Shuru
Apke Nagar Ki App…
મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ખેત મજૂર પરિવાર પર હુમલો કરવાના અને સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રફીક અજમેરી
મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ખેત મજૂર પરિવાર પર હુમલો કરવાના અને સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગરમાં વર્ષ 1880માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્મિત પૌરાણિક અને ઐતિહાસિક બિલ્ડીંગોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા આ જર્જરિત ઇમારતોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડેવલોપમેન્ટ માટેનો પ્લાન અને નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક બિલ્ડીંગોને તોડી પાડવાને બદલે તેનું નવ નિર્માણ કરીને તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ હેરિટેજ ઇમારતોનું જતન થઈ શકે. આ ડેવલોપમેન્ટ બાદ પોલીસ અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયના હસ્તે ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે, જેની માહિતી સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના DySP પાર્થ પરમારે આપી હતી.1
- ખેડા જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલો રસ્તો ગણતરીના દિવસોમાં જ બિસ્માર થઈ જતાં, રસ્તાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ બુધવારે આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિજય થયો છે. ગાંધી માર્ગ પર આંદોલન કરીને કોંગ્રેસે વધુ એક વખત મોટી સફળતા મેળવી છે. આ આંદોલન સામે આખરે વહીવટીતંત્રે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તૂટેલા રસ્તાઓ ફરીથી બનાવવા માટે લેખિતમાં ખાતરી આપી છે. વહીવટીતંત્ર તરફથી લેખિત ગેરંટી મળ્યા બાદ, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર અને સ્થાનિક મામલતદારે રૂબરૂ આવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પારણા કરાવ્યા હતા.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.1
- કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે, જેમાં રોગન આર્ટના કલાકાર આશિષ કંસારાને મોટું સન્માન મળ્યું છે. રોગન આર્ટના કોઈ કારીગરને માનદ D.Litt પદવી મળી હોય તેવો આ સંભવતઃ પ્રથમ પ્રસંગ માનવામાં આવી રહ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માત્ર આશિષ કંસારાની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતીય પરંપરાગત હસ્તકલાને એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સન્માન મળ્યું છે. આ અનોખી ઉપલબ્ધિથી વિશ્વ સમક્ષ રોગન આર્ટની આગવી ઓળખ વધુ મજબૂત બની છે અને વૈશ્વિક સ્તરે કચ્છનું નામ ગુંજી ઉઠ્યું છે. આ અસાધારણ સફળતાએ કચ્છની કલગીમાં વધુ એક ગૌરવનું મોરપંખ ઉમેરી દીધું છે.1
- ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.1
- રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલે પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી છે અને તેમણે લતા મંગેશકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું છે કે દીકરીઓએ મર્યાદામાં રહીને આગળ વધવું જોઈએ અને સમાજે પણ આ બાબતે સાથે મળીને વિચારવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી દીકરીઓએ બચવું જોઈએ.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેવ સમક્ષ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.1
- ડીંડોલી વિસ્તારમાં આવેલા અલગ-અલગ મંદિરોમાંથી દાનપેટીઓની ચોરી કરનારા આરોપીઓને ડીંડોલી પોલીસની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વિગત મુજબ, ડીંડોલીમાં અંબિકા ટાઉનશિપની સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર, કરાડવાગામની રાજદીપ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર તેમજ દેલાડવા ગામમાં દીપદર્શન સ્કૂલની સામે આવેલી દેવનંદની સોસાયટીના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરી અંગે ફરિયાદીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-૨ મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર 'આઈ' ડિવિઝન એન.પી. ગોહિલ દ્વારા અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટની સૂચના મુજબ, સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે આ સફળ કામગીરી કરીને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.4