ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ અંધજન મંડળ અને રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનો માટે નવી આશા ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ધાનેરા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર 'એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લિ.', શાહ રામચંદ સ્વરાજભાઈ હોસ્પિટલ તથા રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રનું સંચાલન દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા અંધજન મંડળ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. જ્યારે સ્થાનિક સ્તરે સમગ્ર વ્યવસ્થા અને સંકલનની જવાબદારી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ, શાહ સ્વરાજ હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવશે. કેન્દ્ર શરૂ થવાથી ધાનેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને હવે નજીકના વિસ્તારમાં જ ફિઝિયોથેરાપી, તબીબી માર્ગદર્શન, સાધન-સહાય અને પુનર્વસન જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનશે. જેના કારણે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી વિશેષ સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પત્રકાર સુલતાનભાઈ પઠાણ તેમજ ધાનેરાના દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા તરફનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. માનવતાની ભાવના સાથે શરૂ થયેલી આ પહેલથી ધાનેરા અને આસપાસના વિસ્તારના અનેક દિવ્યાંગ પરિવારોને આગામી સમયમાં સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ : ઈકબાલભાઈ મેમણ, ધાનેરા
ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ અંધજન મંડળ અને રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનો માટે નવી આશા ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ધાનેરા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર 'એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લિ.', શાહ રામચંદ સ્વરાજભાઈ હોસ્પિટલ તથા રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રનું
સંચાલન દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા અંધજન મંડળ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. જ્યારે સ્થાનિક સ્તરે સમગ્ર વ્યવસ્થા અને સંકલનની જવાબદારી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ, શાહ સ્વરાજ હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવશે. કેન્દ્ર શરૂ થવાથી ધાનેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને હવે નજીકના વિસ્તારમાં જ ફિઝિયોથેરાપી, તબીબી માર્ગદર્શન, સાધન-સહાય અને પુનર્વસન જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનશે. જેના કારણે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનોને
મોટી રાહત મળશે. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી વિશેષ સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પત્રકાર સુલતાનભાઈ પઠાણ તેમજ ધાનેરાના દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રના સ્ટાફ તેમજ
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા તરફનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. માનવતાની ભાવના સાથે શરૂ થયેલી આ પહેલથી ધાનેરા અને આસપાસના વિસ્તારના અનેક દિવ્યાંગ પરિવારોને આગામી સમયમાં સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ : ઈકબાલભાઈ મેમણ, ધાનેરા
- ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ અંધજન મંડળ અને રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનો માટે નવી આશા ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ધાનેરા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર 'એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લિ.', શાહ રામચંદ સ્વરાજભાઈ હોસ્પિટલ તથા રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રનું સંચાલન દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા અંધજન મંડળ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. જ્યારે સ્થાનિક સ્તરે સમગ્ર વ્યવસ્થા અને સંકલનની જવાબદારી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ, શાહ સ્વરાજ હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવશે. કેન્દ્ર શરૂ થવાથી ધાનેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને હવે નજીકના વિસ્તારમાં જ ફિઝિયોથેરાપી, તબીબી માર્ગદર્શન, સાધન-સહાય અને પુનર્વસન જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનશે. જેના કારણે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી વિશેષ સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પત્રકાર સુલતાનભાઈ પઠાણ તેમજ ધાનેરાના દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા તરફનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. માનવતાની ભાવના સાથે શરૂ થયેલી આ પહેલથી ધાનેરા અને આસપાસના વિસ્તારના અનેક દિવ્યાંગ પરિવારોને આગામી સમયમાં સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ : ઈકબાલભાઈ મેમણ, ધાનેરા4
- વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો1
- મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ1
- ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો.... ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....1
- થરાદ પીઆઈ એ.જી. રબારીની મોટી કાર્યવાહી વાંતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પરથી બંધ બોડી ટ્રકમાંથી 8,232 બોટલ વિદેશી દારૂ ઝડપાયો; ટ્રક સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો (લક્ષ્મણ સોલંકી) વાવ થરાદ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે થરાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ પીઆઈ એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ વાંતડાઉ ભારતમાલા હાઈવે ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ વાંતડાઉ ભારતમાલા હાઈવે ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સાંચોર, રાજસ્થાન તરફથી આવતી ટાટા કંપનીની બંધ બોડી ટ્રક નંબર RJ-10-GB-7503ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની બોડીના ભાગે ચોખા ભરવાના પ્લાસ્ટિકના ખાલી થેલીઓ ભરેલા કટ્ટાની આડમાં ગેરકાયદેસર અને વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે **વિદેશી દારૂની 8,232 બોટલ, કિંમત રૂ.21,01,248/-**નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત રૂ.10 લાખની ટ્રક, બે મોબાઈલ ફોન રૂ.8,000, ચોખા ભરવાના પ્લાસ્ટિકના 100 કટ્ટા અંદાજિત રૂ.70,000 સહિત કુલ રૂ.31,79,248/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ટ્રકના ચાલક વિનોદ સ/ઓ મંગતુરામ અમીલાલ નાયક, ઉંમર 27 વર્ષ, રહે. ભટ્ટકલા, તા. ભટ્ટકલા, જી. ફતેહાબાદ, હરિયાણાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારી-કર્મચારીઓ આ સફળ કાર્યવાહીમાં થરાદ પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. રબારી, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, તેમજ પોલીસ કોન્સ્ટેબલો મેઘરાજભાઈ ગણેશભાઈ, અનુપભાઈ રામચંદ્રભાઈ, દિપકભાઈ નાનજીભાઈ, રામસિંહ જીવાજી, દશરથભાઈ તખતરામભાઈ અને વિક્રમસિંહ જોગાજી જોડાયા હતા. થરાદ પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.1
- મોરીખા દલિત ની હત્યા કર્યા ને ને 84 દિવસ બાદ મૃતદેહને બહાર કાઢવા મા આવ્યો રિ. પોસ્ટમોર્ટમ માટે બોડી ને અમદાવાદ મુકવામાં આવી. પથુભાઈ રાઠોડ નુ ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- રાજસ્થાનથી દારૂ ભરાવી થરાદમાં ઘૂસાડવાનું ષડયંત્ર નિષ્ફળ: LCB વાવ-થરાદ ની મોટી કાર્યવાહી... કીયા સેલ્ટોસમાંથી 1,374 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, વાહન-મોબાઈલ સહિત કુલ રૂ.8,22,250 નો મુદ્દામાલ કબજે...1
- મહિલાના વેશમાં ફરતા પુરુષનો વીડિયો વાયરલ, ચકચાર થરાદ શહેરમાં ધોળા દિવસે મહિલાના વેશમાં ફરતા શખ્સને સ્થાનિકોએ રોક્યો હોવાનો વીડિયો વાયરલ; ઓળખ અને હેતુ અંગે પોલીસ તપાસની માંગ1