સુરતમાં પૂરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર, માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ ૨,૫૦૦ પૂરગ્રસ્ત પરિવારોને ૧.૫૦ કરોડ રૂપિયાની કેશ ડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, પ્રભાવિત પરિવારોને ઘરવખરીની સહાય પણ સીધી પહોંચાડવામાં આવી છે. નુકસાનીનો અંદાજ મેળવવા માટે શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦ જેટલી સર્વે ટીમો સતત કાર્યરત છે. આ ટીમો દ્વારા કુલ છ તાલુકાઓમાં ઘર-ઘર જઈને નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જે પરિવારોનો સર્વે કરવાનો બાકી રહી ગયો છે, તેઓનો સર્વે પણ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે અને તમામ પાત્ર પરિવારોને સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવશે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે ખાસ અપીલ કરી છે.
સુરતમાં પૂરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર, માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ ૨,૫૦૦ પૂરગ્રસ્ત પરિવારોને ૧.૫૦ કરોડ રૂપિયાની કેશ ડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, પ્રભાવિત પરિવારોને ઘરવખરીની સહાય પણ સીધી પહોંચાડવામાં આવી છે. નુકસાનીનો અંદાજ મેળવવા માટે શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦ જેટલી સર્વે ટીમો સતત કાર્યરત છે. આ ટીમો દ્વારા કુલ છ તાલુકાઓમાં ઘર-ઘર જઈને નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જે પરિવારોનો સર્વે કરવાનો બાકી રહી ગયો છે, તેઓનો સર્વે પણ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે અને તમામ પાત્ર પરિવારોને સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવશે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે ખાસ અપીલ કરી છે.
- સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.1
- સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.1
- સુરત શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખટોદરા પી આઇ શ્રી એન વી ભરવાડ સાહેબ દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.1
- સુરતના ઉમરવાડા વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે સલાબતપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આ કેસના ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૬ વર્ષની પૌત્રી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બ્લીડિંગ થતાં આ બાબતની જાણ પરિવારના સભ્યોને થઈ હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૨૧૦૦૫૫૨૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર મામલામાં પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી કરણરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન શ્રી ચિરાગ વાડદોરીયા સાહેબ દ્વારા પોક્સો હેઠળ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.1