સુરત જિલ્લાના ઉશ્કર-રામકુંડ ગામના મહ્યાવંશી વિસ્તારમાં થયેલી ચોરીના મામલે એલસીબીની ટીમે મોટી સફળતા મેળવી છે. દાહોદ જિલ્લાના મોટી માલુગામના વનેશભાઈ પંગલાભાઈ મેડા અને તેના સાથીઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના મળીને કુલ 26,05,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરીના આ કાવતરામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ફરિયાદીએ પોતે જ આરોપીઓને ચોરી માટે બોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીએ જ આરોપીઓને ઘરનો રસ્તો, ઘરની અંદરની માહિતી અને તિજોરીની ચાવી ક્યાં મળશે તે જેવી તમામ વિગતો આપી હતી. ચોરી કર્યા બાદ ફરિયાદીએ જ ચોરીનો મુદ્દામાલ છુપાવી દીધો હતો અને તેમાંથી પોતાનો હિસ્સો પણ લઈ લીધો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સફેદ રંગની મારુતિ ઇકો ગાડી માંડવીથી કિમ તરફ જતી હોવાની જાણ થતાં સુરત જિલ્લા એલસીબી અને ઓશગામની ટીમે સંયુક્ત રીતે માંડવી-કિમ રોડ પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે તેજ ગતિએ આવતી ગાડીને અટકાવીને આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના ઉશ્કર-રામકુંડ ગામના મહ્યાવંશી વિસ્તારમાં થયેલી ચોરીના મામલે એલસીબીની ટીમે મોટી સફળતા મેળવી છે. દાહોદ જિલ્લાના મોટી માલુગામના વનેશભાઈ પંગલાભાઈ મેડા અને તેના સાથીઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના મળીને કુલ 26,05,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરીના આ કાવતરામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ફરિયાદીએ પોતે જ આરોપીઓને ચોરી માટે બોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીએ જ આરોપીઓને ઘરનો રસ્તો, ઘરની અંદરની માહિતી અને તિજોરીની ચાવી ક્યાં મળશે તે જેવી તમામ વિગતો આપી હતી. ચોરી કર્યા બાદ ફરિયાદીએ જ ચોરીનો મુદ્દામાલ છુપાવી દીધો હતો અને તેમાંથી પોતાનો હિસ્સો પણ લઈ લીધો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સફેદ રંગની મારુતિ ઇકો ગાડી માંડવીથી કિમ તરફ જતી હોવાની જાણ થતાં સુરત જિલ્લા એલસીબી અને ઓશગામની ટીમે સંયુક્ત રીતે માંડવી-કિમ રોડ પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે તેજ ગતિએ આવતી ગાડીને અટકાવીને આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
- સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.1
- સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.1
- સુરત શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખટોદરા પી આઇ શ્રી એન વી ભરવાડ સાહેબ દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.1
- સુરત શહેરમાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ૬ વર્ષની નાબાલીક બાળકી સાથે દુષ્કર્મ આચરનારા ૮૨ વર્ષના વૃદ્ધ આરોપીને સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મુસા મોહમદ મંસુરી (ઉંમર ૮૨ વર્ષ) તરીકે થઈ છે. સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાલ સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઉમરવાડાની બેઠી કોલોનીમાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન ભરૂચ જિલ્લાનું સંખવાડ છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કડક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપી સામે કડક કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે.1