સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ* *સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ* ૦૦૦૦૦૦ *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ* *સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ* ૦૦૦૦૦૦ *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
- કેશોદ શહેર ભાજપમાં મોટું ભંગાણ સામે આવ્યું, મહિલાઓને થતા અન્યાય મુદ્દે સાત મહિલાઓ અને એક પુરુષ કાર્યકર સહિત કુલ આઠ લોકોએ રાજીનામાં આપી રાજકીય માહોલ ગરમાવી દીધો છે. માહિતી મુજબ, શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટિકિટ વિતરણમાં પૈસાની લેતીદેતી થઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. રાજીનામું આપનારાઓમાં— * શૈલેષ મક્કા (પુરુષ) * શારદાબેન રાખોલીયા * આરતીબેન પંડ્યા * વૈશાલી કનેરીયા * મધુબેન ધનેશા * પ્રભાબેન ભલાણી * હિંતુબેન કણસાગરા * શોભના સાવલિયા કાર્યકરોએ જણાવ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ છતાં ટિકિટ સમયે પૈસાવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી, જેને કારણે તેઓએ આ કડક નિર્ણય લીધો છે. આ ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી દીધો છે અને આગામી દિવસોમાં રાજકીય અસર વધુ ગાઢ બનવાની શક્યતા છે. અહેવાલ : : જગદીશ યાદવ જૂનાગઢ1
- ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ, કેશોદમાં હવે મતદાનની ઘડીઓ ગણતરીમાં કેશોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી : 113 બુથ પર મતદાન માટે સજ્જતા પૂર્ણ કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા વિસ્તારોમાં ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થતા તમામ બુથ પર સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી છે. હવે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેના માટે ડીસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે. કેશોદ તાલુકાના કુલ 113 બુથ પર મતદાન થવાનું છે, જ્યાં તમામ જરૂરી સ્ટાફ અને સામગ્રી પહોંચી ગઈ છે. જ્યારે કેશોદ નગર પાલિકા વિસ્તારમાં પણ ડીસ્પેચિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અહીં કુલ 9 વોર્ડમાં 35 બેઠકો માટે 93 ઉમેદવારો મેદાનમાં છે. નગર પાલિકા વિસ્તારમાં કુલ 58 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે. તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. હાલ તમામ સ્થળોએ ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થઈ જતા કેશોદમાં મતદાન માટેનો માહોલ તૈયાર થઈ ગયો છે. હવે નજર મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા પર રહેશે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ3
- વંથલી તાલુકાના કણજડી ગામના મેઈન રોડ પર ઓજત નદી માં જતા ખાલી ડમ્પર ની સામે બાઈક ચાલક ટકરતા ગામ વાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઇ જતા ઈજાગ્રસ્ત બાઈક ચાલક પિયુષ મેતર ને તાત્કાલિક ખાનગી વાહન મારફતે જૂનાગઢ ખાનગી હોસ્પિટલે રવાના કરી ગામ વાસીઓ દ્વારા ડમ્પર ને સળગાવી દીધેલ અને અન્ય ત્રણ ઓવર લોડિંગ રેતી ભરેલા ડંપરો ના કાચ ફોડવાના બનાવ બનેલ છે ત્યારે ઘટના સ્થળે વંથલી પોલીસ તેમજ ખાનખનીજ વિભાગ પહોંચી કાર્યવાહી હાથ ધારી હતી ગામ વાસી ઓ ની એકજ માંગ છે કે આટલા ૫૦ ટન ઉપર રેતી ભરી ગામના મેઈન રોડ પર બેદરકારી પૂર્વક ચાલતા આ તમામ ડંપરો ને બંધ કરવામાં આવે તેવી માંગ ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહી છે4
- 👉 *રામાણી સર્જીકલ હોસ્પિટલનો માનવતાભર્યો સરાહનીય સેવાયજ્ઞ..* *રામાણી સર્જીકલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો, દીપક રામાણી, ડો, આશિષ સરધારા, ડો, જૈનિશ પટેલ, ડો. સચિન ભિમાણી, ડો. ઢોલરીયા ના માનવતાભર્યા આયોજન હેઠળ આજરોજ રામાણી સર્જીકલ હોસ્પિટલ જસદણ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમા વિવિધ પ્રકારના રોગોથી પીડાતા ૪૬૦ થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવતા અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે દર્દીઓ વધુ સંખ્યામાં કેમ્પનો લાભ લઈ શકે તે માટે આવતીકાલે રવિવારે પણ કેમ્પ શરૂ રહેશે તેમ કેમ્પના મુખ્ય સંચાલક લાલાભાઈ ઠુંમરે જણાવ્યું હતું.*4
- ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે. આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે. મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે. 🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- . બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.1
- जरुरी जानकारी।1
- ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી1
- *181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવતા અને કર્તવ્યનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે* 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે. આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં PBSC ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1