Shuru
Apke Nagar Ki App…
સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.ની ફિલ્મી સ્ટાઈલમાં કાર્યવાહી પલસાણા તાલુકામાં આવેલ એના ગામ પાસે થી રૂ. ૮૭.૭૭ લાખનો વિદેશી દારૂ જપ્ત
Liveindiasuratnews24
સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.ની ફિલ્મી સ્ટાઈલમાં કાર્યવાહી પલસાણા તાલુકામાં આવેલ એના ગામ પાસે થી રૂ. ૮૭.૭૭ લાખનો વિદેશી દારૂ જપ્ત
More news from ગુજરાત and nearby areas
- सूरत: म्युनिसिपल कॉर्पोरेशन के लिंबायत ज़ोन में कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने लिंबायत ज़ोन में मनी लॉन्ड्रिंग के खिलाफ विरोध प्रदर्शन किया और "गणेशवालों को बरखास करो" के नारे लगाए।1
- Post by Liveindiasuratnews241
- સુરત: મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો, જેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તા દ્વારા લિંબાયત ઝોન ખાતે તેમના વિરુદ્ધ માં ગણેશવાલાકો બરખાસ કરો ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો,5
- https://youtube.com/shorts/n02EXbtCVwk?feature=share1
- ખેરગામ ની શાળામાં ભોજનમાં શંકાસ્પદ પોટલી મળી આવતાં તપાસ હાથ ધરાઈ1
- CCTV में कैद दर्दनाक हादसा गुजरात: सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।1
- सूरत: म्युनिसिपल कॉर्पोरेशन के लिंबायत ज़ोन में कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने लिंबायत ज़ोन में मनी लॉन्ड्रिंग के खिलाफ विरोध प्रदर्शन किया और "गणेशवालों को बरखास करो" के नारे लगाए।1
- सोने चांदी में तेजी जारी क्या होगा आम इंसान का1
- *સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ* ------- *આચાર્ય ભગવંતશ્રી વિજય યશોવર્મ સુ.મ.ને યશતિલક કરી મંગળ આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રીશ્રી* ------- *નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિ* ------- *આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક ‘શ્રદ્ધેય ગુરૂદેવશ્રી’નું વિમોચન કરતા મુખ્યમંત્રી અને મહાનુભાવો* ------- *આચાર્યશ્રી યશોવર્મજીએ બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ* ------- *સંયમિત જીવનને સાચા અને કાયમી સુખનું સરનામું ગણાવી સૌ કોઈને જીવનમાં વિરલ સુખ અને શાંતિ માટે ધર્મ સાથે જોડાયેલા રહેવા આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રી* ------ માહિતી બ્યુરો:સુરત:રવિવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય એ અકળ છે, જેની અનૂભૂતિ જ કરી શકાય એમ છે. મુખ્યમંત્રીશ્રીએ જૈનાચાર્ય યશોવર્મસુરીશ્વર મહારાજ દ્વારા કરવા આવેલા કામોની સહર્ષ નોંધ લઇ ૬૩ વર્ષના તેમના સફળ દીક્ષાપર્યાયને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી સમાજને સુસંસ્કૃત કરવા તેમણે આપેલા યોગદાનની સરાહના કરી હતી. વર્ષ ૧૯૬૫માં નાની વયે દીક્ષા લઈને આચાર્યશ્રીએ દેશના ખૂણેખૂણામાં પરિભ્રમણ કરી અનેક લોકો અને પરિવારોનું કલ્યાણ કરવાની સાથે ખરા અર્થમાં તેઓના પથદર્શક બનવાનું ઉત્તમ કાર્ય કર્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એમ જણાવી તેમણે અહીં કંઇક આપવા માટે નહીં પરંતુ જીવનનું અમૂલ્ય ભાથું લેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ ભૌતિક સુખની પાછળ દોટ મુકીએ છીએ. જીવનનું સાચું સુખ તો સાધુત્વમાં રહેલું છે. રાજયના તમામ નાગરિકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી મોક્ષ પામવા તરફ પ્રશસ્ત થાય એવા આચાર્યશ્રીના આશીર્વાદની કામના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંયમિત જીવનને સુખનું સાચું અને કાયમી સરનામું ગણાવી સૌ કોઇને જીવનમાં સાચું સુખ અને શાંતિ મેળવવા ધર્મ સાથે જોડાયેલા રહેવાની શીખ આપી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતની પાવન ભૂમિ પર હજારો લોકોને જૈનાચાર્ય અભયદેવસૂરી અને વિજય યશોવર્મસૂરીશ્વરજીનો લાભ મળી રહ્યો છે. બન્ને આચાર્યોની નિશ્રામાં લોકજીવનમાં હકારાત્મક બદલાવ આવ્યા છે અને માત્ર જૈન સમાજ જ નહીં, અન્યો સમાજોને પણ નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આચાર્ય યશોવર્મ સૂરીશ્વરજી દ્વારા યુવાઓ અને બાળકોને તેમની શિબિરો થકી ધર્મ અને સમાજ સાથે સાંકળવા અને જ્ઞાન સાથે સંસ્કાર આપવાના ભગીરથ યોગદાનની સરાહના કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ યશોવર્મ સુરિશ્વર મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન કાર્યક્રમનું યજમાન પદ સુરતને આપવા બદલ તેમણે ધન્યતાની લાગણી વ્યક્ત કરી આભાર વ્યકત કર્યો હતો. આ પદપ્રદાન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ ગચ્છાધિપતિ તરીકે પદગ્રહણ કરી રહેલા નૂતન ગચ્છાધિપતિના ભાલે વિજય તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ ગચ્છાધિપતિ અભયદેવ સુરીશ્વર મહારાજે નૂતન ગચ્છાધિપતિના કાનમાં મંત્ર ઉચ્ચારણ કરી સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક નૂતન ગચ્છાધિપતિને પદપ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ યશોવર્મ સુરિશ્વર મહારાજના જીવનચરિત્રને આલેખતા “શ્રદ્ધેય ગુરૂદેવશ્રી” પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્યશ્રીઓ મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી, મ્યુ.કમિશનરશ્રી એમ. નાગરાજન, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક પદાધિકારી, અધિકારી, જૈનમુનિઓ, સાધુભગવંતો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. -૦૦-4