Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આજરોજ વાવ થરાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન, તેમણે લુણાવા ખાતે મુલાકાત કરી હતી અને ત્યારબાદ થરાદ સિવિલ હોસ્પિટલ, ભારત માલા, વાવ ખાતેના પાવરગ્રીડ તેમજ નાડાબેટની પણ મુલાકાત લીધી હતી. મંત્રી ઋષિકેશ પટેલે સરહદી લાખણી, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાઓની પણ મુલાકાત કરી હતી.
RAJUJI D.THAKOR
વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આજરોજ વાવ થરાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન, તેમણે લુણાવા ખાતે મુલાકાત કરી હતી અને ત્યારબાદ થરાદ સિવિલ હોસ્પિટલ, ભારત માલા, વાવ ખાતેના પાવરગ્રીડ તેમજ નાડાબેટની પણ મુલાકાત લીધી હતી. મંત્રી ઋષિકેશ પટેલે સરહદી લાખણી, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાઓની પણ મુલાકાત કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આજરોજ વાવ થરાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન, તેમણે લુણાવા ખાતે મુલાકાત કરી હતી અને ત્યારબાદ થરાદ સિવિલ હોસ્પિટલ, ભારત માલા, વાવ ખાતેના પાવરગ્રીડ તેમજ નાડાબેટની પણ મુલાકાત લીધી હતી. મંત્રી ઋષિકેશ પટેલે સરહદી લાખણી, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાઓની પણ મુલાકાત કરી હતી.1
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે, "૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના" અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં થરાદ તાલુકાના લુણાવા ખાતેથી "પ્રગતિપથ યાત્રા"નો પ્રારંભ કરાયો હતો. આ યાત્રા દરમિયાન મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો મલુપુર સ્થિત ભારતમાલા માર્ગ, થરાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અને આઇકોનિક રોડ, વાવ સ્થિત પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ્થળ સહિત જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, જાહેર સુવિધાઓ અને માળખાગત પ્રોજેક્ટોની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, માળખાગત વિકાસ અને જનહિતલક્ષી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવશે, સાથે જ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પથી વાવ-થરાદ જેવા પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને પાણીદાર બનાવવાનું કાર્ય શક્ય બન્યું છે. તેમણે ૨૦૨૧ દરમિયાન પાણી અને સિંચાઈ ક્ષેત્ર માટે અંદાજે રૂ. ૨૫ હજાર કરોડની જોગવાઈનો ઉલ્લેખ કર્યો, જેના પરિણામે તળાવો ભરવા, પાઈપલાઈન નેટવર્ક વિસ્તૃત કરવા અને ખેડૂતોને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાના કાર્યોને વેગ મળ્યો છે, જેનાથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે સર્વાંગી વિકાસની નવી દિશા પ્રાપ્ત કરી છે, જેમાં પાણી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ વ્યવસ્થા અને ગરીબ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં ઐતિહાસિક કામગીરી થઈ છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે પારદર્શક અને અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, મહિલા સશક્તિકરણ, યુવાનોને રોજગારી, ગરીબોને આવાસ, નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી અનેક પહેલોથી સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને આત્મનિર્ભર, સમૃદ્ધ, સુરક્ષિત અને સર્વસમાવેશી ભારતના નિર્માણ સાથે જોડ્યું અને જણાવ્યું કે દેશની સુરક્ષા મજબૂત કરવા, વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવા અને સામાન્ય નાગરિકના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યરત છે. આ પ્રગતિપથ યાત્રાની સાથે થરાદ સ્થિત ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની છેલ્લા ૧૨ વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીમાં વિવિધ વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરકારની વિકાસયાત્રા અને જનહિતલક્ષી કામગીરીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી શકશે. આ તકે રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રત્નીબેન પરમાર, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા અગ્રણીશ્રી નરેશજી ઠાકોર, શ્રી કરશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- વાવ - થરાદના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે થરાદ ખાતે મીડિયા સંવાદનું આયોજન કર્યું હતું. આ સંવાદમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાનના 'વિશ્વાસ, વિકાસ અને જલ કલ્યાણ' પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સમયગાળામાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. પ્રભારી મંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.1
- ગાંધીનગર ખાતે વિશ્વ આંજણાધામ સંચાલિત ગુજરાતના વિવિધ તાલુકાઓના સંયોજકોની એક મહત્ત્વપૂર્ણ બેઠક ચૌધરી સમાજના ભામાશા મણીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ગાંધીનગરના જમયિતપુરા ખાતે પંદર વિઘા જમીનમાં નવનિર્મિત થનારા વિશ્વ આંજણાધામના સંદર્ભમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ચૌધરી સમાજના શિક્ષણ, આરોગ્ય અને કરોડોના ખર્ચે બનનારા આ ધામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, મહામંત્રી નાંનજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે વિશ્વ આંજણાધામના પ્રમુખ શ્રી મણીભાઈ ચૌધરીએ ચૌધરી સમાજના આવનારા સમયની ચિંતા કરીને એક મોટા શિક્ષણ અને આરોગ્યના વિઝન સાથે આ પહેલ કરી છે. આ વિઝન છેવાડાના ચૌધરી સમાજના લોકો સુધી પહોંચે, અને સમાજની દીકરીઓ તથા દીકરાઓને સારા વાતાવરણમાં શિક્ષણ મળી રહે અને તેઓ આગળ વધે તેવા હેતુથી આ વિશ્વ આંજણાધામ તૈયાર કરવામાં આવશે. વધુમાં, મહામંત્રી અમિતભાઈ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે અને આર્થિક સ્થિતિ ઓછી ધરાવે છે, તેમને પણ વિશ્વ આંજણાધામ ખાતે શિક્ષણ આપીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વિશ્વ આંજણા ધામના ખજાનચી રમેશભાઈ ચૌધરીએ પણ છેવાડાના સમાજના વિદ્યાર્થીઓને આંજણા ધામ ખાતે શિક્ષણ આપવા, તથા શિક્ષણ, માર્ગદર્શન, સંસ્કાર, આરોગ્ય અને રમતગમત માટે સર્વાંગી વિકાસ કરીને સમાજને મજબૂત બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. બેઠકમાં હાજર ચૌધરી સમાજના વક્તાઓએ જણાવ્યું કે સમાજના યુવા કાર્યકર્તાઓ શિક્ષણ સાથે સમાજ સેવા માટે મજબૂત ઇમારતના નિર્માણમાં દાયકાઓ સુધી યોગદાન આપશે. આ બેઠક દરમિયાન આવેલા સંયોજકોને નવનિર્મિત થનારા વિશ્વ આંજણાધામના બાંધકામ, તેના વિવિધ પ્રકારના વિભાગો સહિત સમગ્ર નિર્માણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં આંજણાધામના પ્રમુખ શ્રી મણીભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરી, સેક્રેટરી શ્રી નાંનજીભાઈ ચૌધરી, ખજાનચી શ્રી રમેશભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ શ્રી આર. ડી. ચૌધરી, સંયુક્ત રજીસ્ટ્રાર શ્રી સુનિલભાઈ ચૌધરી, શ્રી એસ. આર. ચૌધરી અને શ્રી મનીષભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને લોકોને માહિતગાર કર્યા હતા.1
- ભાભરમાં પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર અને ગાડલિયા ગૌસેવા ટ્રસ્ટના લાભાર્થે શ્રીમદ્ ભગવદ્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોટી સંખ્યામાં ભક્તો રસપાન કરવા આવી રહ્યા છે, જ્યારે દાતાઓ પણ દાન આપીને આ ધર્મકાર્યમાં સહભાગી બની રહ્યા છે.1
- માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવસરી - બાખાસર રોડ પર આવેલી ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસમાંથી માવસરી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹૮,૧૮,૬૯૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે એક શખ્સની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.3
- પાટણના સમી તાલુકામાં આવેલા બાસ્પા બસ સ્ટેન્ડ પાસે એક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મારુતિ કારે બાઈકને ટક્કર મારતા બાઈક સ્કૂલવાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને કારણે બાઈક પર સવાર બે યુવાનો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.1