Shuru
Apke Nagar Ki App…
rupan Mandir Dwarka ka mandal
Hanif Isha Bhesalia
rupan Mandir Dwarka ka mandal
More news from ગુજરાત and nearby areas
- રાજુલા-મહુવા ડુંગર રોડ પર રેલવે ફાટક અચાનક બંધ, ગુડ્સ ટ્રેન વચ્ચે અટકતા 30 મિનિટથી ટ્રાફિક જામ રાજુલા-મહુવા ડુંગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક આજે અચાનક બંધ થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેન ફાટકની વચ્ચે જ અચાનક ઉભી રહી જતા માર્ગ પર બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા સતત 30 મિનિટથી રાજુલા-મહુવા વાયા ડુંગરનો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ હાલતમાં રહ્યો છે. પરિણામે ફાટકના બંને બાજુ વાહનો અટવાઈ ગયા હતા અને ટ્રાફિક સ્થિતિ વધુ ગંભીર બની હતી. રેલવે ફાટક મેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનના એન્જિનમાં કરંટ જતો રહેતા ગુડ્સ ટ્રેન અચાનક બંધ થઈ ગઈ છે અને તેથી ટ્રેન આગળ વધી શકતી નથી. આ ઘટનાનો સમય શાળા છૂટવાના સમયે થતાં હજારો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ફાટક પાસે અટવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સમયસર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતા ભારે હેરાનગતિ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે રાજુલા રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટના સમયે યોગ્ય રીતે સક્રિય નથી અને પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા કોઈ સ્પષ્ટ પ્રયાસ દેખાતો નથી. સૌથી મોટી ચિંતા એ છે કે એન્જિન ક્યારે શરૂ થશે તે અંગે તંત્ર પાસે કોઈ જવાબ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. હાલ સ્થિતિ પર રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- ગિર અને તેની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો આજકાલ જંગલની હદો પાર કરીને માનવીય વિસ્તારોમાં અવરજવર કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ક્યારેક તેઓ રેલવે ટ્રેક સુધી પહોંચી જાય છે, જે સિંહો તેમજ માનવ જીવન માટે ગંભીર જોખમરૂપ બને છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી, જેમાં વનવિભાગ અને રેલવે પાઇલોટની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને સિંહનું જીવન બચી ગયું. આ ઘટનામાં રેલવે ટ્રેક પર એક સિંહ અચાનક આવી ચડ્યો હતો. તે સમયે 해당 ટ્રેક પરથી ટ્રેન પસાર થવાની હતી. ટ્રેનના લોકોપાઇલોટે આગળ ટ્રેક પર સિંહને નજરે ચડતાં જ સમયસર સતર્કતા દાખવી અને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન અટકાવી દીધી. સાથે જ વનવિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા. વનવિભાગની ટીમે શાંતિપૂર્વક અને સાવધાની સાથે કામગીરી કરી સિંહને ટ્રેક પરથી દૂર હાંકી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડ્યો. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. સિંહ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું વનવિભાગે જણાવ્યું છે. વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગિર અને કોસ્ટલ પટ્ટી વિસ્તારમાંથી પસાર થતા રેલવે રૂટ પર સિંહોની અવરજવર વધતી જઈ રહી છે. આથી રેલવે અને વનવિભાગ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. લોકોપાઇલોટોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે આવા સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેન ધીમી ગતિએ ચલાવવામાં આવે અને કોઈ પણ સંકેત મળતા તરત પગલાં લેવાય. આ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું કે માનવ સતર્કતા, જવાબદારી અને વિભાગીય સહકારથી પ્રકૃતિ અને વન્યજીવનનું સંરક્ષણ શક્ય છે. જો લોકોપાઇલોટ અને વનવિભાગ સમયસર સક્રિય ન બન્યા હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આ સફળ બચાવ કામગીરી વન્યજીવન સંરક્ષણ માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે અને ભવિષ્યમાં પણ આવા સંકલિત પ્રયાસો દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓના જીવ બચી રહે તે માટે માર્ગદર્શક સાબિત થશે.1
- डेनमार्क के सैनिको को सरकार श्री का सीधा आदेश।1
- પાટણ સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણ સાંસદ,રાધનપુરના BJP ધારાસભ્ય અને ભાજપ આગેવાનો મેદાને.1
- દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા કોતરવાડા જિલ્લા પંચાયત સીટ પર જન સંવાદ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ભેસાણા અને રવેલ ગામોમાં યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.સંવાદ દરમિયાન, લોકોના વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ લોકોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતજી ઠાકોર, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળદેવ બારોટ, મફજી વાઘેલા (પાલડી), યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ ચૌધરી અને પૂર્વ સરપંચ પ્રહલાદ માળી (ધરાડવ) ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણા અને રવેલના વર્તમાન સરપંચો તેમજ મોટી સંખ્યામાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ પણ આ સંવાદમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.4
- મહેસાણા સરકાર સામે મધ રાત્રે આગામી 12 જાન્યુઆરીનું ગાંધીનગર ખાતે કરવામાં આવનાર શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. કિસાન સંઘ નું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની મુખ્ય બાર માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા. શું ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ વાતનો સંતોષ ખરા અર્થમાં થયો છે ખરો? મોટા ઉપાડે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે તે બાબતે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ દ્વારા આવ્યું મોટું નિવેદન રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- ट्रम्प का तेल भंडार पर कब्जा।1
- દિયોદર પોલીસ મથકે રાધનપુરની આરાધના બચત મંડળીના બ્રાંચ મેનેજર ભાવેશ કાકડીયા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપી લગ્ન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીએ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મેનેજર ભાવેશ કાકડીયાએ યુવતીને ઓફિસમાં રજીસ્ટરો લખવાના બહાને બોલાવી હતી. ત્યાં તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે મેનેજરે ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ દ્વારા બદનામ કરવાની ધમકી આપીને આ કૃત્ય કર્યું હતું.આ ઉપરાંત, યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ તેને ધાકધમકી આપીને તેની સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. દિયોદર પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.2
- #viral #vaiyral #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad1