logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને તેમના પ્રશ્નોનું ઝડપી, પારદર્શક અને અસરકારક નિરાકરણ મળી રહે તેવા હેતુથી અમલમાં મુકાયેલ સ્વાગત - ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યો છે. રાજ્ય સ્તરથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને યોજાતા આ કાર્યક્રમના માધ્યમથી હજારો નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને સંતોષકારક નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સામાન્ય નાગરિકોને સીધા વહીવટી તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરવાની સુવિધા પ્રાપ્ત થતી હોવાથી લોકોમાં વિશ્વાસ અને સંતોષની ભાવના વધુ મજબૂત બની રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને  કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી આવેલા 10 જેટલાં અરજદારોએ વિવિધ પ્રશ્નોને લગતી રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા તેમજ પ્રશ્નોના ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોના દબાણ દૂર કરવાની રજૂઆતો, વિકાસકાર્યો, આવાસ સહાય, જમીનના ક્ષેત્રફળમાં રહેલી વિસંગતતા, ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા સહિતના વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા સાથે સાંભળી સંબંધિત વિભાગો દ્વારા સ્થળ પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી. પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

10 hrs ago
user_Jagdish soni
Jagdish soni
પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
10 hrs ago
a2480492-6d18-42d0-85f3-dbdb036e3cee

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને તેમના પ્રશ્નોનું ઝડપી, પારદર્શક અને અસરકારક નિરાકરણ મળી રહે તેવા હેતુથી અમલમાં મુકાયેલ સ્વાગત - ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યો છે. રાજ્ય સ્તરથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને યોજાતા આ કાર્યક્રમના માધ્યમથી હજારો નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને સંતોષકારક નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સામાન્ય નાગરિકોને સીધા વહીવટી તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરવાની સુવિધા પ્રાપ્ત થતી હોવાથી લોકોમાં વિશ્વાસ અને સંતોષની ભાવના વધુ મજબૂત બની રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને  કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમનું

8d0ce79a-3bc4-44a6-9510-f5938990a92b

આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી આવેલા 10 જેટલાં અરજદારોએ વિવિધ પ્રશ્નોને લગતી રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા તેમજ પ્રશ્નોના ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોના દબાણ દૂર કરવાની રજૂઆતો, વિકાસકાર્યો, આવાસ સહાય, જમીનના ક્ષેત્રફળમાં રહેલી વિસંગતતા, ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા સહિતના વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા સાથે સાંભળી સંબંધિત વિભાગો દ્વારા સ્થળ પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી. પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી.
ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ઈશ્વરે આપણંને વાવતાં જ શીખવાડયું છે, બાકી ઉગાડવાનું આજે પણ એના હાથમાં જ રાખ્યું છે... *પછી એ ખેતર હોય કે જીવતર...*🌱🌿
    1
    ઈશ્વરે આપણંને
વાવતાં જ શીખવાડયું છે,

બાકી ઉગાડવાનું આજે પણ
એના હાથમાં જ રાખ્યું છે...

*પછી એ ખેતર હોય કે જીવતર...*🌱🌿
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • થરાદ-સાંચોર હાઇવે પર સ્વિફ્ટની છોટા હાથીને ટક્કર, રામદેવરાથી પરત ફરતા મુસાફરો ઈજાગ્રસ્ત..... પાછળથી પૂરઝડપે આવેલી સ્વિફ્ટ કારે છોટા હાથીને અડફેટે લેતાં અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા....
    1
    થરાદ-સાંચોર હાઇવે પર સ્વિફ્ટની છોટા હાથીને ટક્કર, રામદેવરાથી પરત ફરતા મુસાફરો ઈજાગ્રસ્ત.....
પાછળથી પૂરઝડપે આવેલી સ્વિફ્ટ કારે છોટા હાથીને અડફેટે લેતાં અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા....
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • થરાદ મા ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ કોમી એકતા નો સુંદર સંદેશ હજરત મહંમદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે પવિત્ર તહેવાર ની ઉજવણી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    થરાદ મા ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ કોમી એકતા નો સુંદર સંદેશ હજરત મહંમદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે પવિત્ર તહેવાર ની ઉજવણી. 
અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે. થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી. સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી. શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.
    1
    થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે.
થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી.
સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી.
શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે.
વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.
    3
    સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે.
વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે.
ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    13 hrs ago
  • ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ધાનેરામાં ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઇદે મિલાદૂન નબી (પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મજિન) નિમિત્તે શહેરભરમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નબીના આશિકો અને શહેરીજનો જોડાયા હતા. મુખ્ય આકર્ષણો: * શાંતિ અને ભાઈચારો: જુલુસ દરમિયાન સહુએ અમીની અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો. * નારે તકબીરનો ગુંજારવ: નબીની શાનમાં નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. * રૂટ અને સુરક્ષા: ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવી શકાય. > આ પ્રસંગે વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહીને માનવતા, શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશો આપ્યો હતો. ધાનેરામાં આ તહેવાર ઉત્સાહભેર ઉજવાતા સર્વધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું.
    4
    ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
ધાનેરામાં ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઇદે મિલાદૂન નબી (પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મજિન) નિમિત્તે શહેરભરમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નબીના આશિકો અને શહેરીજનો જોડાયા હતા.
મુખ્ય આકર્ષણો:
* શાંતિ અને ભાઈચારો: જુલુસ દરમિયાન સહુએ અમીની અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો.
* નારે તકબીરનો ગુંજારવ: નબીની શાનમાં નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
* રૂટ અને સુરક્ષા: ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવી શકાય.
> આ પ્રસંગે વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહીને માનવતા, શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશો આપ્યો હતો. ધાનેરામાં આ તહેવાર ઉત્સાહભેર ઉજવાતા સર્વધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું.
    user_ઈકબાલ મેમણ
    ઈકબાલ મેમણ
    Local News Reporter ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • ખેડુત ની માંગ છે કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,
    1
    ખેડુત ની માંગ છે  કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.