સુરતના વાલક વિસ્તારમાં ખાડીના તેજ વહેણમાં તણાયેલા મોટા વરાછાના અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અલ્પેશભાઈ મિશન રોડથી મોટા વરાછા સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ ખાડીના જોરદાર વહેણમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ પરિવારનો ગંભીર આક્ષેપ છે કે શરૂઆતમાં તંત્ર દ્વારા શોધખોળની કામગીરીમાં પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નહોતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાની મદદ માગ્યા બાદ જ તંત્ર સક્રિય થયું હતું, પરંતુ અલ્પેશભાઈને બચાવી શકાયા નહોતા અને તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સગુન હાઇટ્સમાં રહેતા અલ્પેશભાઈ પોતાના ઘરના મુખ્ય આધારસ્તંભ હતા અને તેમની પાછળ હવે તેમનો 6 વર્ષનો માસૂમ દીકરો પિતાની રાહ જોઈ રહ્યો છે. તંત્રની બેદરકારી સામે આક્રોશ ઠાલવતા પરિવારે જણાવ્યું છે કે સરકાર એક લાખના બદલે એક કરોડ રૂપિયા આપે તો પણ તેમનો સ્વજન પાછો આવી શકે તેમ નથી. પરિવારે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે જેથી અન્ય કોઈ પરિવારે આવો કપરો સમય જોવો ન પડે.
સુરતના વાલક વિસ્તારમાં ખાડીના તેજ વહેણમાં તણાયેલા મોટા વરાછાના અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અલ્પેશભાઈ મિશન રોડથી મોટા વરાછા સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ ખાડીના જોરદાર વહેણમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ પરિવારનો ગંભીર આક્ષેપ છે કે શરૂઆતમાં તંત્ર દ્વારા શોધખોળની કામગીરીમાં પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નહોતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાની મદદ માગ્યા બાદ જ તંત્ર સક્રિય થયું હતું, પરંતુ અલ્પેશભાઈને બચાવી શકાયા નહોતા અને તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સગુન હાઇટ્સમાં રહેતા અલ્પેશભાઈ પોતાના ઘરના મુખ્ય આધારસ્તંભ હતા અને તેમની પાછળ હવે તેમનો 6 વર્ષનો માસૂમ દીકરો પિતાની રાહ જોઈ રહ્યો છે. તંત્રની બેદરકારી સામે આક્રોશ ઠાલવતા પરિવારે જણાવ્યું છે કે સરકાર એક લાખના બદલે એક કરોડ રૂપિયા આપે તો પણ તેમનો સ્વજન પાછો આવી શકે તેમ નથી. પરિવારે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે જેથી અન્ય કોઈ પરિવારે આવો કપરો સમય જોવો ન પડે.
- સુરતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપત્તિના પ્રથમ જ દિવસે અસરગ્રસ્ત વિસ્તારોના ૨,૫૦૦ થી વધુ પરિવારોને અંદાજે ₹૧.૫ કરોડની કેશડોલ (રોકડ સહાય) અને આવશ્યક ઘરવખરીના સામાનનું વિતરણ કરવામાં આવ્યું છે. વહીવટી પ્રશાસને નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ સંપૂર્ણપણે તેમની સાથે છે અને જ્યાં સુધી તમામ પ્રભાવિત પરિવારો સુધી સહાય પહોંચી નહીં જાય ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે. બીજી તરફ, આ રાહત કામગીરી વચ્ચે સ્થાનિક લોકોમાં વહીવટી આયોજન અને પ્રી-મોન્સૂન કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો પ્રશાસન વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા પહેલાં જાગીને યોગ્ય પગલાં લીધા હોત, તો હજારો પરિવારોને બેઘર થવાની કે આટલી મોટી તકલીફો ભોગવવાની નોબત ન આવી હોત. પ્રભાવિત લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આપત્તિના સમયે માત્ર ₹૨,૫૦૦ જેવી નાની આર્થિક સહાય ચૂકવીને સરકાર પોતાની વહીવટી નબળાઈઓ અને પૂર્વ-આયોજનની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી ભવિષ્યમાં આવી હોનારત અટકાવવા કાયમી અને નક્કર પગલાં ભરવામાં આવે.1
- સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) રામ બી. ગોજીયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કામરેજ ચાર રસ્તાથી લઈને એસઆરપી (SRP) બંગલા સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ કડક ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત રસ્તા પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સક્રિય જોવા મળી હતી. આ વિશેષ અભિયાન દરમિયાન જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે આડેધડ વાહનો ઊભા રાખનારાઓ, રોન્ગ સાઈડમાં બેફામ વાહન ચલાવનારા ચાલકો તેમજ કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવનારાઓ વિરુદ્ધ પોલીસે સખત લાલ આંખ કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા 100 થી વધુ વાહન ચાલકો સામે પોલીસે ઈ-ચલાન (ઓનલાઈન દંડ) ફાડવાની કડક કાર્યવાહી કરી છે. આ કાયદાકીય પગલાં દ્વારા પોલીસે તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો સ્પષ્ટ અને કડો સંદેશ આપ્યો છે.1
- સુરતની કડોદરા જીઆઈડીસી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તાતીથૈયા ગામમાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ ૨૪ વર્ષીય આકાશ અમરનાથ ગોકુલપ્રસાદ તિવારી તરીકે થઈ છે, જે હાલમાં કડોદરા ખાતે રહે છે. પોલીસે તેની પાસેથી આશરે ૯૦ હજાર રૂપિયાની કિંમતની ચોરીની મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.1
- સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.1
- સુરત શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખટોદરા પી આઇ શ્રી એન વી ભરવાડ સાહેબ દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.1
- સુરતના ઉમરવાડા વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે સલાબતપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આ કેસના ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૬ વર્ષની પૌત્રી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બ્લીડિંગ થતાં આ બાબતની જાણ પરિવારના સભ્યોને થઈ હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૨૧૦૦૫૫૨૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર મામલામાં પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી કરણરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન શ્રી ચિરાગ વાડદોરીયા સાહેબ દ્વારા પોક્સો હેઠળ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.1