વણોદ ગામે DAY-NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: સ્વ-સહાય જૂથોને રૂ. ૧.૩૮ કરોડનું ધિરાણ અપાયું સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામે આજ રોજ DAY-NRLM યોજના અંતર્ગત એક ભવ્ય કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ફરહાદભાઈ જરગેલા અને રવીન્દ્ર પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પંજાબ નેશનલ બેંક (વણોદ શાખા) દ્વારા વિવિધ સ્વ-સહાય જૂથોને કુલ રૂપિયા ૧.૩૮ કરોડ (એક કરોડ આડત્રીસ લાખ રૂપિયા)નું જંગી ધિરાણ આપવામાં આવ્યું હતું, જે ગ્રામીણ રોજગારી અને મહિલા સશક્તિકરણને મોટું બળ પૂરું પાડશે. આ કેશ ક્રેડિટ કેમ્પમાં સ્થાનિક વહીવટી તંત્ર અને બેંકના અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં તાલુકા લાઇવલીહૂડ મેનેજર તૃપ્તિબેન આચાર્ય, પંજાબ નેશનલ બેંક વણોદ શાખાના બ્રાંચ મેનેજર શ્રેષ્ઠ કોહલી, તાલુકા એ.પી.એમ. ભૂમિકાબેન રાવલ, એ.પી.એમ. પ્રિન્સભાઈ મકવાણા અને વણોદ સેજાના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર કામરાનભાઈ પઢિયાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત DAY-NRLM યોજનાના તમામ સ્ટાફગણે હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર :- શૈલેષ વાણિયા પાટડી,સુરેન્દ્રનગર
વણોદ ગામે DAY-NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: સ્વ-સહાય જૂથોને રૂ. ૧.૩૮ કરોડનું ધિરાણ અપાયું સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામે આજ રોજ DAY-NRLM યોજના અંતર્ગત એક ભવ્ય કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ફરહાદભાઈ જરગેલા અને રવીન્દ્ર પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પંજાબ નેશનલ બેંક (વણોદ શાખા) દ્વારા વિવિધ સ્વ-સહાય જૂથોને કુલ રૂપિયા ૧.૩૮ કરોડ (એક કરોડ આડત્રીસ લાખ રૂપિયા)નું જંગી ધિરાણ આપવામાં આવ્યું હતું, જે ગ્રામીણ રોજગારી અને મહિલા સશક્તિકરણને મોટું બળ પૂરું પાડશે. આ કેશ ક્રેડિટ કેમ્પમાં સ્થાનિક વહીવટી તંત્ર અને બેંકના અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં તાલુકા લાઇવલીહૂડ મેનેજર તૃપ્તિબેન આચાર્ય, પંજાબ નેશનલ બેંક વણોદ શાખાના બ્રાંચ મેનેજર શ્રેષ્ઠ કોહલી, તાલુકા એ.પી.એમ. ભૂમિકાબેન રાવલ, એ.પી.એમ. પ્રિન્સભાઈ મકવાણા અને વણોદ સેજાના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર કામરાનભાઈ પઢિયાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત DAY-NRLM યોજનાના તમામ સ્ટાફગણે હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર :- શૈલેષ વાણિયા પાટડી,સુરેન્દ્રનગર
- સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- Post by Safik Khan1
- Post by BANAS TV HD1
- Post by Thakor Suresh1
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1