તા. 24 જૂન, 2026ના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળના રબારી નેસ વિસ્તારમાં, જૂનાગઢ શહેર નજીકથી આશરે 7 થી 8 માસના એક નર સિંહબાળનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને વૈજ્ઞાનિક તેમજ કાયદાકીય ધોરણો અનુસાર તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓ જોવા મળતા વન વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ વિશ્લેષણ તથા માનવબાતમીના આધારે બાવન પુનાભાઈ ચાવડાની શંકાસ્પદ આરોપી તરીકે ઓળખ થઈ હતી. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, પરંતુ જૂનાગઢ વન વિભાગે સતત શોધખોળ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ગઈ મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. હાલ તેને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની વિશેષ પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓની પુષ્ટિ થઈ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ઘટનાસ્થળ અને સંબંધિત અન્ય સ્થળોએથી પણ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક પુરાવાઓના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ તેને માનનીય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. જૂનાગઢ વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ બાબતે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તા. 24 જૂન, 2026ના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળના રબારી નેસ વિસ્તારમાં, જૂનાગઢ શહેર નજીકથી આશરે 7 થી 8 માસના એક નર સિંહબાળનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને વૈજ્ઞાનિક તેમજ કાયદાકીય ધોરણો અનુસાર તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓ જોવા મળતા વન
વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ વિશ્લેષણ તથા માનવબાતમીના આધારે બાવન પુનાભાઈ ચાવડાની શંકાસ્પદ આરોપી તરીકે ઓળખ થઈ હતી. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, પરંતુ જૂનાગઢ વન વિભાગે સતત શોધખોળ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ગઈ મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન
ચલાવવામાં આવ્યું હતું, જેમાં આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. હાલ તેને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની વિશેષ પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓની પુષ્ટિ થઈ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ઘટનાસ્થળ અને સંબંધિત અન્ય સ્થળોએથી પણ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જેના આધારે વધુ તપાસ
ચાલુ છે. પ્રાથમિક પુરાવાઓના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ તેને માનનીય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. જૂનાગઢ વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ બાબતે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
- તા. 24 જૂન, 2026ના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળના રબારી નેસ વિસ્તારમાં, જૂનાગઢ શહેર નજીકથી આશરે 7 થી 8 માસના એક નર સિંહબાળનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને વૈજ્ઞાનિક તેમજ કાયદાકીય ધોરણો અનુસાર તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓ જોવા મળતા વન વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ વિશ્લેષણ તથા માનવબાતમીના આધારે બાવન પુનાભાઈ ચાવડાની શંકાસ્પદ આરોપી તરીકે ઓળખ થઈ હતી. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, પરંતુ જૂનાગઢ વન વિભાગે સતત શોધખોળ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ગઈ મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. હાલ તેને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની વિશેષ પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓની પુષ્ટિ થઈ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ઘટનાસ્થળ અને સંબંધિત અન્ય સ્થળોએથી પણ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક પુરાવાઓના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ તેને માનનીય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. જૂનાગઢ વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ બાબતે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.4
- વંથલી તાલુકાના ઝાપોદડ ગામમાં દીપડાનું આગમન થયું હોવાના અહેવાલ મળ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ આ દીપડાના આગમનના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે.2
- વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં આવેલા સંતોષ ટિફિન સેવા કેન્દ્રને સહયોગ આપવા માટે ભજન-ધુન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થાણાપીપળીના પ્રખ્યાત રાધે કૃષ્ણ ધુન મંડળ દ્વારા યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ સેવા કેન્દ્રને દાનમાં મળેલા રોટી મેકર અને લોટ બાંધવાના મશીનના ભીમ અગિયારસના પાવન દિવસે થનારા મુહૂર્તના અનુસંધાનમાં સામાજિક સહયોગ એકત્ર કરવાનો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ભજન-કીર્તન અને ધુનના માહોલ વચ્ચે સમાજસેવાના આ કાર્ય માટે સહયોગની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ધુન મંડળ દ્વારા કુલ ₹53,000નો ફાળો એકત્રિત કરવામાં આવ્યો, જે સંપૂર્ણ રકમ સંતોષ ટિફિન સેવા કેન્દ્રને અર્પણ કરવામાં આવી હતી. આ સહયોગથી સેવા કેન્દ્રની કામગીરીને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. આ પ્રસંગે ગ્રામજનોએ સેવા કેન્દ્રના નિઃસ્વાર્થ કાર્યને બિરદાવી યથાશક્તિ આર્થિક સહયોગ આપ્યો હતો, અને ગામના આગેવાનો, દાતાશ્રીઓ તથા ભક્તજનોએ સેવા પ્રવૃત્તિ સતત આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.1
- રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ફ્લોર મિલ ચલાવતા સચિનભાઈ વિનોદભાઈ ભદ્રેસરાના આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. તેમની પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, સચિનભાઈએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને તેમની સુસાઈડ નોટ તેમજ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીમાં રહેતા અને તોરણીયા ગામે અનાજ દળવાની ઘંટી ચલાવતા સચિનભાઈએ પોતાના જૂના મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સચિનભાઈએ આ અંતિમ પગલું ભરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ મામલે તેમની પત્ની જયશ્રીબેન ભદ્રેસરાએ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સચિનભાઈએ જૂનાગઢના ખામધોરલ રોડ પર આવેલા સાંઈબાબા મંદિર પાસેનો પોતાનો એક પ્લોટ પ્રવિણભાઈ મસાલીયાને વેચ્યો હતો, જેના ₹૨૧,૦૦,૦૦૦ હજુ સુધી ચૂકવાયા નહોતા. આ ઉપરાંત, જૂનાગઢના સ્વસ્તિક નગરમાં આવેલું તેમનું મકાન પણ હર્ષદભાઈ મસાલીયાને વેચવામાં આવ્યું હતું, જેના ₹૯,૫૦,૦૦૦ આજદિન સુધી ચૂકવવામાં આવ્યા નહોતા. બાકી નીકળતા રૂપિયા માટે સચિનભાઈએ અનેકવાર રજૂઆતો કરી હતી. જોકે, આરોપીઓ દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવતી હતી કે જો તેઓ કોઈને વાત કરશે તો રૂપિયા નહીં મળે. સતત ધાક-ધમકીઓથી કંટાળીને અને બાકી નીકળતા રૂપિયાની વસૂલાત ન થતાં આખરે સચિનભાઈએ આત્મહત્યા કરી લીધી. ધોરાજી પોલીસે સુસાઈડ નોટ અને ફરિયાદના આધારે તપાસ ચલાવીને જૂનાગઢના બંને આરોપીઓ પ્રવિણભાઈ મસાલીયા અને હર્ષદભાઈ મસાલીયાને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. એ.એસ.પી. સિમરન ભારદ્વાજે પણ આ અંગે ધરપકડની પુષ્ટિ કરી છે.1
- ઉના શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતી ફિલ્મ 'મિત્રતા'ના શૂટિંગ માટે ફિલ્મના ડિરેક્ટર અને તેમની ટીમ પહોંચતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના વિવિધ દૃશ્યોનું શૂટિંગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરવામાં આવનાર છે. ફિલ્મના કલાકારો, ટેકનિકલ સ્ટાફ અને શૂટિંગ માટે જરૂરી સાધનો સાથે ટીમે સ્થળ પર તૈયારીઓ શરૂ કરી હતી. આ શૂટિંગ જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા.2
- અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ (શુક્રવારે) એક અત્યંત દુઃખદ ઘટના બની હતી, જ્યાં વન્યપ્રાણીના આકસ્મિક હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ અવસાન થયું. આ ઘટના ત્યારે બની જ્યારે બાળક પોતાના દાદા સાથે હાથ પકડીને ગામની દૂધ ડેરી તરફ જઈ રહ્યું હતું. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની ગંભીર લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટનાને પગલે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ચતુરી ગામની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા. મંત્રીશ્રીએ ભારે હૃદયે દુઃખ વ્યક્ત કરીને પરિવારજનોને ઊંડી સંવેદનાઓ પાઠવી સાંત્વના આપી હતી. તેમણે જણાવ્યું કે, વન વિભાગ સહિત સમગ્ર રાજ્ય સરકાર આ અસહ્ય દુઃખની ઘડીમાં પીડિત પરિવારની સાથે અડગપણે ઊભી છે. મંત્રીશ્રીએ બાળકના અકાળે અવસાન અંગે ગહન શોક વ્યક્ત કરી મૌન શોકાંજલિ અર્પણ કરી હતી. મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ચતુરી ગામના ગ્રામજનોએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે મંત્રીશ્રીએ ખાતરી આપી કે સરકાર લાંબા અને ટૂંકા ગાળાના પગલાં ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે. વધુમાં, મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં આવા કિસ્સાઓ ધ્યાને આવતા સરકારે સિંહોના બદલાયેલા વર્તન અને વ્યવહાર અંગે વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું છે. આ મુલાકાત સમયે ધારી-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર, તાલુકા પંચાયતના અગ્રણીઓ અને આગેવાનો, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, રાજ્યના મુખ્ય વન સંરક્ષક (પી.સી.સી.એફ.) શ્રી ડો. જયપાલ સિંહ, જૂનાગઢના સી.એફ. શ્રી ડો. રામ રતન નાલા, ધારી ગીર પૂર્વ ડી.સી.એફ. વિકાસ યાદવ, ધારી પ્રાંત અધિકારી શ્રી અર્પણ ચાવડા, પોલીસ અધિકારીશ્રીઓ, વન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.1
- રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પર્વના અવસરે પરંપરાગત અને અત્યંત કલાત્મક તાજીયા પડમાં આવ્યા છે, જેને પગલે મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ આ તાજીયાઓ પ્રદર્શિત કરાયા હતા અને આજે મોડી રાત્રે તેમને ભક્તિભાવપૂર્વક ટાઢા કરવામાં આવશે. મોહરમ પર્વની તૈયારીઓ ધોરાજી પંથકમાં ઘણા સમયથી ચાલી રહી હતી. આ તાજીયા મુખ્યત્વે ઇમામ હુસૈન અને કરબલાની લડાઈના શહીદોની યાદમાં પ્રતીકાત્મક સ્મારક તરીકે સ્થાપિત કરવામાં આવે છે. કરબલાની આ ઘટના અન્યાય સામે સત્ય માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે, અને આ જ સત્ય તથા ન્યાયના સંદેશ સાથે મુસ્લિમ સમાજના લોકો તાજીયા બનાવી ઝુલુસમાં ઉત્સાહભેર ભાગ લે છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં તાજીયાને ચોક વચ્ચે રાખવામાં આવ્યા છે, જ્યાંથી લોકો વારાફરતી એકત્રિત થઈને બહારપુરા વિસ્તારમાં ભેગા થાય છે અને આખી રાત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પર્વ દરમિયાન હિન્દુ-મુસ્લિમ બિરાદરો વચ્ચે કોમી એકતાનું અદભુત પ્રતિક જોવા મળે છે. તમામ ધર્મના લોકો તાજીયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ઉલ્લેખનીય છે કે રાજાશાહીના સમયથી બનતા પરંપરાગત તાજીયા આજે પણ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે ચોમાસું મોડું થવાની આગાહી વચ્ચે ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં હજુ સુધી યોગ્ય વરસાદ પડ્યો ન હોવાથી, આ ધાર્મિક અવસરે અગ્રણીઓ અને ભક્તોએ ભગવાન અને અલ્લાહ સમક્ષ વહેલી તકે સમયસર સારો વરસાદ આવે તેવી ખાસ પ્રાર્થના કરી હતી. આમ, ધોરાજીમાં મોહરમ પર્વ ભક્તિ, એકતા અને ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે.1
- ગુજરાતના અમરેલીમાં ફરી એક સિંહબાળનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગની કામગીરી અને કાર્યપદ્ધતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.1