logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

3 hrs ago
user_Raju Thakor
Raju Thakor
Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
3 hrs ago

કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • મહેસાણા અમદાવાદ હાઇવે પર પાલવાસણા બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એક ટ્રક અધવચ્ચે બગડી જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.
    1
    મહેસાણા અમદાવાદ હાઇવે પર પાલવાસણા બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એક ટ્રક અધવચ્ચે બગડી જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.
    user_Radhika bhavsar
    Radhika bhavsar
    Digital Marketing Specialist Mahesana, Gujarat•
    1 hr ago
  • અમદાવાદ સાર્થી ડ્રાઇવર સર્વિસ, જેનું સંચાલન સતીષભાઈ થલતેજ, અમદાવાદથી કરે છે, તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડ્રાઇવરોની સેવા પૂરી પાડે છે. જો તમને અમદાવાદમાં ડ્રાઇવરની જરૂર હોય, તો આ સેવા ઓન-ડિમાન્ડ ડ્રાઇવરો, ઘર અને ઓફિસ માટે કાયમી ડ્રાઇવરો, સ્થાનિક અને આઉટસ્ટેશન ટ્રિપ્સ માટે ડ્રાઇવરો, તેમજ લગ્ન અને અન્ય ઇવેન્ટ્સ માટે ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવે છે. તેમની સેવાઓની મુખ્ય વિશેષતાઓમાં અનુભવી અને ચકાસાયેલ ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, જેઓ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારની ગાડીઓ ચલાવવામાં સક્ષમ છે. ખાસ કરીને, તે જ દિવસે ડ્રાઇવરની ઉપલબ્ધતા પણ શક્ય છે. અમદાવાદના પરિવારો અને વ્યવસાય માલિકો દ્વારા વિશ્વસનીય આ સેવા થલતેજ, એસજી હાઈવે, સેટેલાઇટ, બોપલ, ગોતા, ચાંદખેડા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા ડ્રાઇવર બુક કરવા માટે, 97265 85975 પર કૉલ અથવા વોટ્સએપ કરી શકો છો. આ સેવા તમારી સલામતી, તમારી સુવિધા અને તમારા ડ્રાઇવરને પ્રાથમિકતા આપે છે.
    1
    અમદાવાદ સાર્થી ડ્રાઇવર સર્વિસ, જેનું સંચાલન સતીષભાઈ થલતેજ, અમદાવાદથી કરે છે, તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડ્રાઇવરોની સેવા પૂરી પાડે છે. જો તમને અમદાવાદમાં ડ્રાઇવરની જરૂર હોય, તો આ સેવા ઓન-ડિમાન્ડ ડ્રાઇવરો, ઘર અને ઓફિસ માટે કાયમી ડ્રાઇવરો, સ્થાનિક અને આઉટસ્ટેશન ટ્રિપ્સ માટે ડ્રાઇવરો, તેમજ લગ્ન અને અન્ય ઇવેન્ટ્સ માટે ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવે છે. તેમની સેવાઓની મુખ્ય વિશેષતાઓમાં અનુભવી અને ચકાસાયેલ ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, જેઓ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારની ગાડીઓ ચલાવવામાં સક્ષમ છે. ખાસ કરીને, તે જ દિવસે ડ્રાઇવરની ઉપલબ્ધતા પણ શક્ય છે. અમદાવાદના પરિવારો અને વ્યવસાય માલિકો દ્વારા વિશ્વસનીય આ સેવા થલતેજ, એસજી હાઈવે, સેટેલાઇટ, બોપલ, ગોતા, ચાંદખેડા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા ડ્રાઇવર બુક કરવા માટે, 97265 85975 પર કૉલ અથવા વોટ્સએપ કરી શકો છો. આ સેવા તમારી સલામતી, તમારી સુવિધા અને તમારા ડ્રાઇવરને પ્રાથમિકતા આપે છે.
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની એક નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં ફ્લાઈટના ટોઇલેટમાં આવેલા સ્પીકરમાંથી ₹4 કરોડનું સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું.
    1
    અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની એક નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં ફ્લાઈટના ટોઇલેટમાં આવેલા સ્પીકરમાંથી ₹4 કરોડનું સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું.
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી બ્રિજલાલ ભટ્ટ જમ્મુ અને કાશ્મીરમાં તેમની સક્રિય સેવા દરમિયાનના અનુકરણીય યોગદાન બાદ શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપતી તેમની વિશિષ્ટ સામાજિક સેવા માટે જાણીતા છે. શ્રી ભટ્ટ બાગાયતમાં અનુસ્નાતક છે અને તેમણે યુએસએની વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાંથી "માર્કેટિંગ અને રેફ્રિજરેશન" માં વિશેષ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના કૃષિ અને બાગાયતી ક્ષેત્રોમાં કૃષિ નિકાસ ઝોનમાં પ્રોજેક્ટ ડિરેક્ટર, વિશ્વ બેંક દ્વારા સહાયિત "ઇન્ડો ઓસ્ટ્રેલિયન / ઇટાલિયન પ્રોજેક્ટ્સ" માં મુખ્ય કાર્યકારી અધિકારી અને રાજ્યના બાગાયતી આયોજન અને માર્કેટિંગમાં ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે.
    1
    પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી બ્રિજલાલ ભટ્ટ જમ્મુ અને કાશ્મીરમાં તેમની સક્રિય સેવા દરમિયાનના અનુકરણીય યોગદાન બાદ શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપતી તેમની વિશિષ્ટ સામાજિક સેવા માટે જાણીતા છે.

શ્રી ભટ્ટ બાગાયતમાં અનુસ્નાતક છે અને તેમણે યુએસએની વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાંથી "માર્કેટિંગ અને રેફ્રિજરેશન" માં વિશેષ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના કૃષિ અને બાગાયતી ક્ષેત્રોમાં કૃષિ નિકાસ ઝોનમાં પ્રોજેક્ટ ડિરેક્ટર, વિશ્વ બેંક દ્વારા સહાયિત "ઇન્ડો ઓસ્ટ્રેલિયન / ઇટાલિયન પ્રોજેક્ટ્સ" માં મુખ્ય કાર્યકારી અધિકારી અને રાજ્યના બાગાયતી આયોજન અને માર્કેટિંગમાં ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • માંડલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે માંડલ શ્રી વિદ્યાલય ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માહિતી આપવામાં આવી હતી, અને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ તથા નિરોગી સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. વિશ્વ યોગ દિવસના અવસરે માંડલ તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને યોગ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય અને શાંતિનો માર્ગ બતાવે છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    3
    માંડલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે માંડલ શ્રી વિદ્યાલય ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માહિતી આપવામાં આવી હતી, અને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ તથા નિરોગી સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. વિશ્વ યોગ દિવસના અવસરે માંડલ તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને યોગ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય અને શાંતિનો માર્ગ બતાવે છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • ગુજરાતના કડી તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 4 હત્યાઓની ઘટનાઓ બનતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઠાકોરે આ હત્યાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
    1
    ગુજરાતના કડી તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 4 હત્યાઓની ઘટનાઓ બનતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઠાકોરે આ હત્યાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • અમદાવાદમાં એક ગેસ એજન્સીમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
    1
    અમદાવાદમાં એક ગેસ એજન્સીમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
    user_Aima hindi news
    Aima hindi news
    News Anchor ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.