ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા “લક્ષ્ય શ્રેણી ” અંતર્ગત નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું- સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતનું મહત્વ વિદ્યાર્થીઓને માર્ગદર્શન જૂનાગઢ તા.૧૦: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢનાં સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા “લક્ષ્ય” શ્રેણી અંતર્ગત કારકિર્દી વિકાસ કેન્દ્રના સહયોગથી “Career Paths in Sociology” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલ નિષ્ણાત વક્તા સમિર આર. જાવિયાએ કાર્યક્રમ દરમિયાન “Innovative Mathematical Smart Tricks” વિષય પર નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધારવો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બની શકે તેવી સરળ અને નવીન ગણિતીય ટ્રિક્સ અંગે માહિતી આપવાનો હતો.વ્યાખ્યાન દરમિયાન નિષ્ણાતે વિવિધ ગણિતીય સમસ્યાઓને ઝડપી અને સરળ રીતે ઉકેલવા માટેની સ્માર્ટ પદ્ધતિઓ સમજાવી હતી. તેમણે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ગણિતીય તર્કશક્તિ અને દૈનિક જીવનમાં ગણિતના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી સત્રમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગનાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા સમીર જાવીયાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતનું મહત્વ સમજાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે સમીર જાવિયા ૨૦૧૦થી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિત વિષયનું માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ રાજકોટ સ્થિત અસ્વાધ એજ્યુકેશન વિકાસના સંચાલક પણ છે, જ્યાં CAT અને CMAT જેવી રાષ્ટ્રીય સ્તરની મેનેજમેન્ટ પ્રવેશ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમના વિશાળ અનુભવ અને સરળ સમજાવટની પદ્ધતિને કારણે ઘણા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી છે.આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, ગણિતને સરળ રીતે સમજવાની પદ્ધતિ અને કારકિર્દી માટે યોગ્ય દિશા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં નિષ્ણાત સાથે સક્રિય ચર્ચા કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, ગણિત પ્રત્યેનો રસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય. છે,ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે વિદ્યાર્થિઓને સંદેશો પાઠવતા જણાવ્યુ હતુ કે આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે UPSC Civil Services Examination, SSC Combined Graduate Level Examination, IBPS Bank PO Exam અને Gujarat Public Service Commission Exam માં ગણિત એક મહત્વપૂર્ણ વિષય છે. ગણિત આપણને તર્કશક્તિ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. જ્યારે આપણે ગણિતના પ્રશ્નો ઉકેલીએ છીએ, ત્યારે આપણું મગજ ઝડપી અને સચોટ રીતે વિચારવાનું શીખે છે. બીજું, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમય વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગણિતમાં પ્રેક્ટિસ વધારવાથી આપણે પ્રશ્નો ઝડપથી ઉકેલી શકીએ છીએ, જે પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવામાં મદદ કરે છે.ગણિતના વિષયો જેમ કે અંકગણિત, ટકાવારી, સમય અને કામ, પ્રમાણ અને અનુપાત, અને ડેટા વિશ્લેષણ ઘણી પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. એટલે ગણિતમાં મજબૂત આધાર બનાવવો જરૂરી છે. ગણિત માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ દૈનિક જીવનમાં પણ ઉપયોગી છે. બજેટ બનાવવું, ખર્ચનું આયોજન કરવું, અને તર્કપૂર્ણ નિર્ણય લેવા માટે પણ ગણિત મદદરૂપ થાય છે.જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માંગો છો, તો દરરોજ થોડો સમય ગણિતના અભ્યાસ અને પ્રેક્ટિસ માટે ફાળવો. નિયમિત મહેનત અને યોગ્ય માર્ગદર્શન તમને સફળતા સુધી પહોંચાડશે. કાર્યક્રમનાં પ્રારંભે યુનિ. સમાજશાસ્ત્ર ભવનનાં વડા પ્રો. જયસિંહ ઝાલાએ આમંત્રીત અતિથીઓને આવકારી પરિચય કરાવ્યો હતો. પ્રો. ઝાલાએ નિષ્ણાંત વ્યાખ્યાન લક્ષ્ય શ્રેણીની વિભાવનાં પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં સ્વામિ વિવેકાનંદ આઇ.એ.એેસ. સ્ટીઝ સેન્ટર કાર્યક્રમનાં કોર્ષ કો-ઓર્ડીનેટર જયરાજ યાદવે વિદ્યાર્થીઓને ઉચ્ચશ્રેણીની પરિક્ષાઓની તૈયારીઓ વિશે વાકેફ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા “લક્ષ્ય શ્રેણી ” અંતર્ગત નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું- સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતનું મહત્વ વિદ્યાર્થીઓને માર્ગદર્શન જૂનાગઢ તા.૧૦: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢનાં સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા “લક્ષ્ય” શ્રેણી અંતર્ગત કારકિર્દી વિકાસ કેન્દ્રના સહયોગથી “Career Paths in Sociology” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલ નિષ્ણાત વક્તા સમિર આર. જાવિયાએ કાર્યક્રમ દરમિયાન “Innovative Mathematical Smart Tricks” વિષય પર નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધારવો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બની શકે તેવી સરળ અને નવીન ગણિતીય ટ્રિક્સ અંગે માહિતી આપવાનો હતો.વ્યાખ્યાન દરમિયાન નિષ્ણાતે વિવિધ ગણિતીય સમસ્યાઓને ઝડપી અને સરળ રીતે ઉકેલવા માટેની સ્માર્ટ પદ્ધતિઓ સમજાવી હતી. તેમણે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ગણિતીય તર્કશક્તિ અને દૈનિક જીવનમાં ગણિતના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી સત્રમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગનાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા સમીર જાવીયાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતનું મહત્વ સમજાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે સમીર જાવિયા ૨૦૧૦થી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિત વિષયનું માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ રાજકોટ સ્થિત અસ્વાધ એજ્યુકેશન વિકાસના સંચાલક પણ છે, જ્યાં CAT અને CMAT જેવી રાષ્ટ્રીય સ્તરની મેનેજમેન્ટ પ્રવેશ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમના વિશાળ અનુભવ અને સરળ સમજાવટની પદ્ધતિને કારણે ઘણા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી છે.આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, ગણિતને સરળ રીતે સમજવાની પદ્ધતિ અને કારકિર્દી માટે યોગ્ય દિશા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં નિષ્ણાત સાથે સક્રિય ચર્ચા કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, ગણિત પ્રત્યેનો રસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય. છે,ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે વિદ્યાર્થિઓને સંદેશો પાઠવતા જણાવ્યુ હતુ કે આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે UPSC Civil Services Examination, SSC Combined Graduate Level Examination, IBPS Bank PO Exam અને Gujarat Public Service Commission Exam માં ગણિત એક મહત્વપૂર્ણ વિષય છે. ગણિત આપણને તર્કશક્તિ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. જ્યારે આપણે ગણિતના પ્રશ્નો ઉકેલીએ છીએ, ત્યારે આપણું મગજ ઝડપી અને સચોટ રીતે વિચારવાનું શીખે છે. બીજું, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમય વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગણિતમાં પ્રેક્ટિસ વધારવાથી આપણે પ્રશ્નો ઝડપથી ઉકેલી શકીએ છીએ, જે પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવામાં મદદ કરે છે.ગણિતના વિષયો જેમ કે અંકગણિત, ટકાવારી, સમય અને કામ, પ્રમાણ અને અનુપાત, અને ડેટા વિશ્લેષણ ઘણી પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. એટલે ગણિતમાં મજબૂત આધાર બનાવવો જરૂરી છે. ગણિત માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ દૈનિક જીવનમાં પણ ઉપયોગી છે. બજેટ બનાવવું, ખર્ચનું આયોજન કરવું, અને તર્કપૂર્ણ નિર્ણય લેવા માટે પણ ગણિત મદદરૂપ થાય છે.જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માંગો છો, તો દરરોજ થોડો સમય ગણિતના અભ્યાસ અને પ્રેક્ટિસ માટે ફાળવો. નિયમિત મહેનત અને યોગ્ય માર્ગદર્શન તમને સફળતા સુધી પહોંચાડશે. કાર્યક્રમનાં પ્રારંભે યુનિ. સમાજશાસ્ત્ર ભવનનાં વડા પ્રો. જયસિંહ ઝાલાએ આમંત્રીત અતિથીઓને આવકારી પરિચય કરાવ્યો હતો. પ્રો. ઝાલાએ નિષ્ણાંત વ્યાખ્યાન લક્ષ્ય શ્રેણીની વિભાવનાં પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં સ્વામિ વિવેકાનંદ આઇ.એ.એેસ. સ્ટીઝ સેન્ટર કાર્યક્રમનાં કોર્ષ કો-ઓર્ડીનેટર જયરાજ યાદવે વિદ્યાર્થીઓને ઉચ્ચશ્રેણીની પરિક્ષાઓની તૈયારીઓ વિશે વાકેફ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર1
- Post by Dharmik Parmar1
- અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ3
- જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો1
- Post by Dinesh Kalu bhai4
- राजसभा नतिजे।1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના ગેલેક્સી ચોક થી પોસ્ટ ઓફિસ સુધી નો આર સી સી રોડ આજે ફરી તોડવામાં આવી રહયો છે કારણકે આ રસ્તો લોટ પાણી ને લાકડા અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ લલીત ભાઈ વસોયા કર્યા બાદ ચિમકી ઉચ્ચાર્યા બાદ તંત્ર અને કોન્ટ્રાકટર હરક્ત માં આવ્યું આ આર સી સી રોડ ફરી તોડવામાં આવ્યો અને કોંગ્રેસ આગેવાન સ્થળ મુલાકાતે પહોંચ્યા : વિઓ : ધોરાજી નાં કોંગ્રેસ પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ એ મિડીયા સમક્ષ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર ગુજરાત ની અંદર રોડ રસ્તા ઓ નાં કામ અને બ્રિજ નાં કામો અને વિકાસ નાં કામો જે વાતો થઈ રહી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહયો છે ક્યાંક નેં ક્યાંક કોન્ટ્રાકટરો અને ભારતીય જનતા પાર્ટી નાં આગેવાનો જ છે પસંદ દિવસ પહેલા ભારત નાં ગવર્મેન્ટ ગુજરાત એ જે ધોરાજી નાં ગેલેક્સી ચોક થી પોસ્ટ ઓફિસ સુધી નો સિમેન્ટ રોડ માં ભયંકર ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ આગેવાન અને કોંગ્રેસ પક્ષના પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ કરવામાં આવ્યો હતો આજે સરકારે આ વાત સ્વીકારી લીધી છે અને જો કોંગ્રેસ દ્વારા આ રસ્તો તોડવામાં આવશે તેવી ચિમકી આપી હતી અને તે પહેલાં જ આજે આ રોડ ફરી તોડવામાં આવી રહયો છે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે સરકાર કોઈ પગલાં લેશે કે કેમ એવો સવાલ ધોરાજી ની જનતા પુછી રહી છે કોન્ટ્રાકટર નેં બ્લેક લિસ્ટ મા આવે તેવી માંગ ધોરાજી કોંગ્રેસ કરી રહીં છે ધોરાજી નાં જુનાગઢ રોડ પર ઘણા સમય પહેલા જે રોડ રસ્તા નું કામ થયું હતું અને ત્યારે ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કર્યો અને ત્યારે ધોરાજી અને ઉપલેટા ભાજપ મહેન્દ્ર ભાઈ પાડલીયા એ પણ ત્યાં ની મુલાકાત લીધા બાદ તેણે જણાવ્યું હતું કે આ કોન્ટ્રાકટર નેં બ્લેક લિસ્ટ માં મુકીશું આજ કોન્ટ્રાકટર ફરી અત્યાર નો કોન્ટ્રાકટર છે અને અન્ય કામગીરી માટે નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાકટર નેં બ્લેક લિસ્ટ માં મુકાવી શકો તેમ છો કે પછી અમે લડાઈ લડી એ તેવી પ્રતિક્રિયા આપી હતી : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય2
- કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી1
- Post by Dinesh Kalu bhai1