પ્રાથમિક શાળામાં લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો*** બોટાદ તાલુકા તરઘરા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વૈજ્ઞાનિક પ્રયોગોનું આયોજન આજરોજ તારીખ 14 માર્ચ 2026, શનિવારના રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની પીપરડી કેવશાળા અંતર્ગત આવેલી શ્રી તરઘરા પ્રાથમિક શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તથા અંધશ્રદ્ધા પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીના હાથમાંથી કંકુ કાઢવું, લાલ રંગની દોરીને કાળા રંગમાં પરિવર્તિત કરવી, રંગીન પાણીનો રંગ દૂર કરવો, પાણીમાં બ્લાસ્ટનો પ્રયોગ, પાણીની મદદથી દીવાસળી સળગાવવી સહિતના અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે આવા ચમત્કાર જેવા લાગતા પ્રસંગો પાછળ હકીકતમાં વિજ્ઞાન કાર્યરત હોય છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તમામ પ્રયોગો નિહાળ્યા અને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય મનુમાસ્તરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તરઘરા શાળા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
પ્રાથમિક શાળામાં લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો*** બોટાદ તાલુકા તરઘરા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વૈજ્ઞાનિક પ્રયોગોનું આયોજન આજરોજ તારીખ 14 માર્ચ 2026, શનિવારના રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની પીપરડી કેવશાળા અંતર્ગત આવેલી શ્રી તરઘરા પ્રાથમિક શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તથા અંધશ્રદ્ધા પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીના હાથમાંથી કંકુ કાઢવું, લાલ રંગની દોરીને કાળા રંગમાં પરિવર્તિત કરવી, રંગીન પાણીનો રંગ દૂર કરવો, પાણીમાં બ્લાસ્ટનો પ્રયોગ, પાણીની મદદથી દીવાસળી સળગાવવી સહિતના અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે આવા ચમત્કાર જેવા લાગતા પ્રસંગો પાછળ હકીકતમાં વિજ્ઞાન કાર્યરત હોય છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તમામ પ્રયોગો નિહાળ્યા અને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય મનુમાસ્તરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તરઘરા શાળા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
- લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા1
- Post by Vopul luhar1
- વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો1
- Post by Maheshbhai uteriya1
- લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો1
- ईरान आज की परिस्थिती में बनेहुऐ हालात । रीपोर्ट ।1
- વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1