Shuru
Apke Nagar Ki App…
વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરની અંદર દારૂબંધી માત્ર કાગળ ઉપર કે પછી શું....? ધોળા દિવસે જાહેર માર્ગ પર નશાખોરીના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં રોષ; બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ..
H P Banna
વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરની અંદર દારૂબંધી માત્ર કાગળ ઉપર કે પછી શું....? ધોળા દિવસે જાહેર માર્ગ પર નશાખોરીના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં રોષ; બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ..
More news from ગુજરાત and nearby areas
- *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.1
- વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને જાગૃત લોકોએ જણાવ્યું1
- થરાદમાં દારૂબંધીના લીરેલીરા: ગૌ સર્કલ પાસે દારૂડિયો બેભાન હાલતમાં મળતા પોલીસ સામે ઉઠ્યા સવાલો ધોળા દિવસે જાહેર માર્ગ પર નશાખોરીના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં રોષ; બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ (લક્ષ્મણ સોલંકી) વાવ થરાદ થરાદ શહેરમાં દારૂબંધીના અમલ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ધમધમતા ગૌ સર્કલ મુખ્ય ચાર રસ્તા નજીક એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. જાહેર માર્ગ પર દારૂડિયાની આવી હાલત સામે આવતા સ્થાનિકોમાં પોલીસની કામગીરી અંગે અસંતોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ધોળા દિવસે ગૌ સર્કલ પાસે એક ઈસમ દારૂના નશામાં રસ્તા પર લથડિયાં ખાતો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ તે રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં પડી ગયો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં શહેરના મધ્યમાં આવી ઘટનાઓ બનવી ચિંતાજનક છે. આ બનાવ બાદ થરાદ પોલીસની પેટ્રોલિંગ અને દારૂબંધી અમલની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં જો ખુલ્લેઆમ નશાખોરી જોવા મળે, તો બૂટલેગરોને પોલીસનો કોઈ ડર રહ્યો છે કે નહીં તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સાથે જ દારૂની હેરાફેરી અને નશાખોરો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે શહેરમાં વધતી નશાખોરી અને દારૂડિયાઓના ત્રાસને રોકવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બને અને બૂટલેગરો સામે કડક અભિયાન ચલાવે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે છે કે પછી આવી પરિસ્થિતિ સામાન્ય બની રહેશે.1
- વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરની અંદર દારૂબંધી માત્ર કાગળ ઉપર કે પછી શું....? ધોળા દિવસે જાહેર માર્ગ પર નશાખોરીના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં રોષ; બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ..1
- વાવ-થરાદ જિલ્લામાં દારૂનું જાળું યથાવત્: પોલીસની આંખ આડા કાન કે સપ્લાયરોનો દબદબો વાવ-થરાદ જિલ્લામાં દારૂનું જાળું યથાવત્: પોલીસની આંખ આડા કાન કે સપ્લાયરોનો દબદબો થરાદ ચાર રસ્તા પર દારૂડિયો દારૂ પઈને પડ્યો1
- દારૂબંધી કાગળ પર, હકીકતમાં ખુલ્લેઆમ નશો: વાવ-થરાદ જિલ્લામાં દારૂ આવે છે ક્યાંથી?”1
- માવસરી પોલીસ ની મોટી કાર્યવાહી માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી વિદેશી દારૂ ની એક ગાડી સાથે એક બુટલેગર ને ઝડપયો1
- ગુજરાતના થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા થરાદ અને ધાનેરાની ફાયર ટીમો તેમજ સ્થાનિક લોકોને પણ મદદ માટે બોલાવવા પડ્યા હતા.1