logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ *સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ* ------- *આચાર્ય ભગવંતશ્રી વિજય યશોવર્મ સુ.મ.ને યશતિલક કરી મંગળ આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રીશ્રી* ------- *નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિ* ------- *આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક ‘શ્રદ્ધેય ગુરૂદેવશ્રી’નું વિમોચન કરતા મુખ્યમંત્રી અને મહાનુભાવો* ------- *આચાર્યશ્રી યશોવર્મજીએ બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ* ------- *સંયમિત જીવનને સાચા અને કાયમી સુખનું સરનામું ગણાવી સૌ કોઈને જીવનમાં વિરલ સુખ અને શાંતિ માટે ધર્મ સાથે જોડાયેલા રહેવા આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રી* ------ માહિતી બ્યુરો:સુરત:રવિવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય એ અકળ છે, જેની અનૂભૂતિ જ કરી શકાય એમ છે. મુખ્યમંત્રીશ્રીએ જૈનાચાર્ય યશોવર્મસુરીશ્વર મહારાજ દ્વારા કરવા આવેલા કામોની સહર્ષ નોંધ લઇ ૬૩ વર્ષના તેમના સફળ દીક્ષાપર્યાયને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી સમાજને સુસંસ્કૃત કરવા તેમણે આપેલા યોગદાનની સરાહના કરી હતી. વર્ષ ૧૯૬૫માં નાની વયે દીક્ષા લઈને આચાર્યશ્રીએ દેશના ખૂણેખૂણામાં પરિભ્રમણ કરી અનેક લોકો અને પરિવારોનું કલ્યાણ કરવાની સાથે ખરા અર્થમાં તેઓના પથદર્શક બનવાનું ઉત્તમ કાર્ય કર્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એમ જણાવી તેમણે અહીં કંઇક આપવા માટે નહીં પરંતુ જીવનનું અમૂલ્ય ભાથું લેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ ભૌતિક સુખની પાછળ દોટ મુકીએ છીએ. જીવનનું સાચું સુખ તો સાધુત્વમાં રહેલું છે. રાજયના તમામ નાગરિકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી મોક્ષ પામવા તરફ પ્રશસ્ત થાય એવા આચાર્યશ્રીના આશીર્વાદની કામના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંયમિત જીવનને સુખનું સાચું અને કાયમી સરનામું ગણાવી સૌ કોઇને જીવનમાં સાચું સુખ અને શાંતિ મેળવવા ધર્મ સાથે જોડાયેલા રહેવાની શીખ આપી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતની પાવન ભૂમિ પર હજારો લોકોને જૈનાચાર્ય અભયદેવસૂરી અને વિજય યશોવર્મસૂરીશ્વરજીનો લાભ મળી રહ્યો છે. બન્ને આચાર્યોની નિશ્રામાં લોકજીવનમાં હકારાત્મક બદલાવ આવ્યા છે અને માત્ર જૈન સમાજ જ નહીં, અન્યો સમાજોને પણ નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આચાર્ય યશોવર્મ સૂરીશ્વરજી દ્વારા યુવાઓ અને બાળકોને તેમની શિબિરો થકી ધર્મ અને સમાજ સાથે સાંકળવા અને જ્ઞાન સાથે સંસ્કાર આપવાના ભગીરથ યોગદાનની સરાહના કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ યશોવર્મ સુરિશ્વર મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન કાર્યક્રમનું યજમાન પદ સુરતને આપવા બદલ તેમણે ધન્યતાની લાગણી વ્યક્ત કરી આભાર વ્યકત કર્યો હતો. આ પદપ્રદાન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ ગચ્છાધિપતિ તરીકે પદગ્રહણ કરી રહેલા નૂતન ગચ્છાધિપતિના ભાલે વિજય તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ ગચ્છાધિપતિ અભયદેવ સુરીશ્વર મહારાજે નૂતન ગચ્છાધિપતિના કાનમાં મંત્ર ઉચ્ચારણ કરી સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક નૂતન ગચ્છાધિપતિને પદપ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ યશોવર્મ સુરિશ્વર મહારાજના જીવનચરિત્રને આલેખતા “શ્રદ્ધેય ગુરૂદેવશ્રી” પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્યશ્રીઓ મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી, મ્યુ.કમિશનરશ્રી એમ. નાગરાજન, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક પદાધિકારી, અધિકારી, જૈનમુનિઓ, સાધુભગવંતો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. -૦૦-

5 hrs ago
user_Hafiz Shaikh
Hafiz Shaikh
નવસારી, નવસારી, ગુજરાત•
5 hrs ago

સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ *સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ* ------- *આચાર્ય ભગવંતશ્રી વિજય યશોવર્મ સુ.મ.ને યશતિલક કરી મંગળ આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રીશ્રી* ------- *નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિ* ------- *આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક ‘શ્રદ્ધેય ગુરૂદેવશ્રી’નું વિમોચન કરતા મુખ્યમંત્રી અને મહાનુભાવો* ------- *આચાર્યશ્રી યશોવર્મજીએ બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ* ------- *સંયમિત જીવનને સાચા અને કાયમી સુખનું સરનામું ગણાવી સૌ કોઈને જીવનમાં વિરલ સુખ અને શાંતિ માટે ધર્મ સાથે જોડાયેલા રહેવા આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રી* ------ માહિતી બ્યુરો:સુરત:રવિવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી

હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય એ અકળ છે, જેની અનૂભૂતિ જ કરી શકાય એમ છે. મુખ્યમંત્રીશ્રીએ જૈનાચાર્ય યશોવર્મસુરીશ્વર મહારાજ દ્વારા કરવા આવેલા કામોની સહર્ષ નોંધ લઇ ૬૩ વર્ષના તેમના સફળ દીક્ષાપર્યાયને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી સમાજને સુસંસ્કૃત કરવા તેમણે આપેલા યોગદાનની સરાહના કરી હતી. વર્ષ ૧૯૬૫માં નાની વયે દીક્ષા લઈને આચાર્યશ્રીએ દેશના ખૂણેખૂણામાં પરિભ્રમણ કરી અનેક લોકો અને પરિવારોનું કલ્યાણ કરવાની સાથે ખરા અર્થમાં તેઓના પથદર્શક બનવાનું ઉત્તમ કાર્ય કર્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એમ જણાવી તેમણે અહીં કંઇક

આપવા માટે નહીં પરંતુ જીવનનું અમૂલ્ય ભાથું લેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ ભૌતિક સુખની પાછળ દોટ મુકીએ છીએ. જીવનનું સાચું સુખ તો સાધુત્વમાં રહેલું છે. રાજયના તમામ નાગરિકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી મોક્ષ પામવા તરફ પ્રશસ્ત થાય એવા આચાર્યશ્રીના આશીર્વાદની કામના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંયમિત જીવનને સુખનું સાચું અને કાયમી સરનામું ગણાવી સૌ કોઇને જીવનમાં સાચું સુખ અને શાંતિ મેળવવા ધર્મ સાથે જોડાયેલા રહેવાની શીખ આપી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતની પાવન ભૂમિ પર હજારો લોકોને જૈનાચાર્ય અભયદેવસૂરી અને વિજય યશોવર્મસૂરીશ્વરજીનો લાભ મળી રહ્યો છે. બન્ને આચાર્યોની નિશ્રામાં લોકજીવનમાં હકારાત્મક બદલાવ આવ્યા છે અને માત્ર જૈન સમાજ જ નહીં, અન્યો સમાજોને પણ નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આચાર્ય યશોવર્મ સૂરીશ્વરજી દ્વારા યુવાઓ અને બાળકોને તેમની શિબિરો થકી ધર્મ અને સમાજ સાથે સાંકળવા અને જ્ઞાન સાથે સંસ્કાર આપવાના

ભગીરથ યોગદાનની સરાહના કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ યશોવર્મ સુરિશ્વર મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન કાર્યક્રમનું યજમાન પદ સુરતને આપવા બદલ તેમણે ધન્યતાની લાગણી વ્યક્ત કરી આભાર વ્યકત કર્યો હતો. આ પદપ્રદાન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ ગચ્છાધિપતિ તરીકે પદગ્રહણ કરી રહેલા નૂતન ગચ્છાધિપતિના ભાલે વિજય તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ ગચ્છાધિપતિ અભયદેવ સુરીશ્વર મહારાજે નૂતન ગચ્છાધિપતિના કાનમાં મંત્ર ઉચ્ચારણ કરી સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક નૂતન ગચ્છાધિપતિને પદપ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ યશોવર્મ સુરિશ્વર મહારાજના જીવનચરિત્રને આલેખતા “શ્રદ્ધેય ગુરૂદેવશ્રી” પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્યશ્રીઓ મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી, મ્યુ.કમિશનરશ્રી એમ. નાગરાજન, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક પદાધિકારી, અધિકારી, જૈનમુનિઓ, સાધુભગવંતો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. -૦૦-

More news from ગુજરાત and nearby areas
  • નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરનારા ઝડપાયા હોવાનું પોલીસ અધિકારીએ જાહેર કર્યું
    1
    નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરનારા ઝડપાયા હોવાનું પોલીસ અધિકારીએ જાહેર કર્યું
    user_જીતેન્દ્ર પટેલ
    જીતેન્દ્ર પટેલ
    વર્ગીકૃત જાહેરાતો અખબાર પ્રકાશક નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
  • વેસુની 300 કરોડની જમીન કૌભાંડી ઝડપાયો અમેરિકા ભાગે તે પેહલા ઇકો સેલ પોલીસે દબોચ્યો બિલ્ડર પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પર થી ધરપકડ કૌભાંડી વિનુ માલવિયાનો પાર્ટનર પ્રતુલ પટેલ ખેડૂતની જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા
    4
    વેસુની 300 કરોડની જમીન કૌભાંડી ઝડપાયો 
અમેરિકા ભાગે તે પેહલા ઇકો સેલ પોલીસે દબોચ્યો 
બિલ્ડર પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પર થી ધરપકડ 
કૌભાંડી વિનુ માલવિયાનો પાર્ટનર પ્રતુલ પટેલ 
ખેડૂતની જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા 
પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    5 hrs ago
  • https://youtube.com/shorts/n02EXbtCVwk?feature=share
    1
    https://youtube.com/shorts/n02EXbtCVwk?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    5 hrs ago
  • સુરત શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ દળ ન હોય અને કોઈ ખોફ ના હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જ્યાં કેટલાક અસમતિ તત્વો દ્વારા ભેસ્તાન વિસ્તારમાં પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ પાસે બે યુવાને ધોળમાળ મારતા હોય તેઓ વીડિયો વાયરલ થતા પોલીસનો તપાસતો વિષય બન્યો.
    1
    સુરત શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ દળ ન હોય અને કોઈ ખોફ ના હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જ્યાં કેટલાક અસમતિ તત્વો દ્વારા ભેસ્તાન વિસ્તારમાં પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ પાસે બે યુવાને ધોળમાળ મારતા હોય તેઓ વીડિયો વાયરલ થતા પોલીસનો તપાસતો વિષય બન્યો.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    30 min ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • जम्मू कश्मीर में आतंकी मुठभेड़ जारी
    1
    जम्मू कश्मीर में आतंकी मुठभेड़ जारी
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • गुजरातः सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।
    1
    गुजरातः सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરત: મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો, જેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તા દ્વારા લિંબાયત ઝોન ખાતે તેમના વિરુદ્ધ માં ગણેશવાલાકો બરખાસ કરો ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો,
    5
    સુરત: મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો, જેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તા દ્વારા લિંબાયત  ઝોન ખાતે તેમના વિરુદ્ધ માં ગણેશવાલાકો બરખાસ કરો ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો,
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.