પંચમહાલના ખનીજ માફિયા રાજેશ ભરવાડને ૬ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરાયો ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કબિરપુર ગામના કુખ્યાત ખનીજ માફિયા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. ગોધરા પ્રાંત કચેરીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આ શખ્સને પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, ખેડા અને છોટાઉદેપુર એમ કુલ છ જિલ્લાઓમાંથી હદપાર કરી તાત્કાલિક અસરથી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, ૩૧ વર્ષીય આરોપી રાજેશ ભરવાડ લાંબા સમયથી ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ૦૬ અને અન્ય પોલીસ સ્ટેશનમાં ૦૨ મળીને કુલ ૦૮ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીના આ ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને કાંકણપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૫૬(ખ) હેઠળ તેની વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને ગોધરાના નાયબ કલેક્ટર અને એસ.ડી.એમ. એન.બી. મોદીએ મંજૂરી આપીને બે વર્ષના તડીપારનો આદેશ કર્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુનેગારો સામે પાસા અને તડીપારની કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ઈન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ કાંકણપુર પોલીસે આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલના ખનીજ માફિયા રાજેશ ભરવાડને ૬ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરાયો ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કબિરપુર ગામના કુખ્યાત ખનીજ માફિયા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. ગોધરા પ્રાંત કચેરીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આ શખ્સને પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, ખેડા અને છોટાઉદેપુર એમ કુલ છ જિલ્લાઓમાંથી હદપાર કરી તાત્કાલિક અસરથી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, ૩૧ વર્ષીય આરોપી રાજેશ ભરવાડ લાંબા સમયથી ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ૦૬ અને અન્ય પોલીસ સ્ટેશનમાં ૦૨ મળીને કુલ ૦૮ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીના આ ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને કાંકણપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૫૬(ખ) હેઠળ તેની વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને ગોધરાના નાયબ કલેક્ટર અને એસ.ડી.એમ. એન.બી. મોદીએ મંજૂરી આપીને બે વર્ષના તડીપારનો આદેશ કર્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુનેગારો સામે પાસા અને તડીપારની કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ઈન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ કાંકણપુર પોલીસે આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Riyaj Ghachi1
- દાહોદ જિલ્લાના લીમડી નગર માં શીતળા સાતમની ધામધૂમ થી ઉજવણી કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર વહેલી સવારે 12 કલાકથી મંદિરમાં ભક્તોની ભીડ જામી.લીમડી નગરમાં શીતળા સાતમનો પર્વ આ વર્ષે ભક્તિભાવ અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે ધામધૂમથી ઉજવાયો. સાતમના પાવન દિવસે માતાજીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ શીતળા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવારના સુખ-શાંતિ અને સંતાનોના આરોગ્ય માટે પ્રાર્થનાઓ કરી. શીતળા સાતમના પર્વ સાથે જોડાયેલી પરંપરાને અનુસરીને ગઈકાલે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી, જ્યારે સાતમના દિવસે રસોડામાં ચૂલો સાવ બંધ રાખવાની પરંપરા નિભાવવામાં આવી. આજે ઘરોમાં ઠંડું જમવાનું કરવામાં આવે છે, જેને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. લીમડી નગરમાં સ્ત્રીઓ વહેલી સવારથી જ માતાજીના મંદિરોમાં પહોંચી ઠંડા દહીં અને બાજરીની કુલેરનો પ્રસાદ અર્પણ કરી સંતાનોની રક્ષા અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરતી જોવા મળી. મંદિરોમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના જયઘોષ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી. આ રીતે પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ માનાતો શીતળા સાતમનો પર્વ લીમડી નગરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાયો.1
- Post by Riyaj Ghachi1