Shuru
Apke Nagar Ki App…
પાટણ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ* *સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો*
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
પાટણ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ* *સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો*
More news from ગુજરાત and nearby areas
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.1
- સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા4
- ઈશ્વરે આપણંને વાવતાં જ શીખવાડયું છે, બાકી ઉગાડવાનું આજે પણ એના હાથમાં જ રાખ્યું છે... *પછી એ ખેતર હોય કે જીવતર...*🌱🌿1
- થરાદ-સાંચોર હાઇવે પર સ્વિફ્ટની છોટા હાથીને ટક્કર, રામદેવરાથી પરત ફરતા મુસાફરો ઈજાગ્રસ્ત..... પાછળથી પૂરઝડપે આવેલી સ્વિફ્ટ કારે છોટા હાથીને અડફેટે લેતાં અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા....1
- થરાદ મા ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ કોમી એકતા નો સુંદર સંદેશ હજરત મહંમદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે પવિત્ર તહેવાર ની ઉજવણી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે. થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી. સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી. શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.1
- ખેડુત ની માંગ છે કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,1