દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરની ઇએમઆરએસ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરની ઇએમઆરએસ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં જિલ્લાના વિવિધ ઇએમઆરએસ શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન શિક્ષણની ગુણવત્તા સુધારવા, કલા અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા, રમતગમત પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ માટે યોગ્ય માહોલ પૂરો પાડવો જરૂરી છે. શાળાઓમાં નવીન અભ્યાસ પદ્ધતિઓ, તાલીમપ્રાપ્ત શિક્ષકો અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે દરેક ઇએમઆરએસ શાળામાં નિયમિત મોનીટરીંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દાહોદ જિલ્લાના ઇએમઆરએસ શાળાઓમાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો રહ્યો હતો.
દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરની ઇએમઆરએસ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરની ઇએમઆરએસ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં જિલ્લાના વિવિધ ઇએમઆરએસ શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન શિક્ષણની ગુણવત્તા સુધારવા, કલા અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા, રમતગમત પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ માટે યોગ્ય માહોલ પૂરો પાડવો જરૂરી છે. શાળાઓમાં નવીન અભ્યાસ પદ્ધતિઓ, તાલીમપ્રાપ્ત શિક્ષકો અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે દરેક ઇએમઆરએસ શાળામાં નિયમિત મોનીટરીંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દાહોદ જિલ્લાના ઇએમઆરએસ શાળાઓમાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો રહ્યો હતો.
- દાહોદ આમ આદમી પાર્ટીમાં ફતેપુરા વિધાનસભાના કાર્યકરો જોડાયા આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં જિલ્લા આપ પ્રમુખના નિવાસ સ્થાને જિલ્લા પ્રમુખ Rakesh Bariya ના હસ્તે ફતેપુરા વિધાનસભા વિસ્તારના ઘુઘસ જિલ્લા પંચાયત અને ડુંગરા ગામના પૂર્વ સરપંચ Paragi Lalsingh Bhai તેમજ ડુંગરા ગામના પૂર્વ સરપંચ Gamanbhai Katara પોતાના સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પક્ષની નીતિઓને ગામ સ્તરે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। આ જોડાણને કારણે ફતેપુરા વિસ્તારમાં આપ પાર્ટીની સંગઠનાત્મક શક્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।1
- Post by Deval Vikas1
- ટ્રેનની નીચે આવી આવી જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ1
- Post by Salman moravala1
- બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી.એક્ટ કડ(ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ.કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષયભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા1
- છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય અનિયમિતતાઓ સામે હોઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા. હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?1
- દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 99797037483
- દાહોદમાં ઉચવણીયા જિલ્લા સીટના આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે ઉચવણીયા જિલ્લા સીટ પર Aam Aadmi Party ને મોટો ઝટકો લાગ્યો છે.મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો Bharat Adivasi Party માં જોડાયા હોવાનું સામે આવ્યું છે। આ જોડાણ કાર્યક્રમ દરમિયાન આગેવાનોના હસ્તે નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ પક્ષની નીતિ-વિચારધારા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને ભારત આદિવાસી પાર્ટી સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે1