logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જસદણ તાલુકાના કોઠી ગામમાં એક પરણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક કાજલબેન મોડી રાત્રે ઘરેથી ગુમ થયા હતા, જેમનો મૃતદેહ આજે વહેલી સવારે ઘરની બાજુની વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. માહિતી મળતા જ જસદણ પોલીસ, ASP, SOG, LCB, FSL અને ડોગ સ્કવોડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પુરાવા તથા સેમ્પલ એકત્ર કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય અને હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

2 hrs ago
user_કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
જસદણ, રાજકોટ, ગુજરાત•
2 hrs ago

જસદણ તાલુકાના કોઠી ગામમાં એક પરણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક કાજલબેન મોડી રાત્રે ઘરેથી ગુમ થયા હતા, જેમનો મૃતદેહ આજે વહેલી સવારે ઘરની બાજુની વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. માહિતી મળતા જ જસદણ પોલીસ, ASP, SOG, LCB, FSL અને ડોગ સ્કવોડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પુરાવા તથા સેમ્પલ એકત્ર કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય અને હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • જસદણ શહેરમાં બાઈક સ્ટંટ કરતા કેટલાક યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ હાઈવે રોડ પર બાઇક સ્ટંટ કરતા યુવાનોનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બે દિવસ પહેલા જસદણ-આટકોટ રોડ પર થયેલા સ્ટંટનો હતો. આ મામલે જસદણ પોલીસે બાઇક સ્ટંટ કરતા 5 સગીર યુવકોની ધરપકડ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ યુવકો જસદણ-આટકોટ રોડ પર બાઇક પર આડા સૂઈને તેને પૂરપાટ ઝડપે ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા. યુવકો સગીર હોવાથી તેમના વાલીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    4
    જસદણ શહેરમાં બાઈક સ્ટંટ કરતા કેટલાક યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ હાઈવે રોડ પર બાઇક સ્ટંટ કરતા યુવાનોનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બે દિવસ પહેલા જસદણ-આટકોટ રોડ પર થયેલા સ્ટંટનો હતો.

આ મામલે જસદણ પોલીસે બાઇક સ્ટંટ કરતા 5 સગીર યુવકોની ધરપકડ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ યુવકો જસદણ-આટકોટ રોડ પર બાઇક પર આડા સૂઈને તેને પૂરપાટ ઝડપે ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા. યુવકો સગીર હોવાથી તેમના વાલીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • સાવરકુંડલા ખાતે આવેલા શ્રી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ ખાતે ૨૪ કલાક અખંડ ધૂન સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
    1
    સાવરકુંડલા ખાતે આવેલા શ્રી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ ખાતે ૨૪ કલાક અખંડ ધૂન સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    56 min ago
  • બોટાદ LCB પોલીસે પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
    1
    બોટાદ LCB પોલીસે પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    2 hrs ago
  • બોટાદના ગઢડા તાલુકાના લાઠીદડ ગામમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂ. ૨.૪૮ લાખ પડાવવામાં આવ્યા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ યુવકને બળાત્કારના કેસમાં ફસાવવાની અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આ રકમ પડાવી હોવાનો આરોપ છે. આ મામલે ગઢડા પોલીસે ધનાભાઈ રાહાભાઈ પરમાર નામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટના અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૩૦૮(૭), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    1
    બોટાદના ગઢડા તાલુકાના લાઠીદડ ગામમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂ. ૨.૪૮ લાખ પડાવવામાં આવ્યા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ યુવકને બળાત્કારના કેસમાં ફસાવવાની અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આ રકમ પડાવી હોવાનો આરોપ છે. આ મામલે ગઢડા પોલીસે ધનાભાઈ રાહાભાઈ પરમાર નામના એક શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે આ ઘટના અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૩૦૮(૭), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • રાજ્ય સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી’ અંતર્ગત અમરેલી જિલ્લામાં યોજાયેલી પ્રથમ પ્રગતિપથ યાત્રાનું ૧૫ જૂન, ૨૦૨૬ (સોમવાર) ના રોજ સમાપન થયું. આ યાત્રા જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતના પ્રકલ્પોની મુલાકાત લઈ તેમની પ્રગતિનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ પ્રગતિપથ યાત્રામાં ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન અમરેલીની વિરાટ શેડ ધરાવતી એ.પી.એમ.સી.ની મુલાકાત લેવાઈ હતી. ઉપરાંત, આશરે ૨૫ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સાવરકુંડલાના અમૃત સરોવરની મુલાકાત લઈ ત્યાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા ખાતે જિલ્લા પ્રભારીમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત અને સત્કાર સમારંભ પણ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી જીતુભાઈ વાઘાણીએ સાવરકુંડલા શહેરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃત સરોવર જેવા પ્રકલ્પો માત્ર જળસંચય માટે જ નહીં, પરંતુ પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. સાવરકુંડલાનું અમૃત સરોવર પ્રથમ તબક્કામાં આશરે રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે બીજા તબક્કામાં રૂ. ૯ કરોડના ખર્ચે તેના વધુ વિકાસના કાર્યો પ્રગતિ હેઠળ છે. પ્રગતિપથ યાત્રાના પ્રારંભ પૂર્વે અમરેલી ખાતે રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી સિદ્ધિઓને ઉજાગર કરતું એક પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલી વિકાસગાથાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રદર્શનમાં અમરેલી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, માર્ગ અને મકાન સુવિધાઓ, ગ્રામ અને શહેરી વિસ્તારોમાં થયેલું વીજળીકરણ, નંદઘર પ્રકલ્પો, સિંચાઈ અને જળસંપત્તિ ક્ષેત્રે થયેલા વિકાસ સહિતની સિદ્ધિઓને તસવીરો અને માહિતીના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ યાત્રાએ વિકાસના કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
    1
    રાજ્ય સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી’ અંતર્ગત અમરેલી જિલ્લામાં યોજાયેલી પ્રથમ પ્રગતિપથ યાત્રાનું ૧૫ જૂન, ૨૦૨૬ (સોમવાર) ના રોજ સમાપન થયું. આ યાત્રા જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતના પ્રકલ્પોની મુલાકાત લઈ તેમની પ્રગતિનું અવલોકન કરવામાં આવ્યું હતું.

આ પ્રગતિપથ યાત્રામાં ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન અમરેલીની વિરાટ શેડ ધરાવતી એ.પી.એમ.સી.ની મુલાકાત લેવાઈ હતી. ઉપરાંત, આશરે ૨૫ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સાવરકુંડલાના અમૃત સરોવરની મુલાકાત લઈ ત્યાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા ખાતે જિલ્લા પ્રભારીમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત અને સત્કાર સમારંભ પણ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રી જીતુભાઈ વાઘાણીએ સાવરકુંડલા શહેરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃત સરોવર જેવા પ્રકલ્પો માત્ર જળસંચય માટે જ નહીં, પરંતુ પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. સાવરકુંડલાનું અમૃત સરોવર પ્રથમ તબક્કામાં આશરે રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે બીજા તબક્કામાં રૂ. ૯ કરોડના ખર્ચે તેના વધુ વિકાસના કાર્યો પ્રગતિ હેઠળ છે.

પ્રગતિપથ યાત્રાના પ્રારંભ પૂર્વે અમરેલી ખાતે રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી સિદ્ધિઓને ઉજાગર કરતું એક પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલી વિકાસગાથાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રદર્શનમાં અમરેલી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, માર્ગ અને મકાન સુવિધાઓ, ગ્રામ અને શહેરી વિસ્તારોમાં થયેલું વીજળીકરણ, નંદઘર પ્રકલ્પો, સિંચાઈ અને જળસંપત્તિ ક્ષેત્રે થયેલા વિકાસ સહિતની સિદ્ધિઓને તસવીરો અને માહિતીના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ યાત્રાએ વિકાસના કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • પવિત્ર સોમવતી અમાસના દિવસે ગીર સોમનાથમાં આવેલા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનો અભૂતપૂર્વ ભક્તિસાગર છલકાઈ રહ્યો છે. સનાતન ધર્મમાં ધર્મ, કર્મ અને પુણ્ય અર્જન માટે પવિત્ર મનાતા પુરુષોત્તમ માસની સમાપ્તિ અને અમાસ તથા સોમવારના પવિત્ર સંયોગને કારણે સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, જેમાં સવારની આરતી અને દર્શન માટે હજારો ભક્તોની ભીડથી મંદિર પરિસર તરબોળ થઈ ગયું હતું. ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ છે, ત્યારે બે લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવો માહોલ દેખાઈ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુરક્ષા, દર્શન અને અન્ય વ્યવસ્થાઓને સુદૃઢ કરવામાં આવી છે, અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.
    4
    પવિત્ર સોમવતી અમાસના દિવસે ગીર સોમનાથમાં આવેલા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનો અભૂતપૂર્વ ભક્તિસાગર છલકાઈ રહ્યો છે. સનાતન ધર્મમાં ધર્મ, કર્મ અને પુણ્ય અર્જન માટે પવિત્ર મનાતા પુરુષોત્તમ માસની સમાપ્તિ અને અમાસ તથા સોમવારના પવિત્ર સંયોગને કારણે સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, જેમાં સવારની આરતી અને દર્શન માટે હજારો ભક્તોની ભીડથી મંદિર પરિસર તરબોળ થઈ ગયું હતું.

ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ છે, ત્યારે બે લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવો માહોલ દેખાઈ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુરક્ષા, દર્શન અને અન્ય વ્યવસ્થાઓને સુદૃઢ કરવામાં આવી છે, અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપી રોહિતભાઈ કડવાભાઈ વેકરિયાને જસદણ નજીક ગોખલાણા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. લીખાળા, તા. સાવરકુંડલા, જી. અમરેલીના રહેવાસી આરોપી વિરુદ્ધ BNS કલમ 108, 308(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપી રોહિતભાઈ કડવાભાઈ વેકરિયાને જસદણ નજીક ગોખલાણા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. લીખાળા, તા. સાવરકુંડલા, જી. અમરેલીના રહેવાસી આરોપી વિરુદ્ધ BNS કલમ 108, 308(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
    કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • જસદણ તાલુકાના કોઠી ગામમાં એક પરણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક કાજલબેન મોડી રાત્રે ઘરેથી ગુમ થયા હતા, જેમનો મૃતદેહ આજે વહેલી સવારે ઘરની બાજુની વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. માહિતી મળતા જ જસદણ પોલીસ, ASP, SOG, LCB, FSL અને ડોગ સ્કવોડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પુરાવા તથા સેમ્પલ એકત્ર કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય અને હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    જસદણ તાલુકાના કોઠી ગામમાં એક પરણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક કાજલબેન મોડી રાત્રે ઘરેથી ગુમ થયા હતા, જેમનો મૃતદેહ આજે વહેલી સવારે ઘરની બાજુની વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. માહિતી મળતા જ જસદણ પોલીસ, ASP, SOG, LCB, FSL અને ડોગ સ્કવોડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પુરાવા તથા સેમ્પલ એકત્ર કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય અને હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
    કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.