સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
- *181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવતા અને કર્તવ્યનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે* 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે. આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં PBSC ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- . બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.1
- *સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ* ૦૦૦૦૦૦ *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.1
- વંથલી તાલુકાના કણજડી ગામના મેઈન રોડ પર ઓજત નદી માં જતા ખાલી ડમ્પર ની સામે બાઈક ચાલક ટકરતા ગામ વાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઇ જતા ઈજાગ્રસ્ત બાઈક ચાલક પિયુષ મેતર ને તાત્કાલિક ખાનગી વાહન મારફતે જૂનાગઢ ખાનગી હોસ્પિટલે રવાના કરી ગામ વાસીઓ દ્વારા ડમ્પર ને સળગાવી દીધેલ અને અન્ય ત્રણ ઓવર લોડિંગ રેતી ભરેલા ડંપરો ના કાચ ફોડવાના બનાવ બનેલ છે ત્યારે ઘટના સ્થળે વંથલી પોલીસ તેમજ ખાનખનીજ વિભાગ પહોંચી કાર્યવાહી હાથ ધારી હતી ગામ વાસી ઓ ની એકજ માંગ છે કે આટલા ૫૦ ટન ઉપર રેતી ભરી ગામના મેઈન રોડ પર બેદરકારી પૂર્વક ચાલતા આ તમામ ડંપરો ને બંધ કરવામાં આવે તેવી માંગ ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહી છે4
- કેશોદ શહેર ભાજપમાં મોટું ભંગાણ સામે આવ્યું, મહિલાઓને થતા અન્યાય મુદ્દે સાત મહિલાઓ અને એક પુરુષ કાર્યકર સહિત કુલ આઠ લોકોએ રાજીનામાં આપી રાજકીય માહોલ ગરમાવી દીધો છે. માહિતી મુજબ, શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટિકિટ વિતરણમાં પૈસાની લેતીદેતી થઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. રાજીનામું આપનારાઓમાં— * શૈલેષ મક્કા (પુરુષ) * શારદાબેન રાખોલીયા * આરતીબેન પંડ્યા * વૈશાલી કનેરીયા * મધુબેન ધનેશા * પ્રભાબેન ભલાણી * હિંતુબેન કણસાગરા * શોભના સાવલિયા કાર્યકરોએ જણાવ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ છતાં ટિકિટ સમયે પૈસાવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી, જેને કારણે તેઓએ આ કડક નિર્ણય લીધો છે. આ ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી દીધો છે અને આગામી દિવસોમાં રાજકીય અસર વધુ ગાઢ બનવાની શક્યતા છે. અહેવાલ : : જગદીશ યાદવ જૂનાગઢ1
- ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ, કેશોદમાં હવે મતદાનની ઘડીઓ ગણતરીમાં કેશોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી : 113 બુથ પર મતદાન માટે સજ્જતા પૂર્ણ કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા વિસ્તારોમાં ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થતા તમામ બુથ પર સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી છે. હવે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેના માટે ડીસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે. કેશોદ તાલુકાના કુલ 113 બુથ પર મતદાન થવાનું છે, જ્યાં તમામ જરૂરી સ્ટાફ અને સામગ્રી પહોંચી ગઈ છે. જ્યારે કેશોદ નગર પાલિકા વિસ્તારમાં પણ ડીસ્પેચિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અહીં કુલ 9 વોર્ડમાં 35 બેઠકો માટે 93 ઉમેદવારો મેદાનમાં છે. નગર પાલિકા વિસ્તારમાં કુલ 58 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે. તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. હાલ તમામ સ્થળોએ ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થઈ જતા કેશોદમાં મતદાન માટેનો માહોલ તૈયાર થઈ ગયો છે. હવે નજર મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા પર રહેશે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ3
- जरुरी जानकारी।1
- ૫૮૦ પોલિંગ સ્ટાફ અને ૧૬૩ પોલીસ સ્ટાફ સુચારુ ચૂંટણી વ્યવસ્થા કામગીરી અર્થે તૈનાત હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ તંત્ર દ્વારા મતદારો માટે મતદાન મથકોમાં મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામીએ આજ રોજ બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે, તા.૨૬ /૦૪ /૨૦૨૬ના રોજ બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન કાર્યક્રમ યોજાશે અને તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ તેની મતગણતરીની કામગીરી કરવામાં આવશે. જે અન્વયે બોટાદ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં કુલ ૯૬ મતદાન મથક પરથી મતદાન થશે. જે પૈકી ૧૫ જેટલાં સંવેદનશીલ મતદાન મથકો છે આ ઉપરાંત પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કુલ ૫૦,૧૮૪ પુરુષ મતદારો, ૪૫,૬૭૧ મહિલા મતદારો અને અન્ય કુલ ૫ મતદારો સહિત કુલ ૯૫,૮૬૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ ૧૧ ઝોનલ રૂટ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં કુલ ૫૮૦ પોલિંગ સ્ટાફ , પોલીંગ સ્ટેશન, ડિસ્પેચિંગ સેન્ટર, મતગણતરી કેન્દ્ર, ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે ઉપરાંત ૧૬૩ પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા પોલીંગ સ્ટાફને મેડિકલ કીટ વિતરિત કરવામાં આવી છે અને ડિસ્પેચિંગ સ્થળ પર મેડિકલ ટીમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડા માટે મંડપની સુવિધાઓ તથા દિવ્યાંગજનો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર મતદારો મતદાનની સરળ સમજ માટે ઇવીએમ વોટિંગ નિદર્શન બોર્ડ લગાવવામાં આવેલ છે. તંત્ર દ્વારા બોટાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સુચારૂ આયોજન અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ જીના નેતૃત્વમાં ગુજરાતની ડબલ એન્જિન સરકાર વિકાસના નવા આયામો સર કરી રહી છે. છેવાડાના નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડી, આવો આપણે સૌ સાથે મળીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં સહભાગી બનીએ.1