કેશોદ શહેરનો વર્ષોથી વિવાદોમાં રહેલો રેલવે અંડરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ પ્રોજેક્ટમાં ચોમાસા પહેલાં જ ભર ઉનાળામાં પાણી ટપકવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર કામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ વહેલી સવારથી જ અંડરબ્રિજમાંથી ઉપરના ભાગેથી પાણી ટપકતું જોવા મળ્યું હતું, જેને કારણે બ્રિજ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પર જાણે અમી છાંટણા થતા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી સતત વિવાદો અને મુશ્કેલીઓનું કેન્દ્ર રહ્યો છે, જેમાં ક્યારેક પાણી ભરાવાની સમસ્યા, ક્યારેક ખાડાઓ, ક્યારેક રીપેરિંગના નામે ટ્રાફિક અવરોધ અને હવે ઉનાળામાં જ લીકેજ જેવી સમસ્યાઓ જોવા મળી છે, જેનાથી લોકોના ધીરજનો અંત આવી ગયો છે. લોકોમાં એવી ચર્ચા છે કે વરસાદ વગરની ઋતુમાં જ બ્રિજમાંથી પાણી ટપકતું હોય, તો આગામી ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે તે એક મોટો સવાલ છે. જો ઉપરથી પાણી ટપકશે અને નીચે વરસાદી પાણી ભરાશે, તો હજારો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, અને જો કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બન્યો નથી, અને લોકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે કાગળ ઉપર તૈયાર કરાયેલા આયોજન અને જમીન ઉપરની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે એ.સી. ઓફિસોમાં બેસીને બનાવવામાં આવેલા પ્લાનોનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ચોમાસું નજીક હોવા છતાં અંડરબ્રિજની સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુણવત્તા વગરનું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે. કેશોદમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ જો પ્રજાને સુવિધા બદલે મુશ્કેલીઓ જ મળવાની હોય, તો આવા વિકાસકાર્યોનો લાભ કોને અને નુકસાન કોને થઈ રહ્યું છે.
કેશોદ શહેરનો વર્ષોથી વિવાદોમાં રહેલો રેલવે અંડરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ પ્રોજેક્ટમાં ચોમાસા પહેલાં જ ભર ઉનાળામાં પાણી ટપકવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર કામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ વહેલી સવારથી જ અંડરબ્રિજમાંથી ઉપરના ભાગેથી પાણી ટપકતું જોવા મળ્યું હતું, જેને કારણે બ્રિજ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પર જાણે અમી છાંટણા થતા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી સતત વિવાદો અને મુશ્કેલીઓનું કેન્દ્ર રહ્યો છે, જેમાં ક્યારેક પાણી ભરાવાની સમસ્યા, ક્યારેક ખાડાઓ, ક્યારેક રીપેરિંગના નામે ટ્રાફિક અવરોધ અને હવે ઉનાળામાં જ લીકેજ જેવી સમસ્યાઓ જોવા મળી છે, જેનાથી લોકોના ધીરજનો અંત આવી ગયો છે. લોકોમાં એવી ચર્ચા છે કે વરસાદ વગરની ઋતુમાં જ બ્રિજમાંથી પાણી ટપકતું હોય, તો આગામી ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે તે એક મોટો સવાલ છે. જો ઉપરથી પાણી ટપકશે અને નીચે વરસાદી પાણી ભરાશે, તો હજારો વાહનચાલકો અને
રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, અને જો કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બન્યો નથી, અને લોકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે કાગળ ઉપર તૈયાર કરાયેલા આયોજન અને જમીન ઉપરની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે એ.સી. ઓફિસોમાં બેસીને બનાવવામાં આવેલા પ્લાનોનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ચોમાસું નજીક હોવા છતાં અંડરબ્રિજની સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુણવત્તા વગરનું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે. કેશોદમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ જો પ્રજાને સુવિધા બદલે મુશ્કેલીઓ જ મળવાની હોય, તો આવા વિકાસકાર્યોનો લાભ કોને અને નુકસાન કોને થઈ રહ્યું છે.
- જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામના ન્યાય સમિતિના ચેરમેન ભરત સોદરવાના મૃત્યુને લઈને તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવાર દ્વારા ભરત સોદરવાની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે આ સમગ્ર પ્રકરણમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, 7 માર્ચ, 2026ના રોજ રમરેચી ગામ નજીક ભરત સોદરવાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે, ઘટનાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં પરિવારજનોને હજુ સુધી ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના પરિવારે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ SIT તપાસ કરાવવા અને મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા (રી-પોસ્ટમોર્ટમ) માટે ઉગ્ર માંગણી કરી છે. પરિવારજનોએ તંત્રની કામગીરી પ્રત્યે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો 1 જૂન, 2026ના રોજ સમાધિમાંથી મૃતદેહ બહાર કાઢીને વિરોધ પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મૃતદેહ સાથે IG કચેરી સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મૃતકના ભાઈ વિનોદ સોદરવા દ્વારા આ પ્રકરણ સંબંધિત પોસ્ટ અને સંદેશા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા, આ મામલો ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.2
- આજે ઉના-દેલવાડા રોડ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર રસ્તા પર અચાનક આવી ચડેલા ભૂંડને બચાવવાના પ્રયાસમાં વીજ સબસ્ટેશનમાં ઘૂસી ગઈ હતી. દીવથી પસાર થઈ રહેલી આ કારના ચાલકે ભૂંડને ટાળવા માટે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રસ્તા કિનારે આવેલા વીજ સબસ્ટેશનની દીવાલ તોડીને અંદર ખાબકી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. વીજ સબસ્ટેશન સાથે કાર અથડાવા છતાં કોઈ મોટો શોર્ટ સર્કિટ કે અનિચ્છનીય ઘટના ન બનતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા, જ્યારે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આ ઘટના અંગે પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.1
- ગોંડલ-રાજકોટ હાઈવે પર ખુલ્લેઆમ બ્રાન્ડેડ વ્હિસ્કીની બોટલો જોવા મળી રહી છે. આખા હાઈવે પર બોટલો ખુલ્લેઆમ ઉડતી કે ખેરાયેલી જોવા મળે છે. આ સ્થિતિ દારૂબંધીના અમલ પર ગંભીર સવાલ ઉભો કરે છે.1
- રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે મોડી રાત્રે એકસાથે ૯ સિંહો રોડ પર આવી ચડ્યા હતા. આ સમયે, રાજુલા વનવિભાગની ટીમે તાત્કાલિક અને સરાહનીય કામગીરી હાથ ધરી હતી. વનકર્મીઓએ વાહનવ્યવહારને થોડા સમય માટે રોકાવીને ૯ સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો. જંગલના રાજાના રોડ ક્રોસ કરવાના આ દ્રશ્યનો વિડીયો પણ સામે આવ્યો છે. વનવિભાગની આ કાળજીપૂર્વક અને સુરક્ષિત કામગીરી બદલ લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.2
- રાજુલા તાલુકાના સાંજણા વાવ ગામે હઝરત લીલા પીર બાપુનો પવિત્ર ઉર્ષ શરીફ ભક્તિભાવ અને અકીદત સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્ષ શરીફના કાર્યક્રમમાં પીર સૈયદ નજીર બાપુ કાદરી, અબ્દુલ બાપુ કાદરી, ઈસુબ બાપુ કાદરી, સાદાતે કીરામ તેમજ મૌલાના હમીદ રજા સાહેબ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પીર સૈયદ નજીર બાપુ કાદરીએ શાનદાર નાત શરીફ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ જ ભાવપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત, બહારગામથી પધારેલા નાતખ્વાનોએ પણ સુંદર અને દિલને સ્પર્શી જાય તેવી નાત શરીફ રજૂ કરીને સમગ્ર માહોલને રૂહાની રંગમાં રંગી દીધો હતો. કાર્યક્રમના અંતે, પીર સૈયદ નજીર બાપુ કાદરીએ દેશ, સમાજ અને સમગ્ર માનવજાતની સુખ-શાંતિ, ભાઈચારા અને સમૃદ્ધિ માટે ખાસ દુઆ કરી હતી. ઉર્ષ શરીફનો આ પવિત્ર અવસર મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં શ્રદ્ધા, શાંતિ અને ધાર્મિક એકતાના માહોલમાં સંપન્ન થયો હતો.1
- ડાકોર ખાતે અતિશય ગરમી અને ભક્તોની ભારે ભીડને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. ગરમી અને ભીડના કારણે સર્જાયેલી આ સ્થિતિમાં અનેક લોકોની તબિયત લથડી હતી.1
- કેશોદ શહેરનો વર્ષોથી વિવાદોમાં રહેલો રેલવે અંડરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ પ્રોજેક્ટમાં ચોમાસા પહેલાં જ ભર ઉનાળામાં પાણી ટપકવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર કામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ વહેલી સવારથી જ અંડરબ્રિજમાંથી ઉપરના ભાગેથી પાણી ટપકતું જોવા મળ્યું હતું, જેને કારણે બ્રિજ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પર જાણે અમી છાંટણા થતા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી સતત વિવાદો અને મુશ્કેલીઓનું કેન્દ્ર રહ્યો છે, જેમાં ક્યારેક પાણી ભરાવાની સમસ્યા, ક્યારેક ખાડાઓ, ક્યારેક રીપેરિંગના નામે ટ્રાફિક અવરોધ અને હવે ઉનાળામાં જ લીકેજ જેવી સમસ્યાઓ જોવા મળી છે, જેનાથી લોકોના ધીરજનો અંત આવી ગયો છે. લોકોમાં એવી ચર્ચા છે કે વરસાદ વગરની ઋતુમાં જ બ્રિજમાંથી પાણી ટપકતું હોય, તો આગામી ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે તે એક મોટો સવાલ છે. જો ઉપરથી પાણી ટપકશે અને નીચે વરસાદી પાણી ભરાશે, તો હજારો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, અને જો કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બન્યો નથી, અને લોકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે કાગળ ઉપર તૈયાર કરાયેલા આયોજન અને જમીન ઉપરની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે એ.સી. ઓફિસોમાં બેસીને બનાવવામાં આવેલા પ્લાનોનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ચોમાસું નજીક હોવા છતાં અંડરબ્રિજની સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુણવત્તા વગરનું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે. કેશોદમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ જો પ્રજાને સુવિધા બદલે મુશ્કેલીઓ જ મળવાની હોય, તો આવા વિકાસકાર્યોનો લાભ કોને અને નુકસાન કોને થઈ રહ્યું છે.2
- રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો રાત્રીના સમયે મકાનમાં ઘૂસી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.4