Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from ગુજરાત and nearby areas
- Post by Dhavalbhai Baria10
- છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. l સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.2
- હાલોલ વડોદરા રોડ પર ટેલરમાં કાર ઘૂસી સર્જાયો ગંભીર અક્સ્માત સર્જાયો,કારમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત હાલોલ-વડોદરા રોડ પર પોલીકેબ કંપનીની સામે તા.24 એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં પોલિકેબ કંપનીના વાયરો ભરેલા ટેલરમાં કાર ઘૂસી જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. મળતી માહિતી મુજબ ટેલર ડીઝલ ભરાવીને નીકળતું હતું ત્યારે વડોદરા તરફથી હાલોલ આવી રહેલી કાર અચાનક ટેલર સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં હાલોલના અલિયારપાર્ક ખાતે રહેતી રેખાબેન નારણભાઈ પટેલ અને વડોદરાની પ્રેક્ષાબેન મનોજભાઈ વસાવા ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને મહિલાઓ માં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.1
- Post by ALL INDIA TIME1
- Post by Nationgujarat.com1
- Post by Yunis mahammad C Parmar1
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- Post by TEAM JAGRUT1