logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બોર ગામની માધ્યમિક શાળામાં આયોજિત 'જન કલ્યાણ શિબિર' વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નબળા આયોજનને કારણે અરજદારો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ છે. સરકારની લોકહિતની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે આખી શિબિરનો સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો. આ શિબિરમાં વિરપુર તાલુકાના બાર, જોધપુર, આસપુર, બલવાખાંટના મુવાડા, જાંબુડી, તાજપુર, ઝવરાખાંટના મુવાડા, વરઘરા, ભાણજીની વાવ, આસુંદરીયા, રતનકુવા, વિરપુર અને સરાડીયા સહિત કુલ ૧૫ ગામોના હજારો ગ્રામજનો વહેલી સવારથી આશા સાથે ઉમટી પડ્યા હતા કે સરકારી યોજનાઓના ફોર્મ ભરીને લાભ મેળવશે. જોકે, શિબિર સ્થળે ઇન્ટરનેટની ગંભીર સમસ્યા ઉભી થતાં પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને હજારો અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે બોર ગામમાં વર્ષોથી નેટવર્ક આવતું નથી, ત્યારે તાલુકા વહીવટી તંત્રએ જાણીજોઈને આ જ સ્થળે 'ઓનલાઈન' શિબિર શા માટે યોજી? શું જવાબદાર અધિકારીઓને આ ગંભીર સમસ્યાની જાણ નહોતી? આ અણઘડ આયોજનને કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને પારાવાર હાલાકી વેઠવી પડી હતી. દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ગરીબ અરજદારોને આખો દિવસ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ નિરાશ થઈને ઘરે જવું પડ્યું હતું, જે વહીવટી તંત્રની બેદરકારીનો જીવંત પુરાવો છે.

10 hrs ago
user_વિપુલ જોષી
વિપુલ જોષી
Photographer વીરપુર, મહીસાગર, ગુજરાત•
10 hrs ago
97926f3f-a10d-4a9e-ae9c-ee3abd98894d

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બોર ગામની માધ્યમિક શાળામાં આયોજિત 'જન કલ્યાણ શિબિર' વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નબળા આયોજનને કારણે અરજદારો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ છે. સરકારની લોકહિતની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે આખી શિબિરનો સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો. આ શિબિરમાં વિરપુર તાલુકાના

85ca53a9-e3e0-47fc-ba69-8aba6512c798

બાર, જોધપુર, આસપુર, બલવાખાંટના મુવાડા, જાંબુડી, તાજપુર, ઝવરાખાંટના મુવાડા, વરઘરા, ભાણજીની વાવ, આસુંદરીયા, રતનકુવા, વિરપુર અને સરાડીયા સહિત કુલ ૧૫ ગામોના હજારો ગ્રામજનો વહેલી સવારથી આશા સાથે ઉમટી પડ્યા હતા કે સરકારી યોજનાઓના ફોર્મ ભરીને લાભ મેળવશે. જોકે, શિબિર સ્થળે ઇન્ટરનેટની ગંભીર સમસ્યા ઉભી થતાં પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને હજારો

cb63a68a-1c52-4512-be7a-a0a04f144a24

અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે બોર ગામમાં વર્ષોથી નેટવર્ક આવતું નથી, ત્યારે તાલુકા વહીવટી તંત્રએ જાણીજોઈને આ જ સ્થળે 'ઓનલાઈન' શિબિર શા માટે યોજી? શું

12da7640-b7d4-4df5-a69f-e49af9fdfdc1

જવાબદાર અધિકારીઓને આ ગંભીર સમસ્યાની જાણ નહોતી? આ અણઘડ આયોજનને કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને પારાવાર હાલાકી વેઠવી પડી હતી. દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ગરીબ અરજદારોને આખો દિવસ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ નિરાશ થઈને ઘરે જવું પડ્યું હતું, જે વહીવટી તંત્રની બેદરકારીનો જીવંત પુરાવો છે.

More news from ગુજરાત and nearby areas
  • કાલોલ તાલુકાના નેસડા ગ્રામપંચાયત વિસ્તારમાં અધૂરા કામોને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકોને આંગણવાડી અને શાળાએ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ગ્રામજનો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે પ્રજાને પડતી આ તકલીફો વિકાસની વાસ્તવિકતા છતી કરી રહી છે. આ કામો અધૂરા શા માટે છોડવામાં આવ્યા છે અને તેના પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
    1
    કાલોલ તાલુકાના નેસડા ગ્રામપંચાયત વિસ્તારમાં અધૂરા કામોને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકોને આંગણવાડી અને શાળાએ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

ગ્રામજનો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે પ્રજાને પડતી આ તકલીફો વિકાસની વાસ્તવિકતા છતી કરી રહી છે. આ કામો અધૂરા શા માટે છોડવામાં આવ્યા છે અને તેના પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર વિસ્તારમાં હડકાયા કુતરાનો ત્રાસ વ્યાપી ગયો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર વિસ્તારમાં હડકાયા કુતરાનો ત્રાસ વ્યાપી ગયો છે.
    user_NEWS REPORTER
    NEWS REPORTER
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • હાલોલ નગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ગુરુવારે રાત્રે વીજ કરંટ લાગવાથી એક ગૌમાતાનું મૃત્યુ થયું હતું. શુક્રવારે સવારે નગરપાલિકા દ્વારા મૃત ગૌમાતાને ફાયર સ્ટેશન પાછળ આવેલી જમીનમાં દફનાવવા માટે લઈ જવામાં આવી હતી. જોકે, દફનવિધિની કામગીરી દરમિયાન કર્મચારીઓએ માત્ર જેસીબી વડે ખાડો ખોદી ગૌમાતાને તેમાં મૂકી સ્થળ છોડી દીધું હતું. ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ખાડો પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મૃત પશુની યોગ્ય રીતે દફનવિધિ ન થવાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે દાવો કર્યો છે કે પશુના મૃત્યુ બાદ નિયમ મુજબ ખાડો ખોદી, તેમાં મીઠું નાખીને કાયદેસર દફનવિધિ કરાય છે અને તેના માટે ખર્ચ પણ મંજૂર કરાય છે. જોકે, સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓથી તદ્દન વિપરીત છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાએ અગાઉ રખડતા પશુઓના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે એક ગેસ ચેમ્બર પણ બનાવ્યું હતું, પરંતુ તે સુવિધા હાલ ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવતા પાલિકાની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
    1
    હાલોલ નગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ગુરુવારે રાત્રે વીજ કરંટ લાગવાથી એક ગૌમાતાનું મૃત્યુ થયું હતું. શુક્રવારે સવારે નગરપાલિકા દ્વારા મૃત ગૌમાતાને ફાયર સ્ટેશન પાછળ આવેલી જમીનમાં દફનાવવા માટે લઈ જવામાં આવી હતી.

જોકે, દફનવિધિની કામગીરી દરમિયાન કર્મચારીઓએ માત્ર જેસીબી વડે ખાડો ખોદી ગૌમાતાને તેમાં મૂકી સ્થળ છોડી દીધું હતું. ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ખાડો પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મૃત પશુની યોગ્ય રીતે દફનવિધિ ન થવાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે.

આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે દાવો કર્યો છે કે પશુના મૃત્યુ બાદ નિયમ મુજબ ખાડો ખોદી, તેમાં મીઠું નાખીને કાયદેસર દફનવિધિ કરાય છે અને તેના માટે ખર્ચ પણ મંજૂર કરાય છે. જોકે, સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓથી તદ્દન વિપરીત છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાએ અગાઉ રખડતા પશુઓના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે એક ગેસ ચેમ્બર પણ બનાવ્યું હતું, પરંતુ તે સુવિધા હાલ ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવતા પાલિકાની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • વિજાપુર તાલુકાના મહાદેવપુરા ખાતે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ વાડીમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત પરિવારોને 13મા હપ્તાની સીધી સહાય DBT દ્વારા વિતરિત કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, 10 ખેડૂતોને ₹1 લાખની સબસિડીવાળા ટ્રેક્ટરના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ અંતર્ગત મિલેટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી રાહુલ કે. પટેલ, બાગાયત અધિકારી મહેસાણાના હાર્દિક પ્રજાપતિ, એસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. પી. ચૌધરી અને વિસ્તરણ અધિકારી ઇન્ચાર્જ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, નરવીરસિંહ વિહોલ, તાલુકા સદસ્ય વિષ્ણુસિંહ વિહોલ અને રમેશજી ઠાકોર પણ મુખ્ય હાજર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
    1
    વિજાપુર તાલુકાના મહાદેવપુરા ખાતે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ વાડીમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત પરિવારોને 13મા હપ્તાની સીધી સહાય DBT દ્વારા વિતરિત કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, 10 ખેડૂતોને ₹1 લાખની સબસિડીવાળા ટ્રેક્ટરના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ અંતર્ગત મિલેટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી રાહુલ કે. પટેલ, બાગાયત અધિકારી મહેસાણાના હાર્દિક પ્રજાપતિ, એસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. પી. ચૌધરી અને વિસ્તરણ અધિકારી ઇન્ચાર્જ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, નરવીરસિંહ વિહોલ, તાલુકા સદસ્ય વિષ્ણુસિંહ વિહોલ અને રમેશજી ઠાકોર પણ મુખ્ય હાજર રહ્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    19 min ago
  • આરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે માર્ગ નિર્માણનું કામ અત્યંત ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ ભારે પરેશાન છે. માર્ગ માટે ખોદકામ કરાયા બાદ કોન્ટ્રાક્ટર અચાનક ગાયબ થઈ ગયો હોવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. પરિણામે, બજાર વિસ્તાર ગંદા પાણીથી ભરાઈને તળાવમાં ફેરવાઈ ગયો છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે ગેરહાજર જોવા મળ્યા છે. RCC કામમાં થઈ રહેલા વિલંબને કારણે ગંભીર સવાલો ઊભા થયા છે, જે સાઠંબા બજારની હાલતને વધુ બેહાલ બનાવી રહ્યા છે.
    1
    આરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે માર્ગ નિર્માણનું કામ અત્યંત ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ ભારે પરેશાન છે. માર્ગ માટે ખોદકામ કરાયા બાદ કોન્ટ્રાક્ટર અચાનક ગાયબ થઈ ગયો હોવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. પરિણામે, બજાર વિસ્તાર ગંદા પાણીથી ભરાઈને તળાવમાં ફેરવાઈ ગયો છે.

આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે ગેરહાજર જોવા મળ્યા છે. RCC કામમાં થઈ રહેલા વિલંબને કારણે ગંભીર સવાલો ઊભા થયા છે, જે સાઠંબા બજારની હાલતને વધુ બેહાલ બનાવી રહ્યા છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    19 hrs ago
  • કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ જે.કે. પરમારનો એક સ્થાનિક નાગરિક સાથે ઉદ્ધત વર્તન કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક જાગૃત નાગરિકે પ્રમુખ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે સરપંચ ફોન ઉપાડતા નથી. આ ફરિયાદના જવાબમાં, પ્રમુખ જે.કે. પરમારે નાગરિક પર રોફ જમાવતા કહ્યું કે તેઓ તેમના ગુલામ નથી.
    1
    કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ જે.કે. પરમારનો એક સ્થાનિક નાગરિક સાથે ઉદ્ધત વર્તન કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક જાગૃત નાગરિકે પ્રમુખ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે સરપંચ ફોન ઉપાડતા નથી. આ ફરિયાદના જવાબમાં, પ્રમુખ જે.કે. પરમારે નાગરિક પર રોફ જમાવતા કહ્યું કે તેઓ તેમના ગુલામ નથી.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    19 hrs ago
  • પંચમહાલ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત હાલોલ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. હાલોલના રાણાવાસ વિસ્તારમાં આવેલા પ્રોહીબિશનના લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે પીન્ટુ રાણાના રહેણાંક મકાન અને તેની સામે આવેલી પતરાની ઓરડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 3,038 નંગ દારૂ અને બીયરની બોટલો તથા ટીન કબ્જે કરી રૂ. 4,43,176.23નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અપાયેલી સૂચનાઓના આધારે કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. દેસાઈએ સર્વેલન્સ સ્ટાફને લીસ્ટેડ બુટલેગરો પર નજર રાખવા આદેશ આપ્યો હતો. આ દરમિયાન, હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે રાણાવાસનો લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે પીન્ટુ ઠાકોરભાઈ રાણા તેના મકાન અને પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખે છે. આ બાતમીના આધારે પો.સ.ઇ. જે.બી. ઝાલા અને પોલીસ સ્ટાફે રાણાવાસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાન અને પતરાની ઓરડીમાંથી કિંગફિશર, ટુબર્ગ, કાર્લ્સબર્ગ, માઉન્ટ 6000, રોયલ સ્ટેગ, બ્લેન્ડર પ્રાઈડ, મેકડોવેલ્સ તથા મેજિક મોમેન્ટ જેવી વિવિધ બ્રાન્ડની બીયર, વ્હિસ્કી અને વોડકાની બોટલો સહિત કુલ 3,038 નંગ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 4,43,176.23 આંકવામાં આવી છે. આ ઘટનાના અનુસંધાને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, મુખ્ય આરોપી નિલેશ ઉર્ફે પીન્ટુ ઠાકોરભાઈ રાણા, રહે. રાણાવાસ, હાલોલ, હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
    1
    પંચમહાલ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત હાલોલ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. હાલોલના રાણાવાસ વિસ્તારમાં આવેલા પ્રોહીબિશનના લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે પીન્ટુ રાણાના રહેણાંક મકાન અને તેની સામે આવેલી પતરાની ઓરડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 3,038 નંગ દારૂ અને બીયરની બોટલો તથા ટીન કબ્જે કરી રૂ. 4,43,176.23નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અપાયેલી સૂચનાઓના આધારે કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. દેસાઈએ સર્વેલન્સ સ્ટાફને લીસ્ટેડ બુટલેગરો પર નજર રાખવા આદેશ આપ્યો હતો. આ દરમિયાન, હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે રાણાવાસનો લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે પીન્ટુ ઠાકોરભાઈ રાણા તેના મકાન અને પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખે છે.

આ બાતમીના આધારે પો.સ.ઇ. જે.બી. ઝાલા અને પોલીસ સ્ટાફે રાણાવાસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાન અને પતરાની ઓરડીમાંથી કિંગફિશર, ટુબર્ગ, કાર્લ્સબર્ગ, માઉન્ટ 6000, રોયલ સ્ટેગ, બ્લેન્ડર પ્રાઈડ, મેકડોવેલ્સ તથા મેજિક મોમેન્ટ જેવી વિવિધ બ્રાન્ડની બીયર, વ્હિસ્કી અને વોડકાની બોટલો સહિત કુલ 3,038 નંગ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 4,43,176.23 આંકવામાં આવી છે.

આ ઘટનાના અનુસંધાને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, મુખ્ય આરોપી નિલેશ ઉર્ફે પીન્ટુ ઠાકોરભાઈ રાણા, રહે. રાણાવાસ, હાલોલ, હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • અરવલ્લીના વાસણીરેલ ગામમાં ભૂમાફિયાઓએ મહેસૂલ વિભાગના અધિકારીઓની મિલીભગતથી એક ચોંકાવનારો 'ભૂતિયા ખેલ' રચ્યો છે, જ્યાં ૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા એક વ્યક્તિના નામે આધારકાર્ડ બનાવી લાખોની જમીનનો સોદો કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ, વાસણીરેલ ગામના ખેડૂત છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયું હતું, જેનું પ્રમાણપત્ર કપડવંજ નગરપાલિકા દ્વારા અપાયું છે. તેમ છતાં, એપ્રિલ ૨૦૨૫માં, એટલે કે ભવિષ્યની તારીખમાં, આ મૃતક વ્યક્તિના નામે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવવામાં આવી, જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાંનો જન્મ દર્શાવે છે. આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ૨૦૧૦ પછી શરૂ થયેલી આધારકાર્ડ સિસ્ટમમાં ૧૯૭૨માં અવસાન પામેલા વ્યક્તિનું આધારકાર્ડ કેવી રીતે બન્યું અને સબ-રજિસ્ટ્રાર કચેરીના સ્કેનરે આ 'ભૂતિયા' આંગળીઓના નિશાન કઈ રીતે સ્વીકારી લીધા? જમીન વેચવા માટે અમદાવાદના એક વ્યક્તિના નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે ઠાસરા અને બાયડના એવા લોકો સામેલ હતા જેમને આ ગામ સાથે કોઈ સંબંધ નથી. આ કૌભાંડની વિચિત્રતા એ છે કે છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ હાલ ૬૨ વર્ષના છે, જ્યારે નકલી દસ્તાવેજોમાં 'દાદા' છગનભાઈની ઉંમર માત્ર ૫૪ વર્ષ દર્શાવવામાં આવી છે. આ કૌભાંડને અંજામ આપવા માટે ૨૦ લાખ ૬૦ હજાર રૂપિયાના ચેકો પણ વટાવી લેવામાં આવ્યા છે. સૂત્રોના મતે, આ એકલો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો હડપવાનું એક મોટું સિન્ડિકેટ સક્રિય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર ભૂમાફિયાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. જો આ 'ભૂતાવળ' સમાન સિન્ડિકેટ પર લગામ નહીં કસાય, તો આવનારા સમયમાં જીવતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 'હું જીવતો છું' તેવા પુરાવાઓ સાથે કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટના હાલ અરવલ્લી પંથકમાં મુખ્ય ચર્ચાનો વિષય બની છે અને લોકો વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ જાદુગરો સામે કાયદાનો ડંડો પછાડશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
    3
    અરવલ્લીના વાસણીરેલ ગામમાં ભૂમાફિયાઓએ મહેસૂલ વિભાગના અધિકારીઓની મિલીભગતથી એક ચોંકાવનારો 'ભૂતિયા ખેલ' રચ્યો છે, જ્યાં ૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા એક વ્યક્તિના નામે આધારકાર્ડ બનાવી લાખોની જમીનનો સોદો કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ, વાસણીરેલ ગામના ખેડૂત છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયું હતું, જેનું પ્રમાણપત્ર કપડવંજ નગરપાલિકા દ્વારા અપાયું છે. તેમ છતાં, એપ્રિલ ૨૦૨૫માં, એટલે કે ભવિષ્યની તારીખમાં, આ મૃતક વ્યક્તિના નામે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવવામાં આવી, જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાંનો જન્મ દર્શાવે છે.

આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ૨૦૧૦ પછી શરૂ થયેલી આધારકાર્ડ સિસ્ટમમાં ૧૯૭૨માં અવસાન પામેલા વ્યક્તિનું આધારકાર્ડ કેવી રીતે બન્યું અને સબ-રજિસ્ટ્રાર કચેરીના સ્કેનરે આ 'ભૂતિયા' આંગળીઓના નિશાન કઈ રીતે સ્વીકારી લીધા? જમીન વેચવા માટે અમદાવાદના એક વ્યક્તિના નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે ઠાસરા અને બાયડના એવા લોકો સામેલ હતા જેમને આ ગામ સાથે કોઈ સંબંધ નથી. આ કૌભાંડની વિચિત્રતા એ છે કે છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ હાલ ૬૨ વર્ષના છે, જ્યારે નકલી દસ્તાવેજોમાં 'દાદા' છગનભાઈની ઉંમર માત્ર ૫૪ વર્ષ દર્શાવવામાં આવી છે. આ કૌભાંડને અંજામ આપવા માટે ૨૦ લાખ ૬૦ હજાર રૂપિયાના ચેકો પણ વટાવી લેવામાં આવ્યા છે.

સૂત્રોના મતે, આ એકલો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો હડપવાનું એક મોટું સિન્ડિકેટ સક્રિય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર ભૂમાફિયાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. જો આ 'ભૂતાવળ' સમાન સિન્ડિકેટ પર લગામ નહીં કસાય, તો આવનારા સમયમાં જીવતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 'હું જીવતો છું' તેવા પુરાવાઓ સાથે કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટના હાલ અરવલ્લી પંથકમાં મુખ્ય ચર્ચાનો વિષય બની છે અને લોકો વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ જાદુગરો સામે કાયદાનો ડંડો પછાડશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.