વડાલી નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું વડાલી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક કારીગરો અને વેપારીઓને સહકાર આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે વડાલી કેળવણી મંડળના પ્રમુખ માન.શ્રી તખતસિંહ હડિયોલ, વડાલી શહેર ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ચંપાવત, વડાલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ઉપલાણા, પૂર્વ પ્રમુખ મોતીસિંહ રાઠોડ તેમજ સામાજિક કાર્યકર દિનેશભાઈ રાવજી હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજ ભાટી તથા ચીફ ઓફિસર હિતેન્દ્રભાઈ પટેલ સહિત આગેવાનો અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરી મેળાને પ્રારંભ અપાયો હતો. મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક કારીગરો અને વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળી રહી છે. નગરજનોમાં પણ મેળાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાલી નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું વડાલી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક કારીગરો અને વેપારીઓને સહકાર આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે વડાલી કેળવણી મંડળના પ્રમુખ
માન.શ્રી તખતસિંહ હડિયોલ, વડાલી શહેર ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ચંપાવત, વડાલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ઉપલાણા, પૂર્વ પ્રમુખ મોતીસિંહ રાઠોડ તેમજ સામાજિક કાર્યકર દિનેશભાઈ રાવજી હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજ ભાટી તથા ચીફ ઓફિસર હિતેન્દ્રભાઈ પટેલ સહિત આગેવાનો અને નગરજનો
પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરી મેળાને પ્રારંભ અપાયો હતો. મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક કારીગરો અને વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળી રહી છે. નગરજનોમાં પણ મેળાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.1
- *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી* *મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન* *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન* અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006504
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર1
- Post by RAMESH ZALA8
- મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ1
- વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરો માટે બનાવેલા છાપરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુસિંહ કોદરસિંહ પરમારના ખેતરમાં બનેલા આ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ વડાલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર, અશ્વિન વણકર અને બ્રિજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1