logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ખાતે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવાનો મામલો સામે આવ્યો છે. આ માસૂમ બાળકી ઉપર શારીરિક અડપલાં કરનાર 82 વર્ષના વૃદ્ધની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે.

1 hr ago
user_Ritesh Press
Ritesh Press
મજુરા, સુરત, ગુજરાત•
1 hr ago

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ખાતે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવાનો મામલો સામે આવ્યો છે. આ માસૂમ બાળકી ઉપર શારીરિક અડપલાં કરનાર 82 વર્ષના વૃદ્ધની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે.

More news from ગુજરાત and nearby areas
  • આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ખાતે આવેલી શ્રી કે. એસ. શાહ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૧/૦૭/૨૦૨૬ (શનિવાર) ના રોજ "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" તથા સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, અનોખી પ્રતિભા અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમની સાથે જ ગામમાં એક વિશેષ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર ગામમાં "સ્વચ્છતા જ સેવા"નો પ્રેરણાદાયી સંદેશ આપીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાનો આ ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. આવા શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આયોજકો અને સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સન્માન એ જ ઉજ્જવળ ભવિષ્યનું સન્માન છે.
    3
    આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ખાતે આવેલી શ્રી કે. એસ. શાહ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૧/૦૭/૨૦૨૬ (શનિવાર) ના રોજ "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" તથા સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, અનોખી પ્રતિભા અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન કાર્યક્રમની સાથે જ ગામમાં એક વિશેષ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર ગામમાં "સ્વચ્છતા જ સેવા"નો પ્રેરણાદાયી સંદેશ આપીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાનો આ ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. આવા શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આયોજકો અને સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સન્માન એ જ ઉજ્જવળ ભવિષ્યનું સન્માન છે.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેનાથી પ્રભાવિત લોકોની પીડાને શબ્દો તેમજ સંગીતના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વરિષ્ઠ તબીબ ડૉ. નિર્મલ વાણિયાવાલા દ્વારા લખાયેલા એક પ્રેરણાદાયી ગીતને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીતબદ્ધ અને મિક્સ કરવામાં આવ્યું છે. ત્યારબાદ, આ ગીતને વરસાદ સાથે જોડાયેલા દ્રશ્યો સાથે તૈયાર કરીને લોકો વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે. પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં તૈયાર થયેલું આ ગીત લોકોની લાગણીઓનો અવાજ બન્યું છે અને તેના દ્વારા સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
    1
    સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેનાથી પ્રભાવિત લોકોની પીડાને શબ્દો તેમજ સંગીતના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વરિષ્ઠ તબીબ ડૉ. નિર્મલ વાણિયાવાલા દ્વારા લખાયેલા એક પ્રેરણાદાયી ગીતને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીતબદ્ધ અને મિક્સ કરવામાં આવ્યું છે. ત્યારબાદ, આ ગીતને વરસાદ સાથે જોડાયેલા દ્રશ્યો સાથે તૈયાર કરીને લોકો વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે. પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં તૈયાર થયેલું આ ગીત લોકોની લાગણીઓનો અવાજ બન્યું છે અને તેના દ્વારા સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    5 hrs ago
  • સુરત શહેરમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અભિષેક દત્તે રામ મંદિર નિર્માણ માટે એકત્ર કરાયેલા ચંદા અને ચઢાવામાં થયેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો છે. મીડિયાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર અનેક સવાલો ઉભા કર્યા છે અને સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. અભિષેક દત્તે જણાવ્યું કે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મામલામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે સત્ય સામે આવવું જોઈએ. તેમણે પ્રહાર કરતા કહ્યું કે જો ટ્રસ્ટની કામગીરીમાં કોઈ ગેરરીતિ થઈ નથી, તો સ્વતંત્ર તપાસથી ડરવાની કોઈ જરૂર નથી. ટ્રસ્ટના કેટલાક હોદ્દેદારોના રાજીનામાનો ઉલ્લેખ કરીને તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમગ્ર મામલે જવાબ આપવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે રામ મંદિર માટે મળેલા ચંદા, ચઢાવા, જમીનની ખરીદી, નિર્માણ કાર્ય અને અન્ય ખર્ચાઓનું સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ પણ કરી છે. કોંગ્રેસે દોષિતો સામે નિષ્પક્ષ કાર્યવાહી કરવા અને જરૂર પડ્યે ટ્રસ્ટની પુનઃરચના કરવાની હિમાયત કરી છે, કારણ કે ભગવાન શ્રીરામ કરોડો દેશવાસીઓની આસ્થાના પ્રતીક હોવાથી આ દાનના ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થવી જોઈએ. આ પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા, પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ, સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, પાર્ષદ અરશદ જરીવાલા અને સેવાદળ પ્રમુખ સંતોષ પાટીલ સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.
    1
    સુરત શહેરમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અભિષેક દત્તે રામ મંદિર નિર્માણ માટે એકત્ર કરાયેલા ચંદા અને ચઢાવામાં થયેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો છે. મીડિયાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર અનેક સવાલો ઉભા કર્યા છે અને સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. અભિષેક દત્તે જણાવ્યું કે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મામલામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે સત્ય સામે આવવું જોઈએ.

તેમણે પ્રહાર કરતા કહ્યું કે જો ટ્રસ્ટની કામગીરીમાં કોઈ ગેરરીતિ થઈ નથી, તો સ્વતંત્ર તપાસથી ડરવાની કોઈ જરૂર નથી. ટ્રસ્ટના કેટલાક હોદ્દેદારોના રાજીનામાનો ઉલ્લેખ કરીને તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમગ્ર મામલે જવાબ આપવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે રામ મંદિર માટે મળેલા ચંદા, ચઢાવા, જમીનની ખરીદી, નિર્માણ કાર્ય અને અન્ય ખર્ચાઓનું સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ પણ કરી છે. કોંગ્રેસે દોષિતો સામે નિષ્પક્ષ કાર્યવાહી કરવા અને જરૂર પડ્યે ટ્રસ્ટની પુનઃરચના કરવાની હિમાયત કરી છે, કારણ કે ભગવાન શ્રીરામ કરોડો દેશવાસીઓની આસ્થાના પ્રતીક હોવાથી આ દાનના ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થવી જોઈએ.

આ પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા, પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ, સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, પાર્ષદ અરશદ જરીવાલા અને સેવાદળ પ્રમુખ સંતોષ પાટીલ સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ખાતે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવાનો મામલો સામે આવ્યો છે. આ માસૂમ બાળકી ઉપર શારીરિક અડપલાં કરનાર 82 વર્ષના વૃદ્ધની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે.
    1
    સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ખાતે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવાનો મામલો સામે આવ્યો છે. આ માસૂમ બાળકી ઉપર શારીરિક અડપલાં કરનાર 82 વર્ષના વૃદ્ધની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે.
    user_Ritesh Press
    Ritesh Press
    મજુરા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.