Shuru
Apke Nagar Ki App…
વડોદરાના કોટંબી નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક લક્ઝરી બસ ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત કુલ સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય છવીસ લોકો ઘાયલ થયા હતા.
Our rights news
વડોદરાના કોટંબી નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક લક્ઝરી બસ ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત કુલ સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય છવીસ લોકો ઘાયલ થયા હતા.
More news from Gujarat and nearby areas
- વડોદરાના આજવા રોડ પરથી નશાકારક કફ સીરપ (કોડીન) વેચતા સતનામસિંહ સીકલીગર નામના શખસને SOGએ ઝડપી પાડ્યો છે. પોલીસે દરોડો પાડી ₹96,141 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ફરાર સહ-આરોપી હિરવ પંડ્યાને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.1
- વડોદરાના કોટંબી નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક લક્ઝરી બસ ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત કુલ સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય છવીસ લોકો ઘાયલ થયા હતા.1
- વડોદરા શહેરના દાંડિયા બઝાર વિસ્તારમાં આવેલી રેવા હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ છે. અહીં સારવાર લઈ રહેલા એક દર્દીના પરિવારજનોએ ડૉક્ટર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સમયસર અને યોગ્ય સારવાર ન મળવાને કારણે દર્દીની તબિયત વધુ લથડી હતી અને તેની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. હોસ્પિટલ તંત્રની આ કથિત બેદરકારી સામે રોષે ભરાયેલા સગાંઓએ જવાબદાર ડૉક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તટસ્થ તપાસ કરે તેવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હોસ્પિટલના વહીવટ સામે ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે.1
- વડોદરાના ગોલ્ડન બ્રિજ-હાલોલ રોડ પર એક ખાનગી વાહન નંબર GJ 19 BJ 2391 પર ભારતના રાજચિહ્ન અશોક સ્તંભનું સ્ટીકર જોવા મળતાં ચર્ચા જાગી છે. આ ઘટના કાયદાકીય કાર્યવાહીને પાત્ર બની શકે છે. ભારતના રાજચિહ્ન (અયોગ્ય ઉપયોગ નિષેધ) અધિનિયમ, 2005ની કલમ-3 સ્પષ્ટપણે રાજચિહ્નના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે કલમ-7 હેઠળ આવા ઉલ્લંઘન માટે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે. જો તપાસમાં આ ઉલ્લંઘન સાબિત થાય, તો સત્તાવાળાઓ દ્વારા સ્ટીકર દૂર કરાવવા, દંડ ફટકારવા, અને જરૂરી જણાય તો પોલીસ ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, તે અંગે લોકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે.1
- વરાછા એ ઝોન ઓફિસ ખાતે વહેલી સવારથી જ જન્મ-મરણના નવા દાખલા કઢાવવા અને તેમાં સુધારા કરાવવા માટે લોકોની ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સંતાનોના સ્કૂલ એડમિશનમાં બાળકના જન્મના દાખલામાં 'આખું નામ' ફરજિયાત હોવાથી વાલીઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કચેરી દ્વારા દાખલા સંબંધિત આ કામગીરી માત્ર સવારે 10:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી જ કરવામાં આવે છે, કારણ કે બપોરના 2:00 વાગ્યા પછી કર્મચારીઓને વસ્તી ગણતરીના કામમાં જવાનું હોવાથી કામગીરી બંધ થઈ જાય છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે અને કચેરીમાં જગ્યા ટૂંકી પડતાં લોકોની કતારો મુખ્ય દરવાજાની બહાર રોડ સુધી લંબાઈ છે, જેના કારણે અનેક લોકો છેલ્લા ત્રણ દિવસથી લાઈનમાં ઊભા રહી ધક્કા ખાઈ રહ્યા છે. વાલીઓ અને મહિલાઓ પોતાના નાના માસૂમ બાળકોને સાથે લઈને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ ન થતાં અને બારીઓ બંધ થઈ જતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.1
- વડોદરા નજીક કોટબી ગામ પાસે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લકઝરી બસ રોડ પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અંદાજિત 10 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલો દર્શાવે છે.1