શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી 31 મે, 2026, રવિવારના (સુદ પૂનમ) પવિત્ર દિવસે દાદાને દિવસમાં ત્રણ વખત દિવ્ય વાઘાનો શણગાર તથા નાળિયેરની થીમનો દિવ્ય શણગાર સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. સાંજે 05:00 થી 07:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવસમાં ત્રણ પ્રકારના દિવ્ય શણગાર દર્શન યોજાયા હતા, જેમાં દેવદિવાળી, રક્ષાબંધન, હનુમાન જયંતી અને ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર ઉત્સવોના ભાવો પ્રગટ કરતા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, રાખડીઓના વાઘા, અને સિલ્વર ડાયમંડ જડીત મયૂરાકાર મુગટ તથા વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત, પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 17 મે થી 15 જૂન, 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. પવિત્ર પૂનમના દિવસે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી 31 મે, 2026, રવિવારના (સુદ પૂનમ) પવિત્ર દિવસે દાદાને દિવસમાં ત્રણ વખત દિવ્ય વાઘાનો શણગાર તથા નાળિયેરની થીમનો દિવ્ય શણગાર સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. સાંજે 05:00 થી 07:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવસમાં ત્રણ પ્રકારના દિવ્ય શણગાર દર્શન યોજાયા હતા, જેમાં દેવદિવાળી, રક્ષાબંધન, હનુમાન જયંતી અને ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર ઉત્સવોના ભાવો પ્રગટ કરતા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, રાખડીઓના વાઘા, અને સિલ્વર ડાયમંડ જડીત મયૂરાકાર મુગટ તથા વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત, પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 17 મે થી 15 જૂન, 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. પવિત્ર પૂનમના દિવસે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી 31 મે, 2026, રવિવારના (સુદ પૂનમ) પવિત્ર દિવસે દાદાને દિવસમાં ત્રણ વખત દિવ્ય વાઘાનો શણગાર તથા નાળિયેરની થીમનો દિવ્ય શણગાર સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. સાંજે 05:00 થી 07:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવસમાં ત્રણ પ્રકારના દિવ્ય શણગાર દર્શન યોજાયા હતા, જેમાં દેવદિવાળી, રક્ષાબંધન, હનુમાન જયંતી અને ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર ઉત્સવોના ભાવો પ્રગટ કરતા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, રાખડીઓના વાઘા, અને સિલ્વર ડાયમંડ જડીત મયૂરાકાર મુગટ તથા વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત, પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 17 મે થી 15 જૂન, 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. પવિત્ર પૂનમના દિવસે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.1
- ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં 22/05/2026 ના રોજ એક નિર્દોષ મારવાડી યુવક પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હથિયારો વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને યુવકના શરીરના નાજુક અંગો પર લાકડીઓ અને છરી વડે પાંચથી છ ઘા ઝીંકીને તેને જાનથી મારી નાખવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ મામલે નડિયાદ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં (1) અજય કાંગસિયા, (2) અર્જુન વણઝારા અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિત સમુદાયનો આરોપ છે કે નડિયાદ પોલીસે રાજકીય નેતાઓના દબાણ અને ઇશારે આ ગંભીર ગુનામાં ખૂબ જ હળવી કલમો લગાડીને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓનો બહુ મોટો રાજકીય પ્રભાવ છે, જેના કારણે ગુનો કર્યા પછી પણ તેઓ પોલીસથી કોઈપણ ડર વિના સૌની સામે કોલર ઊંચા કરીને ફરી રહ્યા છે. કલેક્ટરને અપાયેલા પત્રમાં આ કેસમાં તાત્કાલિક ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો 307 (હત્યાનો પ્રયાસ), 109, 120 (B) અને 51 ઉમેરવાની માંગ કરવામાં આવી છે. મારવાડી સમાજના લોકોએ ચેતવણી આપી છે કે જો કોઈ વિશ્વસનીય અને નિષ્પક્ષ પોલીસ અધિકારી આ મામલે તપાસ નહીં કરે અને આરોપીઓને તાત્કાલિક ધરપકડ નહીં કરે, તો સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સ્થાનિક લોકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે નડિયાદના તલાટી બાગ વિસ્તારમાં એક 'ચાકુ ગેંગ' (ચપ્પા ગેંગ) સક્રિય છે અને ત્યાં ખુલ્લેઆમ ચરસ અને ગાંજો પીવામાં અને વેચવામાં આવે છે.1
- સુરેન્દ્રનગરના જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તારમાં એક ટ્રેલર અથડાવાને કારણે વીજળીનો થાંભલો ધરાશાયી થયો હતો. આ ઘટનાના પરિણામે સમગ્ર વિસ્તારમાં છેલ્લા બે કલાકથી વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે ચારેબાજુ અંધારપટ છવાઈ ગયો હતો. વીજળીના અભાવે સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.1
- અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.1
- Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati Nanu moshm pura khambat Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati1
- રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો રાત્રીના સમયે મકાનમાં ઘૂસી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.4