Shuru
Apke Nagar Ki App…
🏥 AIM PHYSIOTHERAPY CLINIC 🏥 એઈમ ફિઝિયોથેરાપી ક્લિનિક 👩⚕️ ડૉ. અમીરા મફત Dr.Amira Mafat (B.P.T.G.S.C.P.T) 👉 નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ મહિલા તબીબ દ્વારા ફિઝિયોથેરાપીને લગતી તમામ તકલીફો બીમારીઓ તેમજ જટિલ બીમારીઓની સારવાર અને કસરત આધુનિક મશીનોની પદ્ધતિ દ્વારા કરી આપવામાં આવશે.. 👇 સ્થળ 👇 👉 કાન્હા સેન્ટ્રલ શોપિંગ કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે, વડોદરા રોડ,હાલોલ. 👩⚕️ ડૉ. અમીરા મફત Dr.Amira Mafat (B.P.T.G.S.C.P.T) 👇 Contact 👇 📱 99790 19594 📱 99790 19594
Apna Bajar Halol
🏥 AIM PHYSIOTHERAPY CLINIC 🏥 એઈમ ફિઝિયોથેરાપી ક્લિનિક 👩⚕️ ડૉ. અમીરા મફત Dr.Amira Mafat (B.P.T.G.S.C.P.T) 👉 નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ મહિલા તબીબ દ્વારા ફિઝિયોથેરાપીને લગતી તમામ તકલીફો બીમારીઓ તેમજ જટિલ બીમારીઓની સારવાર અને કસરત આધુનિક મશીનોની પદ્ધતિ દ્વારા કરી આપવામાં આવશે.. 👇 સ્થળ 👇 👉 કાન્હા સેન્ટ્રલ શોપિંગ કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે, વડોદરા રોડ,હાલોલ. 👩⚕️ ડૉ. અમીરા મફત Dr.Amira Mafat (B.P.T.G.S.C.P.T) 👇 Contact 👇 📱 99790 19594 📱 99790 19594
More news from Panch Mahals and nearby areas
- હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.1
- હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ1
- movers and packers vadodara call now 80949790111
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- નસવારી થી યુવરાજસી જરેજા વિદ્યાર્થી યો માટે વાતકરી1
- આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.1
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.1