વેરાવળમાં ૧૧૬ વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસે પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ કુહાડા, તથા પંચ પટેલ સભ્યો દ્વારા વેરાવળમાં ૧૧૬ વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસે પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ કુહાડા, તથા પંચ પટેલ સભ્યો દ્વારા ધ્વજારોહણ કરી ને કામનાથ મહાદેવ નો ડાયરો ઉજવવામાં આવ્યો શ્રી કામનાથ મહાદેવ ૧૧૬ વર્ષ પૂર્ણ ધ્વજારોહણ મહોત્સવ तथा કામનાથ મહાદેવ નો ડાયરો વેરાવળ ખારવાવાડ વિસ્તારમાં આવેલા ૧૧૬ વર્ષ જુના ઐતિહાસિક શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસના પાવન દિવસે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ, વિશેષ પૂજા-અર્ચના અને પરંપરાગત ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, પંચ સભ્યો તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કામનાથ મહાદેવ ની મહા પૂજા અને જલઅભિષેક પણ સમાજ પટેલશ્રી જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવેલ પ્રાચીન મંદિરે શ્રી કામનાથ મહાદેવ ને શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા, જળાભિષેક અને મહાઆરતી સંપન્ન થઈ હતી. આજે મંદિરના ૧૧૬ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રદ્વાળુઓમાં અનેરો ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વર્ષોની પરંપરા મુજબ શ્રી કામનાથ મહાદેવના સાનિધ્યમાં કાવુ કસુંછો પણ ચડાવીને કામનાથનો ડાયરો ઉજવવામાં આવ્યો આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવો વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઈ આગીયા વેરાવળ મચ્છીમાર બોટ એસોસિએશન ના ઉપ-પ્રમુખ બાલભાઈ કોટીયા હોડી એસોર્સિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડીયા તથા પંચ પટેલ સભયો તથા ખારવા સમાજના આગ્રણીઓ અને ભાાવક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં ૧૧૬ વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસે પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ કુહાડા, તથા પંચ પટેલ સભ્યો દ્વારા વેરાવળમાં ૧૧૬ વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસે પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ કુહાડા, તથા પંચ પટેલ સભ્યો દ્વારા ધ્વજારોહણ કરી ને કામનાથ મહાદેવ નો ડાયરો ઉજવવામાં આવ્યો શ્રી કામનાથ મહાદેવ ૧૧૬ વર્ષ પૂર્ણ ધ્વજારોહણ મહોત્સવ तथा કામનાથ મહાદેવ નો ડાયરો વેરાવળ ખારવાવાડ વિસ્તારમાં આવેલા ૧૧૬ વર્ષ જુના ઐતિહાસિક શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસના પાવન દિવસે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ, વિશેષ પૂજા-અર્ચના અને પરંપરાગત ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, પંચ સભ્યો તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કામનાથ મહાદેવ ની મહા પૂજા અને જલઅભિષેક પણ સમાજ પટેલશ્રી જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવેલ પ્રાચીન મંદિરે શ્રી કામનાથ મહાદેવ ને શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા, જળાભિષેક અને મહાઆરતી સંપન્ન થઈ હતી. આજે મંદિરના ૧૧૬ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રદ્વાળુઓમાં અનેરો ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વર્ષોની પરંપરા મુજબ શ્રી કામનાથ મહાદેવના સાનિધ્યમાં કાવુ કસુંછો પણ ચડાવીને કામનાથનો ડાયરો ઉજવવામાં આવ્યો આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવો વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઈ આગીયા વેરાવળ મચ્છીમાર બોટ એસોસિએશન ના ઉપ-પ્રમુખ બાલભાઈ કોટીયા હોડી એસોર્સિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડીયા તથા પંચ પટેલ સભયો તથા ખારવા સમાજના આગ્રણીઓ અને ભાાવક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- 🦁GiR GiR1
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4
- ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.1
- કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.3
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું. ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.1
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે, ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1