સુરતના ડીંડોલી વિસ્તારમાં સુમુલ સર્કલ નજીક આવેલી ચાની લારી પર થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં રાજ સોની નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, રાજ પોતાના મિત્રો સાથે ચા પીવા ઉભો હતો તે સમયે નજીકમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. હુમલાખોરોએ રાજને વિરોધી જૂથનો સભ્ય સમજી લીધો અને પાછળથી આવી તેની પીઠમાં અંદાજે 7 ઇંચ લાંબું ધારદાર રેમ્બો ચપ્પુ ઘોંપી દીધું. આ હુમલા બાદ રાજને તેના મિત્રો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ રહી કે પીઠમાં ચપ્પુ ખૂંપેલું હોવા છતાં રાજ હિંમતપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો. પ્રાથમિક સારવાર અને સિટી સ્કેન કર્યા બાદ નિષ્ણાત ડોક્ટરોની ટીમે જટિલ સર્જરી કરીને તેની પીઠમાંથી ચપ્પુ સફળતાપૂર્વક બહાર કાઢ્યું. હાલ યુવકની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઈજાગ્રસ્ત યુવકનો હુમલાખોરો સાથે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ નહોતો અને આ હુમલો ગેરસમજના કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં સુમુલ સર્કલ નજીક આવેલી ચાની લારી પર થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં રાજ સોની નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, રાજ પોતાના મિત્રો સાથે ચા પીવા ઉભો હતો તે સમયે નજીકમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. હુમલાખોરોએ રાજને વિરોધી જૂથનો સભ્ય સમજી લીધો અને પાછળથી આવી તેની પીઠમાં અંદાજે 7 ઇંચ લાંબું ધારદાર રેમ્બો ચપ્પુ ઘોંપી દીધું. આ હુમલા બાદ રાજને તેના મિત્રો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ રહી કે પીઠમાં ચપ્પુ ખૂંપેલું હોવા છતાં રાજ હિંમતપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો. પ્રાથમિક સારવાર અને સિટી સ્કેન કર્યા બાદ નિષ્ણાત ડોક્ટરોની ટીમે જટિલ સર્જરી કરીને તેની પીઠમાંથી ચપ્પુ સફળતાપૂર્વક બહાર કાઢ્યું. હાલ યુવકની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઈજાગ્રસ્ત યુવકનો હુમલાખોરો સાથે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ નહોતો અને આ હુમલો ગેરસમજના કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- કોર્ટે MLA ચૈતર વસાવાને સાત વર્ષની સજા સંભળાવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીએ ન્યાયની માંગ કરી હતી.1
- મોહર્રમના દસમા ચાંદના અવસરે લિબાયત વિસ્તારમાં શાંતિ અને એકતા સાથે મોહર્રમની ઉજવણી કરવામાં આવી અને એક જુલુસ કાઢવામાં આવ્યું. આ પ્રસંગે ડીસીપી, એસીપી, સ્થાનિક પીઆઈ, વરિષ્ઠ અધિકારીઓ અને સામાજિક નેતાઓ હાજર રહ્યા હતા. લિબાયતમાં હિંદુ-મુસ્લિમની અદ્ભુત એકતા જોવા મળી હતી.1
- એક હુમલાની ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે હુમલાખોરોની ઓળખ કરવા તેમજ હુમલા પાછળના કારણને જાણવા માટે CCTV ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.1
- સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બજરંગ દળના એક કાર્યકર પર જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અજાણ્યા હુમલાખોરોએ યુવકની પીઠ પર ચાકુના અનેક ઘા માર્યા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલાની જાણ થતા જ ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે, અને હુમલા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.1
- સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાના મિત્રની હત્યા કરી દીધી. આ હત્યા પાછળનું કારણ એ હતું કે હત્યારા યુવકને ગુસ્સો હતો કારણ કે તેનો મિત્ર તેને હોટેલમાં એકલો મૂકીને જાણ કર્યા વગર જતો રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવકે પોતાના મિત્રને, 'તું મને કીધા વગર કેમ જતો રહ્યો?' એમ કહીને તેની છાતીમાં ચપ્પુ હુલાવી દીધું. આ ઘટના બાદ પોલીસે હત્યારા યુવકને સુરતમાંથી ઝડપી પાડ્યો છે.1
- સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે.1
- સુરત શહેરમાં જ્યેષ્ઠ શુક્લ એકાદશી, જેને નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વીઆઈપી રોડ પર આવેલા શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં ખાટુ રાજાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારની મંગળા આરતીથી લઈને મોડી રાત સુધી જ્યારે મંદિરના દરવાજા બંધ થયા ત્યાં સુધી, મોટી સંખ્યામાં ભક્તો બાબા શ્યામના દિવ્ય દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર દિવસ દરમિયાન, સમગ્ર મંદિર પરિસર "જય શ્રી શ્યામ" અને "હરે કા સહારા, બાબા શ્યામ હમારા" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નિર્જળા એકાદશીના દિવસે અપેક્ષિત વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને, શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા સુરક્ષા અને સુગમ દર્શન માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટે મંદિર પરિસરમાં મજબૂત બેરિકેડ ગોઠવ્યા હતા, જેથી કતારોમાં રાહ જોઈ રહેલા ભક્તો કોઈપણ પ્રકારના અવરોધ વિના સરળતાથી બાબાના દરબારમાં પહોંચી શકે.1
- સુરત પોલીસે ઈચ્છાપોર વિસ્તારમાં બનેલા એક હત્યાના કેસને ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે અને મૃતકની પત્નીની ધરપકડ કરી છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા રાજારત ઉર્ફે રાજુભાઈ યાદવનું 23 જૂને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું, જેને પોલીસે હત્યાનો મામલો ગણાવ્યો હતો. પોલીસની સઘન પૂછપરછ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ મામલો ઉકેલાયો હતો. તપાસમાં સામે આવ્યું કે, વારંવાર થતા ઝઘડાઓથી કંટાળીને પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હતી.1
- મહારાષ્ટ્રના પનવેલના નંદગાંવ વિસ્તારમાં આવેલા એક આંગણવાડી કેન્દ્રમાં એક માસૂમ બાળકી સાથે કથિત દુર્વ્યવહાર અને મારપીટનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે દોષિતો સામે શક્ય તેટલી વહેલી તકે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી બાળકીને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.1