logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*વઢવાણ હવામહેલ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નુ આયોજન કરાયું, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે શુભારંભ કરાયો,* વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે. ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

17 hrs ago
user_Maheshbhai uteriya
Maheshbhai uteriya
વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
17 hrs ago

*વઢવાણ હવામહેલ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નુ આયોજન કરાયું, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે શુભારંભ કરાયો,* વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે. ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

More news from Botad and nearby areas
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    17 hrs ago
  • *પ્રોહિબિશનના કેસ આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધંધુકા વિભાગના માર્ગદર્શન હેઠળ, બી.સી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, ધંધુકા પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં આ કામગીરી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે હડાળા ગામે, આણંદપુર જવાના રોડ પર આવેલી બાપા સીતારામની મઢી પાસે, આરોપી મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) અને વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ત.કો.) પોતાની ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખતા ઝડપાયા. પોલીસે 750 ML ની કુલ 180 બોટલો, જેની કિંમત રૂ. 2,52,000/- હતી, જપ્ત કરી. આ ઉપરાંત, ફોરવ્હીલ ગાડી (કિંમત રૂ. 8,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) પણ જપ્ત કરવામાં આવ્યો, આમ કુલ રૂ. 10,67,000/- નો મુદ્દામાલ જપ્ત થયો. આરોપી નં. 1 વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ઉંમર 27, રહે. લીંબડી, મીલરોડ, તબેલામાં, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી પકડાયા, જ્યારે આરોપી નં. 2 મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) (રહે. લીંબડી, કબીર આશ્રમ પાસે, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી નાસી છૂટ્યા.
    1
    *પ્રોહિબિશનના કેસ આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.*
ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધંધુકા વિભાગના માર્ગદર્શન હેઠળ, બી.સી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, ધંધુકા પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં આ કામગીરી
ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે હડાળા ગામે, આણંદપુર જવાના રોડ પર આવેલી બાપા સીતારામની મઢી પાસે, આરોપી મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) અને વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ત.કો.) પોતાની ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખતા ઝડપાયા.
પોલીસે 750 ML ની કુલ 180 બોટલો, જેની કિંમત રૂ. 2,52,000/- હતી, જપ્ત કરી. આ ઉપરાંત, ફોરવ્હીલ ગાડી (કિંમત રૂ. 8,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) પણ જપ્ત કરવામાં આવ્યો, આમ કુલ રૂ. 10,67,000/- નો મુદ્દામાલ જપ્ત થયો.
આરોપી નં. 1 વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ઉંમર 27, રહે. લીંબડી, મીલરોડ, તબેલામાં, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી પકડાયા, જ્યારે આરોપી નં. 2 મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) (રહે. લીંબડી, કબીર આશ્રમ પાસે, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી નાસી છૂટ્યા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે તા. ૧૯-૦૩-૨૦૨૬ થી ૨૧-૦૩-૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’ આજે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ છે. કથા દરમિયાન તા. ૨૦-૦૩-૨૦૨૬ના રોજ વિશેષ ‘શ્રી હનુમાન જન્મોત્સવ’ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલી આ કથામાં આજે અંતિમ દિવસે સમગ્ર સાળંગપુરધામ ‘જય કષ્ટભંજનદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કથાના વક્તા શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજીએ પોતાની અમૃતવાણીમાં હનુમાનજીના જીવનના આદર્શો, તેમની અપ્રતિમ રામભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના મહિમા વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમાનજીનું જીવન આજના યુગમાં સેવા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કથા દરરોજ સવારે અને બપોર દરમિયાન યોજાતી હતી. જોબનપુત્રા પરિવારના સભ્યો સહિત આવેલા ભક્તોએ કથામાં હાજરી આપી શ્રીકષ્ટભંજન દેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાળંગપુરધામના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી તેમજ સંતોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હરિભક્તોને રૂડા આશીર્વચન પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે તા. ૧૯-૦૩-૨૦૨૬ થી ૨૧-૦૩-૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’ આજે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ છે.  કથા દરમિયાન તા. ૨૦-૦૩-૨૦૨૬ના રોજ વિશેષ ‘શ્રી હનુમાન જન્મોત્સવ’ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલી આ કથામાં આજે અંતિમ દિવસે સમગ્ર સાળંગપુરધામ ‘જય કષ્ટભંજનદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
કથાના વક્તા શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજીએ પોતાની અમૃતવાણીમાં હનુમાનજીના જીવનના આદર્શો, તેમની અપ્રતિમ રામભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના મહિમા વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમાનજીનું જીવન આજના યુગમાં સેવા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કથા દરરોજ સવારે અને બપોર દરમિયાન યોજાતી હતી. જોબનપુત્રા પરિવારના સભ્યો સહિત આવેલા ભક્તોએ કથામાં હાજરી આપી શ્રીકષ્ટભંજન દેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાળંગપુરધામના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી તેમજ સંતોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હરિભક્તોને રૂડા આશીર્વચન પાઠવ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ગોરોથ પાત કમ્પની
    2
    ગોરોથ પાત કમ્પની
    user_સોલંકી હરિકૃષ્ણ ભાય
    સોલંકી હરિકૃષ્ણ ભાય
    Farmer ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી અને મૃતકના પરીવારને બોલાવેલ.. યુવાનની હત્યા થઈ હોવાનુ મૃતક યુવકના ભાઈ અને પરીવારવાર ને શંકા.. પોલીસ દ્વારા સાચી તપાસ કરવામાં આવે તેવી મૃતક યુવકના ભાઈએ કરી માંગ.
    1
    ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી અને મૃતકના પરીવારને બોલાવેલ.. 
યુવાનની હત્યા થઈ હોવાનુ મૃતક યુવકના ભાઈ અને પરીવારવાર ને શંકા..
પોલીસ દ્વારા સાચી તપાસ કરવામાં આવે તેવી મૃતક યુવકના ભાઈએ કરી માંગ.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    19 hrs ago
  • હળવદ: શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ ખાતે ચૈત્ર સુદ ત્રીજના પાવન અવસર પર શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ અવસરે મહાયજ્ઞ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધાર્મિક ઉપદેશો આપ્યા હતા. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન 108 દીવડાઓની ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ: શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ ખાતે ચૈત્ર સુદ ત્રીજના પાવન અવસર પર શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
આ અવસરે મહાયજ્ઞ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધાર્મિક ઉપદેશો આપ્યા હતા. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમ્યાન 108 દીવડાઓની ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    15 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    17 hrs ago
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • બરવાળા તાલુકાના નાવડા ગામની એડીસી બેંક શાખા મારફતે ધોલેરા તાલુકાના હેબતપુર સેવા સહકારી મંડળીના સભાસદ સ્વર્ગસ્થ રાઘવભાઈ જેસીંગભાઈ ખસીયાના અકસ્માતમાં દુખદ અવસાન બાદ તેમના પરિવારને જ્યોતિર્ગમય અકસ્માત વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી આ યોજના હેઠળ બેંક દ્વારા રૂ. 10 લાખ અને સહકારી મંડળી દ્વારા રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 15 લાખની વીમા રકમ ગુજરનારના વારસદાર ગૌરીબેન રાઘવભાઈ ખસીયાને અર્પણ કરવામાં આવી હતી, આ સહાય ચેક બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે બેંકના સિનિયર મેનેજર પરાક્રમસિંહ ચુડાસમા,લોન મેનેજર અજયસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા, યુ.એન. ખંભોળીયા, નાવડા શાખાના મેનેજર કેતનભાઈ દરજી તેમજ સહકારી મંડળીના ચેરમેન અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારની વીમા યોજનાઓથી મુશ્કેલીના સમયમાં પરિવારોને આર્થિક સહારો મળી રહે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા તાલુકાના નાવડા ગામની એડીસી બેંક શાખા મારફતે ધોલેરા તાલુકાના હેબતપુર સેવા સહકારી મંડળીના સભાસદ સ્વર્ગસ્થ રાઘવભાઈ જેસીંગભાઈ ખસીયાના અકસ્માતમાં દુખદ અવસાન બાદ તેમના પરિવારને જ્યોતિર્ગમય અકસ્માત વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી આ યોજના હેઠળ બેંક દ્વારા રૂ. 10 લાખ અને સહકારી મંડળી દ્વારા રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 15 લાખની વીમા રકમ ગુજરનારના વારસદાર ગૌરીબેન રાઘવભાઈ ખસીયાને અર્પણ કરવામાં આવી હતી, આ સહાય ચેક બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે બેંકના સિનિયર મેનેજર  પરાક્રમસિંહ ચુડાસમા,લોન મેનેજર અજયસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા, યુ.એન. ખંભોળીયા, નાવડા શાખાના મેનેજર કેતનભાઈ દરજી તેમજ સહકારી મંડળીના ચેરમેન અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારની વીમા યોજનાઓથી મુશ્કેલીના સમયમાં પરિવારોને આર્થિક સહારો મળી રહે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.