માંડલ તાલુકાના ઉઘરોજ ગામમાં સોમવારે મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે ચાલુ વીજવાયર તૂટી પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં વીજવાયર તૂટી પડ્યો હોવા છતાં વીજ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. માંડલ તાલુકાના ઉઘરોજ ગામમાં સોમવારે મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે ચાલુ વીજવાયર તૂટી પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં વીજવાયર તૂટી પડ્યો હોવા છતાં વીજ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, વીજવાયર તૂટી પડતાં ગ્રામજનો દ્વારા તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપનીની દેત્રોજ કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જોકે, ફરિયાદ બાદ તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો સુરક્ષિત કરવાની કામગીરી કરવાને બદલે જવાબદાર હેલ્પર દ્વારા “ટાઈમ મળે ત્યારે રિપેરિંગનું કામ કરીશું” એવો જવાબ આપવામાં આવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. વરસાદી ઋતુ દરમિયાન ખુલ્લા વિસ્તારમાં ચાલુ વીજવાયર તૂટી પડવો અત્યંત જોખમી બની શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં વીજવાયર પડેલો હોવાની જાણ ન હોય તો રાહદારીઓ, પશુઓ કે વાહનચાલકો માટે જીવલેણ અકસ્માતની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં વીજ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરી જરૂરી સમારકામ કરવાની કામગીરી થવી જરૂરી છે. ગ્રામજનોમાં આક્ષેપ છે કે, વીજ તંત્રને જાણ કર્યા બાદ પણ તાત્કાલિક કાર્યવાહી ન થવી એ ગંભીર બેદરકારી સમાન છે. જવાબદાર અધિકારીઓએ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તૂટી પડેલા વીજવાયરનું તાત્કાલિક સમારકામ કરાવી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
માંડલ તાલુકાના ઉઘરોજ ગામમાં સોમવારે મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે ચાલુ વીજવાયર તૂટી પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં વીજવાયર તૂટી પડ્યો હોવા છતાં વીજ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. માંડલ તાલુકાના ઉઘરોજ ગામમાં સોમવારે મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે ચાલુ વીજવાયર તૂટી પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં વીજવાયર તૂટી પડ્યો હોવા છતાં વીજ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, વીજવાયર તૂટી પડતાં ગ્રામજનો દ્વારા તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપનીની દેત્રોજ કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જોકે, ફરિયાદ બાદ તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો સુરક્ષિત કરવાની કામગીરી કરવાને બદલે જવાબદાર હેલ્પર દ્વારા “ટાઈમ મળે ત્યારે
રિપેરિંગનું કામ કરીશું” એવો જવાબ આપવામાં આવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. વરસાદી ઋતુ દરમિયાન ખુલ્લા વિસ્તારમાં ચાલુ વીજવાયર તૂટી પડવો અત્યંત જોખમી બની શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં વીજવાયર પડેલો હોવાની જાણ ન હોય તો રાહદારીઓ, પશુઓ કે વાહનચાલકો માટે જીવલેણ અકસ્માતની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં વીજ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરી જરૂરી સમારકામ કરવાની કામગીરી થવી જરૂરી છે. ગ્રામજનોમાં આક્ષેપ છે કે, વીજ તંત્રને જાણ કર્યા બાદ પણ તાત્કાલિક કાર્યવાહી ન થવી એ ગંભીર બેદરકારી સમાન છે. જવાબદાર અધિકારીઓએ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તૂટી પડેલા વીજવાયરનું તાત્કાલિક સમારકામ કરાવી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના1
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- મણિપુરમાં અંડરપાસ પાણીમાં ગરકાવ, એમ્બ્યુલન્સ પહોંચી નહીં; દર્દીને પીઠ પર ઉઠાવી બહાર લવાયો1
- વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.4
- લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો1
- લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી નેશનલ હાઈવે અકસ્માતનો એક ઝોન બની બેસ્યો હોય એવું લાગી રહ્યું છે આજે વધુ એક અકસ્માત સવારમાં સાત કલાકે લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો એમાં મળતી માહિતી મુજબ ટ્રક કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો બીજા ગ્રસ્ત થયા હતા જેઓ લીંબડી તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર હર્ષ છત્રોલા દ્રારા સારવાર આપી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે લીબડી નેશનલ હાઈવે પર હાલ અકસ્માત નો યથાવત જોવા મળી રહ્યો છે1