ભાવનગરમાં ACBનો મોટો ટ્રેપ: ફાયર વિભાગના ડેપ્યુટી અધિકારી સહિત બે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ACBએ ફાયર વિભાગના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ સરકારી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે અને અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિગતો મુજબ, ભાવનગરના ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર મહેશ પટેલ અને તેમના સાથી પ્રકાશ ચૌહાણને ACBએ રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલો એક ખાનગી શાળાની ફાયર સેફ્ટી યોજના અને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવાની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. મળતી માહિતી અનુસાર, શાળાના ફાયર સેફ્ટી પ્લાનને મંજૂરી આપવા અને જરૂરી પ્રમાણપત્ર આપવાના બદલામાં આરોપીઓએ કુલ રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ સુચિત રીતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી દ્વારા લાંચના હપ્તા રૂપે રૂ. 2 લાખ આપતા જ, પહેલેથી જ તૈયાર બેઠેલી ACB ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ ACB દ્વારા આરોપીઓના અન્ય દસ્તાવેજો, સંપત્તિ અને સંભવિત ગેરકાયદેસર વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગમાં આવી ભ્રષ્ટાચારની ઘટના સામે આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ભાવનગરમાં ACBનો મોટો ટ્રેપ: ફાયર વિભાગના ડેપ્યુટી અધિકારી સહિત બે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ACBએ ફાયર વિભાગના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ સરકારી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે અને અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિગતો મુજબ, ભાવનગરના ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર મહેશ પટેલ અને તેમના સાથી પ્રકાશ ચૌહાણને ACBએ રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલો એક ખાનગી શાળાની ફાયર સેફ્ટી યોજના અને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવાની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. મળતી માહિતી અનુસાર, શાળાના ફાયર સેફ્ટી પ્લાનને મંજૂરી આપવા અને જરૂરી પ્રમાણપત્ર આપવાના બદલામાં આરોપીઓએ કુલ રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ સુચિત રીતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી દ્વારા લાંચના હપ્તા રૂપે રૂ. 2 લાખ આપતા જ, પહેલેથી જ તૈયાર બેઠેલી ACB ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ ACB દ્વારા આરોપીઓના અન્ય દસ્તાવેજો, સંપત્તિ અને સંભવિત ગેરકાયદેસર વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગમાં આવી ભ્રષ્ટાચારની ઘટના સામે આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
- ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે આ ઉપરાંત પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં અને સારું ઉત્પાદન મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો શાકભાજી પાકો, તરબૂચ, ટેટી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને કોબી જેવા પાકોનું પણ હવે ખેડૂતો વાવેતર કરી તેમાંથી પણ લાખો રૂપિયાનો ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત અનેક ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વર્ષ દરમિયાન ચારથી પાંચ જેટલા પાકોનું ઉત્પાદન મેળવતા હોય છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભા જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે કપાસ મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતાના ગામના જ અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેવો પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબીની ખેતી કરી રહ્યા છે તેનું વેચાણ પોતે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે. આ અંગે ખેડૂત તખતસિંહ મુળુ ભાઈએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેતીમાં હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ઉત્પાદન મેળવી રહ્યો છું હું વર્ષ દરમિયાન એક ખેતરમાં ચાર જેટલા પાકો નું વાવેતર કરતો હોવું છું. તમારા ગામની આસપાસના અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી હું પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબી ની ખેતી કરી રહ્યો છું. ખાસ તો આ ત્રણ મહિના જેટલા સમયગાળો ધરાવતો પાક છે જેથી અન્ય પાકોનું વાવેતર પણ આપણે સમયસર કરી શકીએ છીએ. કોબીનું સારું ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, નીમ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ખૂબ ઓછા પ્રમાણમાં આ ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે મને તેનો ફાયદો થઈ રહ્યો છે. કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ પાલીતાણા, ભાવનગર, મહુવા તેમજ સાવરકુંડલા જેવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરી રહ્યા છું. હાલને ત્રણ વીઘા કરતા પણ વધુ જમીનમાં આ કોબીનું વાવેતર કરેલું છે જેથી મને આ 9 થી 10 રૂપિયાની આસપાસ એક કિલો નો યાર્ડમાં ભાવ મળી રહ્યો છે જેથી મને એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન આ ટૂંકા સમયગાળા દરમિયાન મળી રહેશે.1
- ईरान इजराइल युध्ध का अमेरिका में पूर्व सैनिको द्वारा विरोध ।1
- ખાંભા માં દિવ્ય-ભવ્ય શોભાયાત્રા ખાંભા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું.. આ શોભાયાત્રા નગર ના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી.. અત્રે ના ગાંધીચોક માં સહજાનંદ ગુરુકુળ ના સંતો પ. પૂ વિષ્ણુ સ્વામી સહિત ના અગ્રણી ઓ એ.. પરશુરામ દાદા નું પુષ્પ હાર.. થી પુંજન અર્ચના કરેલ3
- લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ1
- जरपन टोल टैक्स के पास 34.69 लाख रुपये की विदेशी शराब ज़ब्त: चावल की भूसी की आड़ में आणंद ले जाई जा रही थी शराब, सूरत LCB ने दो को किया गिरफ्तार1
- hi1
- સગીરાનું અપરહણ કરનાર આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી લીધો1
- ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮ બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના શ્રી રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ ચુડાસમા, શ્રી અરવિંદભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ માલમ સાથે શ્રી સાગરભાઈ ભાદરકા અને શ્રી રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.4