓ ગુજરાતભરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ ગૃહો અને આદિવાસી જિલ્લાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. પીતાંબરમાંથી ઝબ્બા તૈયાર કરીને પણ વિતરણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં 21,000થી વધુ લાભાર્થીઓ સુધી સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ પહોંચ્યો છે—જે દરિદ્ર નારાયણની સેવામાં શ્રદ્ધાનો અનોખો દાખલો છે. આ સાથે “સોમનાથ સ્વાભિમાન પર્વ” અંતર્ગત રજૂ થયેલી કલાત્મક કૃતિ સોમનાથના સ્વાભિમાનની યાત્રાનું સજીવ ચિત્રણ કરે છે—રાષ્ટ્રની સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથને પુનઃ પરમ વૈભવ પર સ્થાપિત કરવાની યાત્રા સુધી. ગિર પ્રદેશની ગ્રામિણ મહિલાઓ દ્વારા કીલ અને ધાગાથી નિર્મિત આ કૃતિ તેમની કલાત્મક ક્ષમતા, પરિશ્રમ અને આત્મનિર્ભરતાનો ગૌરવસભર પુરાવો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રધાનમંત્રીને અર્પિત આ વિશેષ ભેટ દ્વારા ભારતીય પરંપરા, સ્ત્રી સશક્તિકરણ અને માનવસેવા ના ત્રિવેણી સંગમને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં આવ્યો છે. અહેવાલ : જગદીશ યાદવ જુનાગઢ
સોમનાથ સ્વાભિમાન પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ સોમનાથ દાદાને વિશેષ મરાઠી પાઘ અર્પણ કરી સોમનાથ તા.૧૧. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્વાભિમાન, સાંસ્કૃતિક ગૌરવ અને સ્ત્રી શક્તિના ઉત્કૃષ્ટ સંકલ્પનું પ્રતિબિંબ છે. સોમનાથમાં શિવપૂજાની અખંડ પરંપરા જાળવવા માટે ભગીરથ પ્રયાસ કરનાર પુણ્ય શ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરને સ્મરણાંજલિ સ્વરૂપે વિશેષ રીતે તૈયાર કરાયેલ મરાઠી પાઘ સોમનાથ મહાદેવને પૂજા કરીને અર્પણ કરવામાં આવી. મહારાણી અહલ્યાબાઈ હોલ્કર ભારતીય સ્ત્રી શક્તિ, ધૈર્ય અને સામર્થ્યનું શાશ્વત આદર્શ રહી છે—આ ભાવનાને ઉજાગર કરતી આ પાઘ શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા નિષ્ઠા અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ પાઘમાં 21 પીતાંબર તથા ચાંદીના આભૂષણોનો સુમેળભર્યો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય સનાતન પરંપરામાં પાઘ સન્માન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. પંજાબની શીખ પાઘડી, મરાઠી અને ગુજરાતી પાઘડી, તેમજ મૈસુરની પેટા પાઘડી—આ તમામ ભારતીય સન્માન અને ઓળખના પ્રતિકો છે. જ્યારે કોઈ વ્યક્તિ સોમનાથ દાદાને પાઘ અર્પણ કરે છે, ત્યારે તે પોતાની ખ્યાતિ, ગૌરવ અને સન્માન દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને દાદાને પોતાના સન્માનના રક્ષક બનાવે છે—આ પરંપરાનો ગહન ભાવ આ પાઘમાં સમાયેલો છે. આ પાઘનું મહત્ત્વ માત્ર પૂજા સુધી સીમિત નથી. પૂજામાં અર્પણ થયા બાદ શૃંગાર પૂર્ણ થયા પછી પાઘ ખોલીને તેમાંમાંથી મળતા પીતાંબર અને સાડીઓ ગુજરાતભરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ ગૃહો અને આદિવાસી જિલ્લાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. પીતાંબરમાંથી ઝબ્બા તૈયાર કરીને પણ વિતરણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં 21,000થી વધુ લાભાર્થીઓ સુધી સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ પહોંચ્યો છે—જે દરિદ્ર નારાયણની સેવામાં શ્રદ્ધાનો અનોખો દાખલો છે. આ સાથે “સોમનાથ સ્વાભિમાન પર્વ” અંતર્ગત રજૂ થયેલી કલાત્મક કૃતિ સોમનાથના સ્વાભિમાનની યાત્રાનું સજીવ ચિત્રણ કરે છે—રાષ્ટ્રની સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથને પુનઃ પરમ વૈભવ પર સ્થાપિત કરવાની યાત્રા સુધી. ગિર પ્રદેશની ગ્રામિણ મહિલાઓ દ્વારા કીલ અને ધાગાથી નિર્મિત આ કૃતિ તેમની કલાત્મક ક્ષમતા, પરિશ્રમ અને આત્મનિર્ભરતાનો ગૌરવસભર પુરાવો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રધાનમંત્રીને અર્પિત આ વિશેષ ભેટ દ્વારા ભારતીય પરંપરા, સ્ત્રી સશક્તિકરણ અને માનવસેવા ના ત્રિવેણી સંગમને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં આવ્યો છે. અહેવાલ : જગદીશ યાદવ જુનાગઢ
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- motivational video1