Shuru
Apke Nagar Ki App…
હવામાન વિભાગની આગાહીના પગલે પોશીના તાલુકામાં તેજભવનની સાથે વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ
Press reporter
હવામાન વિભાગની આગાહીના પગલે પોશીના તાલુકામાં તેજભવનની સાથે વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ
More news from Gujarat and nearby areas
- હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ1
- આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શહેર ઈડરના એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાની વિલક્ષણ પ્રતિભાથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૩.૫ વર્ષની વય ધરાવતા કાર્તિક વિકાસકુમાર મોટવાણીએ સંસ્કૃત શ્લોકોના સચોટ અને આત્મવિશ્વાસપૂર્ણ પઠન દ્વારા 'નેશનલ રેકોર્ડ' સ્થાપિત કર્યો છે. ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન કાર્તિકની અદભૂત યાદશક્તિ અને એકાગ્રતાની નોંધ લેતા 'ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા તેને સત્તાવાર રીતે નેશનલ રેકોર્ડ હોલ્ડર જાહેર કરવામાં આવ્યો છે. કાર્તિકે માત્ર ૩ મિનિટના અત્યંત ટૂંકા ગાળામાં સંસ્કૃતના ૭ જટિલ શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પઠન કર્યું હતું, જે જોઈને રેકોર્ડ બુકના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ધાર્મિક ગ્રંથોમાં અગાધ રુચિ પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૦૬ માર્ચ ૨૦૨૬ના રોજ આ સિદ્ધિને સત્તાવાર મહોર લાગી હતી. કાર્તિક માત્ર શ્લોકો જ નહીં, પણ રામાયણ, મહાભારત અને શિવ પુરાણના કઠિન અંશો તેમજ હનુમાન ચાલીસા પણ મુખપાઠ બોલે છે. પિતા વિકાસભાઈ અને માતા રિતિકાબેન મોટવાણીએ જણાવ્યું હતું કે, કાર્તિકને નાનપણથી જ ધાર્મિક મંત્રો અને શ્લોકો સાંભળવામાં વિશેષ રુચિ હતી, જેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પરિવાર અને શહેરમાં ખુશીનો માહોલ નાનકડા કાર્તિકની આ સફળતાને પગલે તેના નાની મીનાબેન અને કાજલબેન સહિત સમગ્ર મોટવાણી પરિવારમાં અને ઈડર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરના આ 'લિટલ માસ્ટર'ની સિદ્ધિ એ સાબિત કરે છે કે જો બાળપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તો પ્રતિભા ઉંમરની મહોતાજ નથી હોતી. આ નાનકડા બાળકની સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી તેના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે અને લોકો તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.2
- પ્રસિદ્ધ યાત્રાધામ અને નાના અંબાજી તરીકે ખ્યાતનામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. સવારે 6.30 કલાકે પ્રાતઃ મંગલા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7.15 થી 8.30 સુધી વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન વિધિ સંપન્ન થઈ. આ પ્રસંગે ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા શ્રી યંત્રને 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પૂજા વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ. દેવી અંબિકાની નવે નવ દિવસ ઘટ સ્થાપન આગળ જ વિશેષ પૂજા કરવામાં આવશે. જવારા સહિત માતાજીની નવ દિવસ સુધી પૂજા-આરાધના કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીને લઈ માતાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. એકમથી નોમ સુધી ચૈત્રી નોરતામાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે માતાજી સમક્ષ જવારા વાવવામાં આવ્યા હતા.4
- વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.1
- હવામાન વિભાગની આગાહીના પગલે પોશીના તાલુકામાં તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આ પેલ આગાહીના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના ને લઇ ખેડૂતોમાં દોડતા મચી જવા પામેલા હાલમાં ઘઉંની કાપણી ચાલી રહી હોય તેમ જ મોટાભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં ઘઉંનો પાક કાપીને રાખવામાં આવેલ હોય ત્યારે જો વરસાદ થશે તો ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે1
- સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ ખાતે આનંદ મેળો યોજાયો.1
- અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગંભીર વહીવટી અવરોધ ઉભો થયો છે. જિલ્લાના મોટા ભાગના તળાવો સરકારના રેકોર્ડ મુજબ ગૌચર જમીનમાં દર્શાવાતા હોવાથી તેમને તળાવ તરીકે માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં તેમનો સમાવેશ થતો નથી. ગયા વર્ષે 2025માં પણ આવી જ પરિસ્થિતિમાં ગૌચર જમીનમાં આવેલ તળાવો માટે તળાવો ઊંડા કરવાની મંજૂરી કલેક્ટરસાહેબ શ્રી દ્વારા રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં અનેક તળાવો ઊંડા થઈ શક્યા નહોતા. જો આ જ સ્થિતિ વર્ષ 2026માં યથાવત રહેશે તો અરવલ્લી જિલ્લાના મોટાભાગના તળાવો ઊંડા થઈ શકશે નહીં, જેનાથી ચોમાસાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર વધારો અને કૃષિ માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ પર સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા તળાવોમાં અગાઉ જ ડીસિલ્ટિંગ, સેફ સ્ટેજ અને અન્ય જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી છે અને સ્થળ પર તળાવની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં માત્ર રેકોર્ડ આધારિત વાંધા દર્શાવીને મંજૂરી ન આપવી જાહેર હિત વિરુદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006501
- ખેડબ્રહ્મા ના હવામાનમાં અચાનક પલટો, પવન ફુકાયો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં... સાબરકાંઠા- જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, અને વાતાવરણ બદલાયું છે.... ખેડબ્રહ્મા શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદ ના અમી છાંટણા થયા છે.... ખેડબ્રહ્મા શહેરમાં કમોસમી વરસાદ (માવઠું) ના છાંટા પડ્યા છે. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા બાદ ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ શરૂ થયો.... વરસાદથી ચણા, ધાણા અને ઘઉં જેવા પાકેલા પાકને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે.... લણણી સમયે આવેલા આ વરસાદથી શહેરી વિસ્તારના ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ છે.વઘુ વરસાદ પડે તો હાથ મા આવેલ કોળિયો છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે ખેડૂતો માટે 'કડવો અને લીમડો' (મુશ્કેલી પર મુશ્કેલી) ની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ભારે ચિંતા થઈ રહી છે....3