Shuru
Apke Nagar Ki App…
Virendra Virendra
More news from ગુજરાત and nearby areas
- અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ3
- તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.1
- Post by Dharmik Parmar1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- હાલમાં થોડાજ દિવસો પૂર્વે માંગરોળ તાલુકાના બામણવાડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના હજુ શમતી પણ નથી ત્યાં કેશોદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ ના એરપોર્ટ રોડ પર આવેલ પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં ફરજ બજાવતા શિક્ષક નિકુંજ સાહેબ દ્વારા ધોરણ-૮માં ભણતા વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મળતી માહિતી મુજબ લેક્ચર શરૂ થાય તે પહેલાં જ શિક્ષક નિકુંજ સાહેબ ક્લાસરૂમમાં પ્રવેશી ગયા હતા અને કોઈ ખાસ કારણ વગર જ વિદ્યાર્થી પર પોતાની દાઝ ઉતારતા હોય તેમ માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને બાદમાં સ્કૂલની ઓફિસમાં જઈ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સ્કૂલ સંચાલન તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી અને ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ વિદ્યાર્થી ઘરે જઈ પોતાના માતા-પિતાને ઘટના અંગે માહિતી આપતા પેરેન્ટ્સ તરત જ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકની સારવાર બાદ પેરેન્ટ્સ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તરફ પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. મીડિયા દ્વારા સ્કૂલ સંચાલક જયેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી શિક્ષકને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવેલ છે પરંતુ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી પર હાથ ઉઠાવ્યા બાદ માત્ર શિક્ષકને છૂટા કરવાથી જ મામલો પૂરું થઈ જાય કે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી થશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક બાબત ગણાય. શિક્ષણ આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવવાની માનસિકતા ક્યારેય સ્વીકાર્ય નથી. હવે જોવું રહ્યું કે પોલીસ અને શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને નિર્દોષ વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નહીં. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- राजसभा नतिजे।1
- ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર1