સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઉતર્યા પછી પણ ગંદકીના ડગલા જોવા મળી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિમાં સાફ સફાઈની કામગીરીને લઈને SMC તંત્રની આંખ બંધ છે. ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની બીક સેવાઈ રહી છે, જેના લીધે સ્થાનિક લોકો તંત્ર સામે લાચાર બની ગયા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ મુલાકાત લેવા માટે SMCના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર નથી.1
- સુરતમાં પડેલા ભારે વરસાદથી પ્રભાવિત થયેલા પરિવારો સુધી મદદ પહોંચાડવા માટે "ખેમાણી ભોજન" પ્રકલ્પ આગળ આવ્યો છે. ખેમાણી વેલફેર ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા આ પ્રકલ્પ હેઠળ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમ નગરમાં મસળધાર વરસાદનો ભોગ બનેલા જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને ત્યાં રાહત સામગ્રી તેમજ ભોજન વિતરણની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.1
- સુરતમાં પૂરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર, માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ ૨,૫૦૦ પૂરગ્રસ્ત પરિવારોને ૧.૫૦ કરોડ રૂપિયાની કેશ ડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, પ્રભાવિત પરિવારોને ઘરવખરીની સહાય પણ સીધી પહોંચાડવામાં આવી છે. નુકસાનીનો અંદાજ મેળવવા માટે શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦ જેટલી સર્વે ટીમો સતત કાર્યરત છે. આ ટીમો દ્વારા કુલ છ તાલુકાઓમાં ઘર-ઘર જઈને નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જે પરિવારોનો સર્વે કરવાનો બાકી રહી ગયો છે, તેઓનો સર્વે પણ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે અને તમામ પાત્ર પરિવારોને સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવશે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે ખાસ અપીલ કરી છે.1
- સુરતના ડિંડોલી વિસ્તારમાં બે દિવસ અગાઉ અલગ-અલગ ત્રણ મંદિરોમાં થયેલી ચોરીના મામલે ડીંડોલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ચમત્કારી હનુમાન મંદિર, મહાદેવ મંદિર તેમજ ડીલાડવા ગામે આવેલા નંદ મંદિરમાંથી ત્રણ જેટલી દાનપેટીઓમાંથી ચોરી થવાના બનાવો સામે આવ્યા હતા. આ અંગે ડીંડોલી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર બંને આરોપીઓ અંકિત માર્કંડે અને આયુષ પપ્પુ પાસવાનને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની ત્રણ દાનપેટી, રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત કુલ ₹૫૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા સુરત જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તથા DLSAના અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સંપન્ન થયો હતો. આ સફળ આયોજનના માધ્યમથી પક્ષકારોના વિવિધ કેસોનો પરસ્પર સહમતીથી નિકાલ કરવામાં આવ્યો હતો.1
- સુરતના લિબાયત વિસ્તારમાં આવેલા રતનજીનગર અને મઝદા પાર્ક-૧, ૨ સહિતની સોસાયટીઓમાં સરકારી અધિકારીઓ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે. અહીં જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા રૂબરૂ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લિબાયત વિસ્તારની આ સોસાયટીઓમાં કેશડોલ્સ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.1
- સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં એક યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવકનું નામ રાજ દુબે છે, જેની ઉંમર આશરે ૨૦ વર્ષ છે. એવું પણ સામે આવ્યું છે કે તે બાઇકને મસાલો બનાવવાનું કામ કરતો હતો. આ ઘટના રાત્રે આશરે ૧૨ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હત્યા પાછળનું સાચું કારણ શું છે અને આરોપી કોણ છે, તે અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.1