પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 21 જૂન 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. આ અવસરે, મંડળના વિવિધ સ્થળોની સાથે-સાથે ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેમાં પહેલીવાર ચાલતી ટ્રેનોમાં યાત્રીઓને યોગ સાથે જોડવાની આ નવીન પહેલ અમદાવાદ મંડળ દ્વારા કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે અમદાવાદ મંડળે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક અનોખી પહેલ કરી છે. સૌપ્રથમ, તેમણે વિડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા વિવિધ કેન્દ્રો અને રેલવે સંસ્થાઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોને યોગ કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ કર્યો. બીજી વિશેષ પહેલ રૂપે, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓને યોગ સાથે જોડવામાં આવ્યા. આ અભિયાન હેઠળ, ટ્રેનોના 'પાઇપ્ડ મ્યુઝિક' (ઓડિયો સિસ્ટમ) દ્વારા યોગ ગુરુઓના નિર્દેશો પ્રસારિત કરવામાં આવ્યા હતા અને દરેક કોચમાં ઉપસ્થિત સ્વયંસેવકોએ યાત્રીઓને તેમની સીટ પર બેસીને ‘સૂક્ષ્મ યોગ’ કરવામાં મદદ કરી હતી. યાત્રીઓએ 10 થી 20 મિનિટ સુધી ગરદન, હાથ, કલાઈ અને ખભાના રોટેશન, ઓમ્ના ઉચ્ચારણ તથા ધ્યાન જેવા સરળ યોગાભ્યાસ કર્યા. તેમણે યોગને મન, વચન, કર્મ અને કાયા વચ્ચે સમન્વય સ્થાપિત કરનાર તથા વ્યક્તિના સર્વાંગી વિકાસ, સ્વસ્થ સમાજ, સશક્ત રાષ્ટ્ર અને સારા વિશ્વ માટે અત્યંત આવશ્યક ગણાવ્યો, જે સંતુલન, શિસ્ત અને સકારાત્મક જીવનની પ્રેરણા આપે છે. સાબરમતીના સામુદાયિક ભવનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં યોગગુરુ શ્રી અલ્પેશ ત્રિવેદી અને શ્રીમતી હંષા ચાગે રેલ અધિકારીઓ, કર્મચારીઓ, આરપીએફ સ્ટાફ, સ્કાઉટ અને ગાઈડ તથા નાગરિક સુરક્ષા સંગઠનના સભ્યોને કોમન યોગ પ્રોટોકોલ હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત અભ્યાસોનું પ્રશિક્ષણ આપ્યું. આ ઉપરાંત, ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ-સાબરમતી, રેલવે ઇન્સ્ટિટ્યૂટ-કાંકરિયા, સામુદાયિક ભવન-ગાંધીધામ અને સામુદાયિક ભવન-વીરમગામમાં પણ યોગ સત્રો યોજાયા હતા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનને વધુ જનસુલભ અને વ્યાપક બનાવવાના ઉદ્દેશ્યથી, ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 20902), સાબરમતી – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 12462), અસારવા – ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 26964) અને અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 22925) જેવી ચાર વંદે ભારત ટ્રેનોમાં વિશેષ યોગ સત્રો યોજાયા, જેમાં યાત્રીઓએ સીટ પર બેસીને સરળ યોગાભ્યાસ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો. અમદાવાદ મંડળ દ્વારા અગાઉ પણ અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને ગાંધીધામ સહિત વિવિધ મુખ્ય સ્ટેશનો પર યોગ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેલ કર્મચારીઓ અને યાત્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની થીમ “Yoga for Healthy Ageing”ને અનુરૂપ, પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ સ્વસ્થ જીવનશૈલી અને સામૂહિક કલ્યાણના સંદેશને જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પશ્ચિમ રેલવે તેના તમામ સન્માનિત રેલ યાત્રીઓ અને રેલ કર્મચારીઓને અપીલ કરે છે કે તેઓ યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને સ્વસ્થ અને સંતુલિત જીવનની દિશામાં આગળ વધે તથા આ વૈશ્વિક અભિયાન સાથે જોડાય.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 21 જૂન 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. આ અવસરે, મંડળના વિવિધ સ્થળોની સાથે-સાથે ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેમાં પહેલીવાર ચાલતી ટ્રેનોમાં યાત્રીઓને યોગ સાથે જોડવાની આ નવીન પહેલ અમદાવાદ મંડળ દ્વારા કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે અમદાવાદ મંડળે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક અનોખી પહેલ કરી છે. સૌપ્રથમ, તેમણે વિડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા વિવિધ કેન્દ્રો અને રેલવે સંસ્થાઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોને યોગ કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ કર્યો. બીજી વિશેષ પહેલ રૂપે, વંદે ભારત
જેવી આધુનિક ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓને યોગ સાથે જોડવામાં આવ્યા. આ અભિયાન હેઠળ, ટ્રેનોના 'પાઇપ્ડ મ્યુઝિક' (ઓડિયો સિસ્ટમ) દ્વારા યોગ ગુરુઓના નિર્દેશો પ્રસારિત કરવામાં આવ્યા હતા અને દરેક કોચમાં ઉપસ્થિત સ્વયંસેવકોએ યાત્રીઓને તેમની સીટ પર બેસીને ‘સૂક્ષ્મ યોગ’ કરવામાં મદદ કરી હતી. યાત્રીઓએ 10 થી 20 મિનિટ સુધી ગરદન, હાથ, કલાઈ અને ખભાના રોટેશન, ઓમ્ના ઉચ્ચારણ તથા ધ્યાન જેવા સરળ યોગાભ્યાસ કર્યા. તેમણે યોગને મન, વચન, કર્મ અને કાયા વચ્ચે સમન્વય સ્થાપિત કરનાર તથા વ્યક્તિના સર્વાંગી વિકાસ, સ્વસ્થ સમાજ, સશક્ત રાષ્ટ્ર અને સારા વિશ્વ માટે અત્યંત આવશ્યક ગણાવ્યો, જે સંતુલન, શિસ્ત અને સકારાત્મક જીવનની પ્રેરણા આપે છે. સાબરમતીના સામુદાયિક ભવનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં યોગગુરુ શ્રી
અલ્પેશ ત્રિવેદી અને શ્રીમતી હંષા ચાગે રેલ અધિકારીઓ, કર્મચારીઓ, આરપીએફ સ્ટાફ, સ્કાઉટ અને ગાઈડ તથા નાગરિક સુરક્ષા સંગઠનના સભ્યોને કોમન યોગ પ્રોટોકોલ હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત અભ્યાસોનું પ્રશિક્ષણ આપ્યું. આ ઉપરાંત, ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ-સાબરમતી, રેલવે ઇન્સ્ટિટ્યૂટ-કાંકરિયા, સામુદાયિક ભવન-ગાંધીધામ અને સામુદાયિક ભવન-વીરમગામમાં પણ યોગ સત્રો યોજાયા હતા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનને વધુ જનસુલભ અને વ્યાપક બનાવવાના ઉદ્દેશ્યથી, ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 20902), સાબરમતી – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 12462), અસારવા – ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 26964) અને અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 22925) જેવી ચાર વંદે ભારત ટ્રેનોમાં
વિશેષ યોગ સત્રો યોજાયા, જેમાં યાત્રીઓએ સીટ પર બેસીને સરળ યોગાભ્યાસ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો. અમદાવાદ મંડળ દ્વારા અગાઉ પણ અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને ગાંધીધામ સહિત વિવિધ મુખ્ય સ્ટેશનો પર યોગ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેલ કર્મચારીઓ અને યાત્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની થીમ “Yoga for Healthy Ageing”ને અનુરૂપ, પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ સ્વસ્થ જીવનશૈલી અને સામૂહિક કલ્યાણના સંદેશને જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પશ્ચિમ રેલવે તેના તમામ સન્માનિત રેલ યાત્રીઓ અને રેલ કર્મચારીઓને અપીલ કરે છે કે તેઓ યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને સ્વસ્થ અને સંતુલિત જીવનની દિશામાં આગળ વધે તથા આ વૈશ્વિક અભિયાન સાથે જોડાય.
- મહેસાણા અમદાવાદ હાઇવે પર પાલવાસણા બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એક ટ્રક અધવચ્ચે બગડી જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.1
- પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી બ્રિજલાલ ભટ્ટ જમ્મુ અને કાશ્મીરમાં તેમની સક્રિય સેવા દરમિયાનના અનુકરણીય યોગદાન બાદ શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપતી તેમની વિશિષ્ટ સામાજિક સેવા માટે જાણીતા છે. શ્રી ભટ્ટ બાગાયતમાં અનુસ્નાતક છે અને તેમણે યુએસએની વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાંથી "માર્કેટિંગ અને રેફ્રિજરેશન" માં વિશેષ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના કૃષિ અને બાગાયતી ક્ષેત્રોમાં કૃષિ નિકાસ ઝોનમાં પ્રોજેક્ટ ડિરેક્ટર, વિશ્વ બેંક દ્વારા સહાયિત "ઇન્ડો ઓસ્ટ્રેલિયન / ઇટાલિયન પ્રોજેક્ટ્સ" માં મુખ્ય કાર્યકારી અધિકારી અને રાજ્યના બાગાયતી આયોજન અને માર્કેટિંગમાં ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે.1
- કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.1
- વિજાપુર તાલુકાના મહાદેવપુરા ખાતે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ વાડીમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત પરિવારોને 13મા હપ્તાની સીધી સહાય DBT દ્વારા વિતરિત કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, 10 ખેડૂતોને ₹1 લાખની સબસિડીવાળા ટ્રેક્ટરના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ અંતર્ગત મિલેટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી રાહુલ કે. પટેલ, બાગાયત અધિકારી મહેસાણાના હાર્દિક પ્રજાપતિ, એસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. પી. ચૌધરી અને વિસ્તરણ અધિકારી ઇન્ચાર્જ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, નરવીરસિંહ વિહોલ, તાલુકા સદસ્ય વિષ્ણુસિંહ વિહોલ અને રમેશજી ઠાકોર પણ મુખ્ય હાજર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.1
- અમદાવાદ સાર્થી ડ્રાઇવર સર્વિસ, જેનું સંચાલન સતીષભાઈ થલતેજ, અમદાવાદથી કરે છે, તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડ્રાઇવરોની સેવા પૂરી પાડે છે. જો તમને અમદાવાદમાં ડ્રાઇવરની જરૂર હોય, તો આ સેવા ઓન-ડિમાન્ડ ડ્રાઇવરો, ઘર અને ઓફિસ માટે કાયમી ડ્રાઇવરો, સ્થાનિક અને આઉટસ્ટેશન ટ્રિપ્સ માટે ડ્રાઇવરો, તેમજ લગ્ન અને અન્ય ઇવેન્ટ્સ માટે ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવે છે. તેમની સેવાઓની મુખ્ય વિશેષતાઓમાં અનુભવી અને ચકાસાયેલ ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, જેઓ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારની ગાડીઓ ચલાવવામાં સક્ષમ છે. ખાસ કરીને, તે જ દિવસે ડ્રાઇવરની ઉપલબ્ધતા પણ શક્ય છે. અમદાવાદના પરિવારો અને વ્યવસાય માલિકો દ્વારા વિશ્વસનીય આ સેવા થલતેજ, એસજી હાઈવે, સેટેલાઇટ, બોપલ, ગોતા, ચાંદખેડા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા ડ્રાઇવર બુક કરવા માટે, 97265 85975 પર કૉલ અથવા વોટ્સએપ કરી શકો છો. આ સેવા તમારી સલામતી, તમારી સુવિધા અને તમારા ડ્રાઇવરને પ્રાથમિકતા આપે છે.1
- ગુજરાતના કડી તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 4 હત્યાઓની ઘટનાઓ બનતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઠાકોરે આ હત્યાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.1
- અમદાવાદમાં એક ગેસ એજન્સીમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.1