Shuru
Apke Nagar Ki App…
નિઝર અને કુકરમુંડામાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ -સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ સાથે યોજી રેલી નિઝર અને કુકરમુંડા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન સાથે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને વેગ આપવાનો હતો.કુકરમુંડા તાલુકામાં શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ નિઝર તાલુકામાં વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
Hansraj Padvi
નિઝર અને કુકરમુંડામાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ -સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ સાથે યોજી રેલી નિઝર અને કુકરમુંડા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન સાથે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને વેગ આપવાનો હતો.કુકરમુંડા તાલુકામાં શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ નિઝર તાલુકામાં વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
More news from ગુજરાત and nearby areas
- તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, "એક સિલ્વર કલરની ટોયેટો કંપની ઇનોવા જેનો નં.- MH-03-Z -6179માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઇવે થઇ વ્યારા તરફ આવે છે " જે બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ઉપર આવી બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકિકતવાળી સિલ્વર કલરની ટોયેટા કંપનીની ઈનોવા ફોર વ્હીલ ગાડી આવતા તેને આયોજન પુર્વક બેરીકેટની આડાશથી રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ઉભી રખાવી ચેક કરતા ઇનોવા ફોર વ્હીલ ગાડીના પાછળની સીટ તથા ડીકીના ભાગે ખાખી પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો વ્હીસ્કી- બીયર ટીનનો જથ્થો ભરેલ હોય આરોપી- (૧) વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ રહે. ખાટકીવાડ, લાલગેટ, સુરત શહેર (૨) નિહાલ હુસૈન જાકીર શેખ રહે. સૈયદપુરા માર્કેટ, પ્રેમગલી, સુરત શહેર નાઓએ પોતાના કબજાની ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર GJ-12-FB- 3089 વાળી નંબર પ્લેટ કાઢી તેના બદલે રજીસ્ટ્રેશન નંબર MH-03-Z-6179 વાળી ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી વ્હીસ્કી તથા બીયર ટીન મળી બોક્ષ તથા છુટી બાટલી જેની કુલ કિં.રૂ. ૨,૯૭,૫૩૮/- નો પ્રોહી મુદ્દામાલ વહન કરી લઇ જતા ફોર વ્હીલ ગાડી તથા મોબાઇલ મળી કુલ્લે રૂપિયા-૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી કલમ- મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ :- પો.ઇન્સ. બી.જી.રાવલ, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ.શ્રી જે.બી.આહીર, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ, હે.કો લેબજીભાઇ પરબતજી, હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, ડ્રા.પો.કો.સુનીલભાઈ ખુશાલભાઇ, પો.કો વિનોદભાઇ ગોકુળભાઇ નાઓએ કામગીરી કરેલ છે. તાપી જિલ્લા ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ. ૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી3
- ઉમલ્લા વિસ્તાર માં રોંગ સાઈડ વહનવ્યવહાર ની સાથે ધૂળ ની ડમરી.. ભરૂચ જીલ્લામાં આવેલ ઝઘડિયા તાલુકાનાRPL કંપની થી ઉમલ્લા સુધી ના રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ને રોંગ સાઈડ વાહન હંકારવાની ફરજ પડે છે આવા સંજોગો માં અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યાં છે વહીવટી તંત્ર વધુમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા સામાન્ય લોકો ના સ્વાસ્થ્ય ની કોઈ ચિંતા નહીં ધૂળ ડમળી ઓથી શ્વાસ નળી અને ફેફસાં ના ધૂળ ના રજકણો ઉડીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે વાહનોની અવર જવર ને કારણે આસપાસ ના ખેડૂતો ના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે શું વહીવટી તંત્ર મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે? લોકોના નારાજગી જોવા મળી છે વહેલી તકે નિરાકરણ લાવવા માટે લોક માંગ છે,3
- હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- hii good morning sri me bhil vishnubhai kalidas veri good namsakaar3
- સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.” બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.1
- અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: નાત શરીફના પઠન સાથે નીકળ્યું શાનદાર ઝુલુસ અંકલેશ્વરમાં ઈદે મિલાદ-ઉન-નબીની આસ્થાભેર ઉજવણી: કોમી એકતા અને અમન-શાંતિનો ગુંજ્યો સંદેશ અંકલેશ્વર શહેર સહિત સમગ્ર પંથકમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ-ઉન-નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદને લઈને મુસ્લિમ સમાજમાં વહેલી સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની વિવિધ મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોને આકર્ષક રોશની અને સજાવટથી શણગારવામાં આવતા સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાત શરીફના પઠન સાથે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઝુલુસ દરમિયાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા ઝુલુસને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર રૂટ પર ધાર્મિક ભાવના સાથે ભાઈચારો, એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ ઝુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા પયગંબર સાહેબના જીવન અને ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદે મિલાદના પ્રસંગે પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાંથી મળતા પ્રેમ, દયા, માનવતા, શાંતિ અને ભાઈચારાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા પણ પયગંબર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારી સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે દેશ અને દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે, તમામ સમાજો વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત બને તથા લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ઈદે મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉજવણીને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઝુલુસના સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી સાથે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તંત્રની સતર્ક કામગીરી તેમજ આયોજકો, સમાજના આગેવાનો અને બિરાદરોના સહકારના પગલે ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી સમગ્ર અંકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કોમી એકતા, ભાઈચારો અને અમન-શાંતિનો સંદેશ ગુંજ્યો હતો.1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઇદે મિલાદુન્નબીની આન બાન અને શાનથી ઉજવણી છોટાઉદેપુર જીલ્લામાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગમ્બર સાહેબ "સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ" ના ૧૫૦૧માં જન્મદિવસ નિમિત્તે ઈદે-મિલાદની ઉજવણી ભારે ધામધૂમ અને ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી ઈદે-મિલાદની ઉજવણીના પગલે તમામ મસ્જિદો, દરગાહો તેમજ મહોલ્લાઓને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઈદ મિલાદના ઉજવણી પર્વે છોટાઉદેપુર નગરમાં ભવ્ય ધાર્મિક જુલૂસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો, મદરેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. હઝરત મોહંમહ પયંગમ્બર સાહેબના જન્મ દિનની જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય ઝુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. ઇદે મિલાદની ઉજવણીના ભાગ રુપે છોટાઉદેપૂરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણો ની ચમક થી ઝળહળી ઉઠયા હતા. ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના ૧૫૦૧માં જન્મદિને ઇદે મિલાન્દુન્નબી સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાનથી ખુબજ શાંતિપૂર્વક ઉજવણી કરાઇ હતી. છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ મોહલ્લા, કસ્બા, નજરબાગ, સિંધી ટાઉન, નુરાની મોહલ્લા, દરગાહ રોડ, કાદરિયા ચોક, નટવર પુરા, ચિસ્તીયા મોહલ્લા, વણજારા મોહલ્લા, અજમેરી મોહલ્લા, અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારો ઝુલુસ માં પઢાવાતી નાતે પાક ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ જિલ્લાની મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરઅત, નાત શરીફ અને સલામ પઢી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુવાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8:30 વાગ્યે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દિન નિમિત્તે આજે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા. જુલુસમાં આવતાં બાળકોને શરબત, બિસ્કીટ, ચોકલેટ વગેરે વહેચવામાં આવ્યા હતા. આમ છોટાઉદેપુરમાં હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, આમ હઝરત મોહમદ પયગમ્બર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા ઉપર ચાલી ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જુલુસ ના સમાપન બાદ મસ્જિદોમાં મોહંમદ પયગંબર સાહેબ ના મુએ મુબારક એટલેકે વાળ મુબારકની ઝીયારતનું કાર્યક્રમ યોજાયો હતો, અને સાથેજ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મુહંમદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદનુ પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે. જેમા દેશમાં શાંતિ અને સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે, ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે ઇદે મિલાદુન્નબી નું ભવ્ય જુલૂસ કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને એક બીજાને મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવે છે. અહેવાલ : ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર.1