Shuru
Apke Nagar Ki App…
ગુજરાતમાં સ્માર્ટ મીટર ફીટ કરવાના મુદ્દે આમજનતા ભારે પરેશાનીનો સામનો કરી રહી છે. લોકોના ઘરોમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયામાં પોલીસને સાથે રાખીને દાદાગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અત્યંત હેરાન અને પરેશાન થઈ ગઈ છે.
રજની ભાઈ પરીખ
ગુજરાતમાં સ્માર્ટ મીટર ફીટ કરવાના મુદ્દે આમજનતા ભારે પરેશાનીનો સામનો કરી રહી છે. લોકોના ઘરોમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયામાં પોલીસને સાથે રાખીને દાદાગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અત્યંત હેરાન અને પરેશાન થઈ ગઈ છે.
More news from ગુજરાત and nearby areas
- ગુજરાતમાં સ્માર્ટ મીટર ફીટ કરવાના મુદ્દે આમજનતા ભારે પરેશાનીનો સામનો કરી રહી છે. લોકોના ઘરોમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયામાં પોલીસને સાથે રાખીને દાદાગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અત્યંત હેરાન અને પરેશાન થઈ ગઈ છે.1
- અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે, જેમાં માત્ર ₹950 ના એક નાના ફ્રોડની તપાસ કરતાં દેશવ્યાપી ₹31 કરોડનું મ્યુલ અકાઉન્ટ કૌભાંડ સામે આવ્યું છે. આ મોટા કૌભાંડના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.1
- અમરેલી, તા. ૨૧ જૂન, ૨૦૨૬ (રવિવાર) ના રોજ, અમરેલી જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી શહેર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ના સંકલ્પ સાથે, મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, અને પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે ઉપસ્થિત યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ રાખવામાં આવી હતી, જે વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય અને સંતુલિત રાખવામાં યોગના મહત્વ પર ભાર મૂકે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે, પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું એક અસરકારક માધ્યમ છે. યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા અધિકાશ્રી કુરેશી, જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી અને અન્ય શહેરીજનો, વિદ્યાર્થીઓ, તથા વિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.1
- અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રાજસ્થલીથી પાતળા ગામ સુધીનો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બન્યો હોવા છતાં તેની હાલત અત્યંત બિસ્માર છે. માર્ગ પરના અનેક પુલો અને રસ્તાના ભાગોની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ મુદ્દે ખાંભાના સામાજિક કાર્યકર સુરેશ મકવાણાએ ગુજરાત સરકારના સ્વાગત ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, જેમાં તાજેતરમાં બનેલા માર્ગ અને પુલોમાં ગુણવત્તાના પ્રશ્નો હોવાનું જણાવ્યું હતું. જોકે, સંબંધિત વિભાગે જવાબમાં કામ પૂર્ણ થયાનું અને ટૂંક સમયમાં સી.સી. વર્ક શરૂ કરવાની જાણ કરી છે. પરંતુ, સ્થાનિક ગ્રામજનોનું માનવું છે કે જો માર્ગ અને પુલોની વાસ્તવિક સ્થિતિ તપાસવામાં આવે તો અનેક ગંભીર ખામીઓ ખુલી શકે છે. આથી, સુરેશ મકવાણાએ રાજ્ય સરકાર પાસે સમગ્ર માર્ગ અને પુલોની સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરાવી બાંધકામની ગુણવત્તા ચકાસવાની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે જો કોઈ ગેરરીતિ, બેદરકારી કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ-પુલોનું તાત્કાલિક સમારકામ થાય. જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુદ્દે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી હોવાનું સ્થાનિક ગ્રામજનો માની રહ્યા છે.4
- ૨૧ જૂન, 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ના પાવન અવસરે, તા. ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આ દિવસની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમાન 'યોગ' ના મહિમાને ઉજાગર કરવા માટે સારંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારે એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ શિસ્તબદ્ધ રીતે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ઊર્જાવાન અને પવિત્ર બની ગયું. ભારતીય ઋષિમુનિઓએ આપેલું યોગશાસ્ત્ર માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નથી; 'યોગ' નો સાચો અર્થ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે, જો શરીર સ્વસ્થ હશે તો જ ભગવાનની ભક્તિ અને સમાજની સેવા ઉત્તમ રીતે થઈ શકશે. આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા અને ઉપસ્થિત ભક્તોને નિયમિત યોગાસન, પ્રાણાયામ તેમજ વ્યાયામ કરવાની પ્રેરણા આપી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સારંગપુરમાં ઉજવાયેલો આ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' સૌના માટે સ્વાસ્થ્ય, શાંતિ અને ભક્તિનો એક અનોખો સંદેશ આપી ગયો.1
- આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ યોગ દિવસની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે સૌએ યોગના મહત્વ અંગે સંદેશ આપી યોગના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો.1
- બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં 75 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લામાં કુલ 250થી વધુ સ્થળોએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- એક સામાન્ય વ્યક્તિના મુખેથી કુદરતની સચ્ચાઈ અને હિંદુ ધર્મના ૩૩ કરોડ દેવતાઓ વિશે સાંભળવા માટે વાત કરવામાં આવી છે.1