*નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બોટાદમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી** *નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મંશુરી સાહેબ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા..** કાર્યક્રમ દરમિયાન મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ, તેમના કાનૂની અધિકારો તેમજ સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહિલાઓને મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, મહિલા હેલ્પલાઇન 181, સાયબર સુરક્ષા, ઘરેલુ હિંસા નિવારણ, બાળલગ્ન પ્રતિબંધ અને મહિલાઓને ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી આઈ. આઈ. મંશુરી સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષા અને આત્મનિર્ભરતા સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે. દરેક મહિલાએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી જરૂરિયાત સમયે ઉપલબ્ધ સરકારી સેવાઓ અને સહાયનો નિર્ભયતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે ઉપયોગી માહિતી મેળવી અને આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું જણાવ્યું. રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/ 8000834888
*નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બોટાદમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી** *નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મંશુરી સાહેબ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા..** કાર્યક્રમ દરમિયાન મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ, તેમના કાનૂની અધિકારો તેમજ સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહિલાઓને મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, મહિલા હેલ્પલાઇન 181, સાયબર સુરક્ષા, ઘરેલુ હિંસા નિવારણ, બાળલગ્ન પ્રતિબંધ
અને મહિલાઓને ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી આઈ. આઈ. મંશુરી સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષા અને આત્મનિર્ભરતા સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે. દરેક મહિલાએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી જરૂરિયાત સમયે ઉપલબ્ધ સરકારી સેવાઓ અને સહાયનો નિર્ભયતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે ઉપયોગી માહિતી મેળવી અને આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું જણાવ્યું. રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/ 8000834888
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...1
- અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.1
- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- પાળીયાદમાં મેઘરાજાની મહેર, ગોમા નદીમાં આવ્યા નવાં નીર! 🌊 ગઈકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યે પાળીયાદ વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. વરસાદ પડતાં જ સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. રાત્રિના આ સુંદર વરસાદને કારણે પાળીયાદ વિસ્તારની જીવાદોરી સમાન ગોમા નદીમાં નવાં નીર (પૂર) આવ્યા છે. નદીમાં પાણીની આવક થતાં જ લોકહૈયે આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો છે! રિપોર્ટ ચિંતન વાગડીયા મો/ 80008348884