Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from ગુજરાત and nearby areas
- Post by Jasmin B Shah1
- Post by THE BEALERT NEWS1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડિયા ગામે ઓરસંગ નદીમાં થતા રેત ખનન સામે ગામલોકો આક્રોશિત બન્યા. બોર અને કૂવામાં પાણીનું સ્તર ઘટતા ગ્રામજનોએ જનતા રેડ કરી અને લીઝની હદ બહાર ખનન થવાના ગંભીર આક્ષેપો કર્યા. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. YouTube Link in comment box1
- *ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત* કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર, આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે4
- ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક મહિલા દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને પટકાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલા ઉત્તરપ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી1
- ભરુચ જીલ્લામાં બાંધકામ શ્રમિકો ને આરોગ્ય સુવિધાઓ વધુ સલામતિ રીતે મળે એવા શુભકાર્ય હેતુ સાથે નવીન ધનંતરી આરોગ્ય રથ મોબાઇલ મેડિકલ યુનિટ ને લીલી ઝંડી આપી આ પહેલ થઈ બાંધકામ શ્રમિકો ના આરોગ્ય માં સુધારો થશે. અને એમને સમયસર સારવાર મળવાથી તેમની કાર્ય ક્ષમતા અને જીવન ગણુવતા માં પણ વધારો થશે.4
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1