Shuru
Apke Nagar Ki App…
ભરૂચના ગોલ્ડન બ્રિજ અને સિલ્વર બ્રિજ વિસ્તારમાં વાયરલ થયેલા એક વીડિયોએ નર્મદા કિનારે પ્રેમ વ્યક્ત કરવાની રીત અંગે એક મોટો સવાલ ઊભો કર્યો છે. ભલે નર્મદા કિનારો પ્રેમ વ્યક્ત કરવાનો વિરોધી ન હોય, પરંતુ જ્યારે જાહેરમાં મર્યાદા ભૂલાય છે, ત્યારે તેની ચર્ચા થવી અનિવાર્ય છે. આ વીડિયોને કારણે એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે પ્રેમ ખાનગી રાખવો જોઈએ કે તેને જાહેર પ્રદર્શનનો વિષય બનાવવો જોઈએ. આ મામલે લોકોના મંતવ્યો શું છે તે જાણવા માગીએ છીએ.
Samay Prhar News
ભરૂચના ગોલ્ડન બ્રિજ અને સિલ્વર બ્રિજ વિસ્તારમાં વાયરલ થયેલા એક વીડિયોએ નર્મદા કિનારે પ્રેમ વ્યક્ત કરવાની રીત અંગે એક મોટો સવાલ ઊભો કર્યો છે. ભલે નર્મદા કિનારો પ્રેમ વ્યક્ત કરવાનો વિરોધી ન હોય, પરંતુ જ્યારે જાહેરમાં મર્યાદા ભૂલાય છે, ત્યારે તેની ચર્ચા થવી અનિવાર્ય છે. આ વીડિયોને કારણે એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે પ્રેમ ખાનગી રાખવો જોઈએ કે તેને જાહેર પ્રદર્શનનો વિષય બનાવવો જોઈએ. આ મામલે લોકોના મંતવ્યો શું છે તે જાણવા માગીએ છીએ.
More news from ગુજરાત and nearby areas
- સુરત શહેરના ઉન પાટીયા વિસ્તારમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજીયાના ભવ્ય જુલૂસનું આયોજન કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. જુલૂસમાં રજૂ થયેલા શ્રેષ્ઠ કલાત્મક તાજીયાઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના સુરત શહેર લઘુમતી મોરચાના મહામંત્રી અઝહર પઠાણના હસ્તે વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસના ઝોન ૬ ડીસીપી પરમાર સાહેબ, એસીપી સાહેબ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થયો. મોહરમના આ પવિત્ર અવસરે સમગ્ર કાર્યક્રમમાં કોમી એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરી ગયો.1
- ભરૂચના ગોલ્ડન બ્રિજ અને સિલ્વર બ્રિજ વિસ્તારમાં વાયરલ થયેલા એક વીડિયોએ નર્મદા કિનારે પ્રેમ વ્યક્ત કરવાની રીત અંગે એક મોટો સવાલ ઊભો કર્યો છે. ભલે નર્મદા કિનારો પ્રેમ વ્યક્ત કરવાનો વિરોધી ન હોય, પરંતુ જ્યારે જાહેરમાં મર્યાદા ભૂલાય છે, ત્યારે તેની ચર્ચા થવી અનિવાર્ય છે. આ વીડિયોને કારણે એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે પ્રેમ ખાનગી રાખવો જોઈએ કે તેને જાહેર પ્રદર્શનનો વિષય બનાવવો જોઈએ. આ મામલે લોકોના મંતવ્યો શું છે તે જાણવા માગીએ છીએ.1
- સુરતની સિવિલ હોસ્પિટલમાં એક માનસિક રીતે વिक्षिપ્ત (અસ્વસ્થ) મહિલાએ હંગામો મચાવ્યો હતો.1
- સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પલસાણા તાલુકાના અંભેટી ગામે બુધવારે કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને નવા શાળા ભવનના લોકાર્પણ સહિતનો ભવ્ય 'ત્રિવેણી કાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ (અનિલભાઈ) પરમારની અધ્યક્ષતામાં સંપન્ન થયો, જ્યાં અંદાજે ₹1 કરોડ 16 લાખ 60 હજારના ખર્ચે નિર્માણ પામેલા અંભેટી પ્રાથમિક શાળાના નવા ભવનનું તેમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું શાળા ભવન વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત શિક્ષણનું ઉત્તમ વાતાવરણ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરાઈ. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ આહીર, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીબેન વાંસિયા, તાલુકા પંચાયત સદસ્ય બિનલબેન આહીર, અંભેટી ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ, પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ મેઘાત સહિત અનેક રાજકીય આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત, નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી, પુષ્પગુચ્છ અને મીઠાઈ આપી હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનોએ પોતાના સંબોધનમાં બાળ શિક્ષણ, કન્યા કેળવણી અને સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણને વધુ મજબૂત બનાવવા સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમ બાદ, અંભેટી ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડના હસ્તે શાળાના વિકાસમાં આર્થિક અને અન્ય રીતે સહયોગ આપનાર દાતાશ્રીઓનું સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું, અને શાળા પરિવારે તમામ દાતાશ્રીઓનો જાહેર આભાર માન્યો. અંભેટી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી, પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે પલસાણા તાલુકાના લાખણપોર અને પુણી ગામોની પ્રાથમિક શાળાઓમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં પણ હાજરી આપી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે શિક્ષણને પ્રાથમિકતા આપવા અપીલ પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો, જેમાં ગ્રામજનો અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શિક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.1
- સુરતના કરેલાદરવાજા ખાતે મોહરમના દસમા ચાંદ નિમિત્તે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા એક છબીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ શરબત, પાણી અને બિસ્કિટનો લાભ લીધો હતો. ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ અયુબભાઈ શેખ અને તેમની ટીમે આ આયોજનને સુંદર રીતે પાર પાડી સેવાભાવી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સેવાભાવી કાર્યક્રમ દ્વારા સુરત શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને માનવસેવાનું સુંદર પ્રતીક જોવા મળ્યું.1
- સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સંબંધોના લોહિયાળ અંતની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ઇચ્છાપોરના ભાઠા ગામની ઝૂંપડપટ્ટીમાં છેલ્લા આઠ વર્ષથી પતિ-પત્નીની જેમ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક યુગલ વચ્ચેના ઘર કંકાસમાં આ ખૌફી વળાંક આવ્યો હતો. રોજિંદા આર્થિક તંગી અને ઝઘડાથી કંટાળીને મહિલાએ તેના જ પાર્ટનરની શાકભાજી કે બટાકા છોલવાના ચપ્પુ વડે ઘાતકી હત્યા કરી નાખી છે.2