વઢવાણનો ૨૫૦૦ વર્ષ પ્રાચીન સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાશે: ઓમ ફાઉન્ડેશન દ્વારા 'હેપ્પી બર્થડે વઢવાણ' કાર્યક્રમનું આયોજન વઢવાણનો ૨૫૦૦ વર્ષ પ્રાચીન સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાશે: ઓમ ફાઉન્ડેશન દ્વારા 'હેપ્પી બર્થડે વઢવાણ' કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના વઢવાણ નગરના ૨૫૦૦ વર્ષના સુવર્ણ ઇતિહાસ અને ગૌરવશાળી વારસાને યાદ કરી પ્રાચીન તેમજ સાંસ્કૃતિક વારસાની ઉજવણીના ભાગરૂપે 'ઓમ ફાઉન્ડેશન - વઢવાણ' દ્વારા 'હેપ્પી બર્થડે વઢવાણ' અંતર્ગત વર્ધમાનપુરીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીનું સુંદર આયોજન તા.૧૬-૯-૨૦૨૬ને ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગે વઢવાણના રામ મહેલ મંદિર, ધોળી પોળ ખાતે બપોરે ૩:૦૦ કલાકે: સુંદરકાંડના પાઠ, સાંજે ૫:૩૦ કલાકે: ધાર્મિક અને સાંસ્કૃતિક મંડળોનું સન્માન સાંજે ૬:૧૫ કલાકે: શિલાલેખ પૂજન, સાંજે ૬:૩૦ કલાકે: ભોગાવો નદી મહા આરતી સહિતના ખાસ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજાનાર કાર્યક્રમમાં પરમ પૂજ્ય લલિતકિશોરશરણદાસજી મહારાજ (લીંબડી મોટા મંદિર) ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ અમૃતશરણદાસજી મહારાજ, ઉપપ્રમુખ ડો. અશ્વિન ગઢવી અને મંત્રી અસવાર દશરથસિંહ દ્વારા તમામ નગરજનોને પરિવાર સાથે આ ગૌરવવંતા પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
વઢવાણનો ૨૫૦૦ વર્ષ પ્રાચીન સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાશે: ઓમ ફાઉન્ડેશન દ્વારા 'હેપ્પી બર્થડે વઢવાણ' કાર્યક્રમનું આયોજન વઢવાણનો ૨૫૦૦ વર્ષ પ્રાચીન સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાશે: ઓમ ફાઉન્ડેશન દ્વારા 'હેપ્પી બર્થડે વઢવાણ' કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના વઢવાણ નગરના ૨૫૦૦ વર્ષના સુવર્ણ ઇતિહાસ અને ગૌરવશાળી વારસાને યાદ કરી પ્રાચીન તેમજ સાંસ્કૃતિક વારસાની ઉજવણીના ભાગરૂપે 'ઓમ ફાઉન્ડેશન - વઢવાણ' દ્વારા 'હેપ્પી બર્થડે વઢવાણ' અંતર્ગત વર્ધમાનપુરીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીનું સુંદર આયોજન તા.૧૬-૯-૨૦૨૬ને ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગે વઢવાણના રામ મહેલ મંદિર, ધોળી પોળ ખાતે બપોરે ૩:૦૦ કલાકે: સુંદરકાંડના પાઠ, સાંજે ૫:૩૦ કલાકે: ધાર્મિક અને સાંસ્કૃતિક મંડળોનું સન્માન સાંજે ૬:૧૫ કલાકે: શિલાલેખ પૂજન, સાંજે ૬:૩૦ કલાકે:
ભોગાવો નદી મહા આરતી સહિતના ખાસ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજાનાર કાર્યક્રમમાં પરમ પૂજ્ય લલિતકિશોરશરણદાસજી મહારાજ (લીંબડી મોટા મંદિર) ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ અમૃતશરણદાસજી મહારાજ, ઉપપ્રમુખ ડો. અશ્વિન ગઢવી અને મંત્રી અસવાર દશરથસિંહ દ્વારા તમામ નગરજનોને પરિવાર સાથે આ ગૌરવવંતા પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
- સાણંદ પીઆઈ બી.ટી. ગોહિલની ટીમે સુંદરમ ફ્લેટની મીટરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે બ્રેકીંગ ન્યૂઝ સાણંદ પીઆઈ બી.ટી. ગોહિલની ટીમે સુંદરમ ફ્લેટની મીટરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે મુદ્દામાલ રૂ. 1.33 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી ભરતસિંહ ભીખુભા વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે વોન્ટેડ આરોપીઓ માં દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ચાવડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ પણ સુંદરમ ફ્લેટના જ રહેવાસી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ3
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers1
- હે મારા રામાપીર મારે નામ નથી કમાવું કે નથી કોઈ થી આગળ થાવું.કારણ કે મારા થી પણ સારા કામ કરવા વાળા સ્મશાનમાં રાખ થઈ ને ઉડી ગયા છે જય અખંડ ધણી1
- રામોલમાં મકાનના વિવાદમાં ફાયરિંગની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ પાસે મકાનના વિવાદને લઈને ત્રણ ભાઈઓ સમાધાન માટે ભેગા થયા હતા. રામોલમાં મકાનના વિવાદમાં ફાયરિંગની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ પાસે મકાનના વિવાદને લઈને ત્રણ ભાઈઓ સમાધાન માટે ભેગા થયા હતા. દરમિયાન એક ભાઈ, જે BSFમાં નોકરી કરે છે અને તેનું નામ પ્રમોદ હોવાનું સામે આવ્યું છે, તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી છે. ફાયરિંગમાં સમાધાન માટે આવેલા એક ભાઈને જાંઘના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. રામોલ પોલીસે આરોપીઓને હથિયાર સાથે ઝડપી લીધા હોવાની માહિતી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏 🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી. 🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું. ✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.1
- અર્વાચીન રાસોત્સવ ૨૦૨૬ અંતર્ગત ‘મંગળ ચિહ્નો’ વર્કશોપનું આયોજન રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા આગામી રાસોત્સવને વધુ સર્જનાત્મક અને યાદગાર બનાવવા માટે વિશેષ સામૂહિક ‘મંગળ ચિહ્નો’ આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સમાજના સભ્યોને સાથે મળીને કપડાં પર વિવિધ પરંપરાગત મંગળ ચિહ્નો તૈયાર કરવાની તક મળશે.1
- સોજીત્રાના તાલુકાના ભડક્દ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટરોની ચોરી થવાનો બનાવ1
- લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી નેશનલ હાઈવે અકસ્માતનો એક ઝોન બની બેસ્યો હોય એવું લાગી રહ્યું છે આજે વધુ એક અકસ્માત સવારમાં સાત કલાકે લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો એમાં મળતી માહિતી મુજબ ટ્રક કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો બીજા ગ્રસ્ત થયા હતા જેઓ લીંબડી તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર હર્ષ છત્રોલા દ્રારા સારવાર આપી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે લીબડી નેશનલ હાઈવે પર હાલ અકસ્માત નો યથાવત જોવા મળી રહ્યો છે1