લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો વડોદરાના લાલબાગ બ્રિજ પાસે યોજાયેલા “રોયલ મેળા”માં ભારે હોબાળો સર્જાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા ત્યારે અચાનક બાઉન્સરો અને કેટલાક મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, મેળાના આયોજકો અને સિક્યુરિટીમાં ફરજ બજાવતી મહિલાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અંદાજે ૨૦ થી ૨૫ લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ દરમિયાન મહિલા સિક્યુરિટી સાથે જપાજપી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર બાઉન્સરો મહિલાને બચાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે ટોળામાં સામેલ કેટલાક લોકોએ બાઉન્સરો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાઉન્સરો દ્વારા પોતાના બચાવમાં સામે હાથાપાઈ કરવામાં આવી હતી. ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા બાદ આજે રોયલ મેળાના આયોજકો દ્વારા સત્તાવાર રીતે સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો વડોદરાના લાલબાગ બ્રિજ પાસે યોજાયેલા “રોયલ મેળા”માં ભારે હોબાળો સર્જાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા ત્યારે અચાનક બાઉન્સરો અને કેટલાક મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, મેળાના આયોજકો અને સિક્યુરિટીમાં ફરજ બજાવતી મહિલાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અંદાજે ૨૦ થી ૨૫ લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ દરમિયાન મહિલા સિક્યુરિટી સાથે જપાજપી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર બાઉન્સરો મહિલાને બચાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે ટોળામાં સામેલ કેટલાક લોકોએ બાઉન્સરો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાઉન્સરો દ્વારા પોતાના બચાવમાં સામે હાથાપાઈ કરવામાં આવી હતી. ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા બાદ આજે રોયલ મેળાના આયોજકો દ્વારા સત્તાવાર રીતે સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
- ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.1
- વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- ગંઘાર ગામમાં ઇદગાહમાં લાગી આગ લાગતા નજીક ના ઘરો માં આગ પહોચતા ભરૂચ ફાયર વિભાગ દ્વારા આગને કાબુ માં લીધી1
- વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.1
- વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડમ ખાતે ખુલ્લેઆમ છુટ્ટાહાથની મારામારી થઈ. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1
- બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઉત્તેજના ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. બંગાળમાં મળેલી જીતનો ઉત્સાહ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ અનુભવાઈ રહ્યો છે, જે દેશવ્યાપી માહોલ દર્શાવે છે.1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1
- તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન! તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન! જગદ્દગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯ મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ભાવે રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જયઘોષ અને ભક્તિભાવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ આયોજનથી વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.1